Opinion Magazine
Number of visits: 9484895
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નાઝીવાદ વિશે ‘દર્શક’ની નાટ્યકૃતિઓ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Literature|6 November 2015

પ્રેરણાદાયી સાહિત્યકાર અને કેળવણીકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’નું જન્મશતાબ્દી વર્ષ આવતી કાલે [15 અૉક્ટોબરે] પૂરું થશે. આ વર્ષ દરમિયાન પણ – અત્યાર સુધીની જેમ જ – દર્શકના ‘અંતિમ અધ્યાય’ (1983) પુસ્તકની જવલ્લે નોંધ લેવાઈ. આ નાટ્યસંગ્રહ હિંસક અહિષ્ણુતાના સાંપ્રત  ભારતમાં બહુ પ્રસ્તુત છે. તેમાં ત્રણ નાની કૃતિઓ છે – ‘સોદો’, ‘અંતિમ અધ્યાય’ અને ‘હેલન’. આ નાટકોનો વિષય ગુજરાતી સાહિત્યના મોટાભાગના અભ્યાસીઓને માફક આવે તેવો નથી. તે હિટલરના નાઝીવાદની ભીષણતા અને તેની સામે મૂળભૂત માનવતાના પ્રસંગો પર આધારિત છે. દર્શક લખે છે : ‘ … ત્રણે નાટકોને એકસૂત્રે બાંધતો વિચાર છે નાઝી વિચારણાએ આચરેલ યહૂદીઓ પરના અત્યાચારો. મનુષ્યની સાંભરણમાં આવો સામૂહિક નરસ્ત્ર થયેલ નથી. તેને સંભરતાં ત્રાસ છૂટે તેવું છે, પણ તેની સ્મૃિત સાચવવાની પણ અનિવાર્યતા છે. માણસ તેની પરિસ્થિતિને વશ થાય છે પણ કોઈ કોઈ વાર દશ આંગળ ઊંચો ઊઠ્યો છે. એ પળો જ સાચી ઐતિહાસિક-સલૂણી પળો છે. મનુષ્ય કદી નાશ નહીં પામે તેની એ આશા છે. આવી કેટલીક પળો આ નાટકોમાં ઝિલાઈ છે.’

આ નાટ્યત્રયીમાં યહૂદીઓ પરના અમાનુષ અત્યાચારો ઉપરાંત તેમને બચાવવા માટેના પ્રયત્નો, તેમાંથી ઊભા થતાં નૈતિક દ્વંદ્વ તેમ જ ઘાતકી હિટલરની લાગણીશીલતા જેવી બાબતો સમાવી  લેવામાં આવી છે. મહત્ત્વની વાત તો એ કે વંશ તેમ જ રાષ્ટ્રની સર્વોપરિતા, નિરંકુશ સત્તાવાદ, લશ્કરશાહી, નાગરિકના અસ્તિત્વ અને તેના સ્વાતંત્ર્યના ઇન્કારનું વલણ જેવા નાઝીવાદના સિદ્ધાંતોને દર્શકે સંવાદોમાં બખૂબી આવરી લીધા છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં  ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે  છે.

‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ (1952-85) નવલકથાને પણ અહીં યાદ કરવી જોઈએ. વૃક્ષ ચલે નિજ લીલા ન્યાયે લખાયેલી દર્શકની સાડા સવા છસો પાનાંની ત્રણ ભાગમાં લખાયેલી આ શબ્દાળુ અને શિથિલ મહાનવલ છે. દેશ-દુનિયાના પચાસેક  સ્થળ અને અરધી સદીના કાળ પર વિસ્તરેલી આ કથા ગાંધીવિચાર, સર્વધર્મદર્શન, નાઝીવાદ અને હિરોશિમા-નાગાસાકી સહિત વિશ્વયુદ્ધને આવરી લે છે. તેના બીજા ભાગમાં નાયક સત્યકામ તેમ જ તેના બે સાથીદારો અમલાદીદી અને પ્રસન્નબાબુ મ્યુિનકમાં જર્મન સરકારના લશ્કરની ટુકડી સાથેના મુકાબલામાં ઘવાયેલા એક બળવાખોર નાઝી નેતાને બચાવીને સારવાર આપે છે, એ રાષ્ટ્રપ્રમુખ બનતા પહેલાંના તબક્કાનો હિટલર હોય છે ! આપણે ત્યાં એ વાત ભાગ્યે જ ધ્યાનમાં આવે છે કે નાઝીવાદ, આપખુદશાહી, અતિરાષ્ટ્રવાદ જેવાં, ફાસીવાદના બિહામણાં રૂપોને પોતાનાં સર્જનનો લાંબી લેખણે વિષય બનાવનાર દર્શક સંભવત: એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર છે (બ.ક.ઠાકોરની ‘હિટલર વિજય પરંપરા’ નામની બોંતેર પંક્તિની કવિતા 1917માં પ્રસિદ્ધ થયેલા તેમના ‘ભણકાર’ સંગ્રહમાં વાંચવા મળે છે).

