Opinion Magazine
Number of visits: 9446636
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવનિર્માણ માટે વિનાશ જરૂરી હોય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|24 November 2022

અનુભવ એવો છે કે સરકારી અધિકારીઓ અને ન્યાયમૂર્તિઓ નિવૃત્ત થયા પછી ડાહીડાહી વાતો કરવા માંડે છે, પણ જો પાછા વળીને તેમની કારકિર્દી પર નજર કરશો તો જોવા મળશે કે તેમણે ફરજ સાથે કાં તો સ્વેચ્છાએ સમાધાનો કર્યાં હતાં અથવા ડરીને કામ કરતા હતા. જે ઊઘાડી રીતે વેચાઈ ગયા હતા તેમની તો આપણે વાત જ નથી કરતા. તેઓ મોટે ભાગે સૂફિયાણી વાતો કરતા પણ નથી, સિવાય કે માણસ સાવ બેશરમ હોય.

સર્વોચ્ચ અદાલતમાંથી તાજા નિવૃત્ત થયેલા મુખ્ય ન્યાયમૂર્તિ ઉદય લલિત આમાં અપવાદ છે. તેમને મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે કામ કરવાનો માત્ર ૭૪ દિવસ માટે મોકો મળ્યો હતો અને તેમાં તેમણે સપાટો બોલાવ્યો હતો. ખાસ કરીને અદાલતોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની બાબતે સરકાર ગંભીર નથી એમ તેમણે સ્પષ્ટ સંભળાવ્યું હતું. માટે નિવૃત્તિ પછી તેમણે બે દિવસ પહેલાં દેશમાં ન્યાયતંત્રની સ્થિતિ વિશે આપેલું વક્તવ્ય પ્રાસંગિક છે. પ્રાસંગિક એટલા માટે પણ છે કે દેશના વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ ધનંજય ચંદ્રચૂડે પણ લગભગ આ જ વાત એ જ દિવસે અન્યત્ર બોલતા કહી હતી. બે આજી અને માજી ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રનું એક જ સરખું નિદાન કરે અને ચેતવણી આપે તો તેને વિશેષ કરીને ગંભીરતાથી લેવી જોઈએ.

નિવૃત્ત ન્યાયમૂર્તિ ઉદય લલિત અને ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે પોતપોતાની રીતે પણ એક જ વાત કહેતા કહ્યું છે કે નીચલી અદાલતોમાં કેટલાક જજો કાયદાનું જરૂરી જ્ઞાન નથી ધરાવતા, કેટલાકમાં સંવેદનશીલતા અને દક્ષતાનો અભાવ હોય છે, કેટલાક સરકારી વકીલને અને તપાસકર્તાઓને પ્રશ્ન પૂછતા ડરે છે અને કેટલાક ભ્રષ્ટ છે. લોકોની ધરપકડ તો જાણે એવી રીતે થાય છે કે મંદિરમાં પ્રવેશ આપતા હોય. જજો એક પણ સવાલ કર્યા વિના કસ્ટડી આપે છે અને કસ્ટડની મુદ્દત લંબાવવા રહે છે. કેટલીકવાર તો વરસોનાં વરસ સુઘી. લગભગ ૮૦ ટકા કેસોમાં ફરિયાદી કે બચાવપક્ષ સરકાર હોય છે અને જજો સરકારની વિરુદ્ધ જતા કે પ્રશ્ન પૂછતા પણ ડરે છે. આને કારણે કેસોનો ભરાવો થાય છે. કાચા કેદીઓની સંખ્યામાં વધારો થાય છે. નિર્દોષ લોકોએ વર્ષો સુધી જામીનની અને ચૂકાદાની રાહ જોતા જેલમાં સબડવું પડે છે. ખટલો ચલાવીને સજા કરવામાં આવી હોય એવા કેસોનું પ્રમાણ માત્ર ૨૭ ટકા છે. તેમણે કહ્યું હતું કે કેટલાક જજો દીવાની અને ફોજદારી કેસ વચ્ચેનો ફરક સમજતા નથી અને દીવાની કેસને ફોજદારી તરીકે ચલાવે છે. કદાચ જાણીબૂઝીને પણ કોઈને હેરાન કરવા આમ કરતા હશે. ટૂંકમાં લગભગ ૮૦ ટકા આરોપી વગર સજાએ સજા ભોગવે છે.

આજી અને માજી ન્યાયમૂર્તિઓએ જે ચેતવણી આપી છે કે ઊહાપોહ કર્યો છે એ પહેલીવારનો નથી. અનેક ન્યાયમૂર્તિઓએ, કાયદાવિદોએ, વખતો વખત કાયદાપંચે, કાયદાના રાજ માટે ખેવના ધરાવતી દેશ-વિદેશની સંસ્થાઓએ આ પહેલાં અનેકવાર ઊહાપોહ કર્યો છે. મેં મારી કૉલમમાં બે ત્રણ દાયકામાં ચાલીસ પચાસવાર લખ્યું હશે. કેમ આમાં કોઈ સુધારો નથી થતો? સરકાર ગમે તે પક્ષની હોય, વડા પ્રધાન લોકશાહીનિષ્ઠ હોય કે તાનાશાહ, ન્યાયતંત્રમાં સુધારો કરવામાં નથી આવતો.

આનાં મુખ્ય બે કારણ છે. એક તો એ કે ન્યાયતત્ર પાંગળું હોય, જજો ડરીને રહેતા હોય કે શાસકોને સાથ આપતા હોય, બને એટલા અભણ કે કાર્યદક્ષતાનો અભાવ ધરાવતા હોય એટલો સ્થાપિત હિતોને લાભ છે અને સૌથી મોટું સ્થાપિત હિત શાસકો ધરાવે છે. જો ન્યાયતંત્ર આજે છે એવું ન હોય અને જેવું હોવું જોઇએ તેવું હોય તો અડધાથી વધુ રાજકારણીઓ શાસકો જેલમાં હોય. બીજું કારણ આપણા બાપનું શું જાય એવી સરકારી અમલદારોની માનસિકતા. જ્યારે પણ કોઈ પ્રશ્ન કરે કે તરત કેસ અદાલતમાં ઘૂસાડી દો. તારીખ અને અપીલ વગેરે મળીને કમ સે કમ બે દાયકા સુધી ચુકાદો આપવાનો નથી અને ત્યાં સુધીમાં નિવૃત્ત થઈને બધા જ નિવૃત્તિ પછીનાં લાભો લઈને ઘરે અને કદાચ ઉપર જતા રહ્યા હઈશું. જરૂરી નિર્ણય ટાળવાને કારણે લોકોને કેટલું હેરાન થવું પડે છે તેની તેઓ ચિંતા કરતા નથી.

આજકાલ તો વળી સ્થિતિ એવી છે કે સર્વોચ્ચ સ્થાને બેઠેલા ન્યાયમૂર્તિઓ ન્યાયતંત્રને ડૂબાડી રહ્યા છે. પત્રકારો પત્રકારત્વને ડૂબાડી રહ્યા છે. રાજકારણીઓ રાજ્યતંત્રને ડૂબાડી રહ્યા છે અને ધર્મગુરુઓ ધર્મને ડૂબાડી રહ્યા છે. એક રીતે જે બની રહ્યું છે એ સારા માટે બની રહ્યું છે. નવનિર્માણ માટે કેટલીકવાર વિનાશ જરૂરી હોય છે. કાળચક્રમાં સુધારાઓ (કરેકશન) જરૂરી હોય છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 24 નવેમ્બર 2022