‘સોદો’ નાટકનું કથાવસ્તુ  બીજા વિશ્વયુદ્ધના અંતભાગે ઑસ્ટ્રિયા-સ્વિટઝર્લૅન્ડની સરહદ પરના નાઝી તાબા હેઠળના ગામમાં આકાર લે છે. અહીંની નજરબંધી છાવણી(કૉન્સસન્ટ્રેશન કૅમ્પ)ના  વડા કૅપ્ટન હોસ અને યહૂદી સંરક્ષણ સમિતિ તેમ જ રેડક્રૉસના અમેરિકન પ્રતિનિધિ વેલનબર્ગ વચ્ચે યાતના છાવણીમાં રિબાતા યહૂદીઓને મુક્ત કરવા માટે એક સોદો થાય છે. ‘દસ હજાર કિલોગ્રામ ચા, દસ હજાર સુગંધી સાબુ, દસ હજાર ટ્રક, અસ્ત્રા સાથે દસ હજાર બ્લેડની સામે જર્મની છોડી મૂકશે દસ લાખ યહૂદીઓને’. યુવા કેદીઓ એરિઝ અને ઉર્શલાને આ સોદો મંજૂર નથી. એ માને છે : ‘બધાં સાથે મરે … ગીત ગાતાં મરે. તેમાં જ યહૂદીઓનું ગૌરવ છે.’ વળી આ બંને જાણે છે કે યહૂદીઓની મુક્તિનો આ કરાર તેમના હત્યાકાંડના કર્તા આઇકમેને હારી રહેલા હિટલરની જાણબહાર રચેલો પેંતરો છે. ઉર્શલા કહે છે : ‘આઇકમેને આવનારા પરાજયમાં યહૂદીઓની આ નરાધમ કત્લેઆમનો આરોપ આવે ત્યારે પોતાના બચાવ માટે, સદગૃહસ્થની છાપ લેવા માટે, દસ લાખને છોડી દેવાનો કાર્યક્રમ વિચાર્યો છે …’ કૅપ્ટનના હૃદયપરિવર્તનથી બે દૃશ્યોનું આ નાટક પૂરું થાય છે. ઓસવિચનાં ગૅસચેમ્બર ઉપરાંત નાઝી પશુતાના કેટલા ય ઉલ્લેખો નાટકમાં છે. જેમ કે, હોસના  ઘરની શેતરંજી યહૂદી સ્ત્રીઓના ‘વાળની બનેલી છે’. હોસને વેલનબર્ગ પૂછે છે : ‘તમે યહૂદી સ્ત્રીઓનાં ગર્ભાશયો દૂર નથી કર્યાં? યહૂદી પુરુષોનાં અંડાશયો ઇંડાની જેમ નથી અલગ કર્યાં ? માણસોનાં અંગોપાંગો નથી બદલ્યાં?’ એરિઝ કહે છે કે જર્મનોએ તો એમને ‘માત્ર મલ-સામાન જ માનેલ છે, અમારાં ગુહ્યોને પગ નીચે પેચ્યાં છે …’  જર્મન સૈનિકની અંધ વફાદારી, તેના પરિવારમાં સ્ત્રી અને બાળકોનું સ્થાન, યહૂદીઓને રાજદ્વારી કે ગુપ્ત માર્ગે છોડાવવા માટેના ખ્રિસ્તી ધર્મગુરુ લોડના  પ્રયાસો જેવી બાબતોના નિર્દેશો પણ નાટકમાં મળે છે.

દર્શકે નોધ્યું  છે કે જેરૂસલેમમાં ‘હિટલરના હુકમે કતલ કરાયેલા સિત્તેર લાખ યહૂદીઓના સ્મારક’ એવા યેદવેશામની મુલાકાત પછી ‘જે ચૈતસિક અવસ્થા અનુભવી તે આ નાટકનું મૂળ બીજ છે’. આ જ રીતે  સર્જાયેલી બીજી બે નાટ્યકૃતિઓની મહત્તા વિશે હવે પછીના  લેખમાં વાંચશું. 

11 ઑક્ટોબર 2015  મધ્યરાત્રિ

e.mail : sanjaysbhave@yahoo.com

(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 28 અૉક્ટોબર 2015)

Loading

6 November 2015 admin
← લૂંટનો માલ વ્યાજ સાથે પાછો આપો!
શું નરેન્દ્ર મોદી હિન્દુત્વવાદીઓ સાથે ભાગીદાર નથી, પરંતુ સ્વ-પ્રેમમાં ચોવીસે કલાક મશગૂલ રહેતા એક લાચાર અને કમજોર વડા પ્રધાન છે? →

Search by

Opinion

  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved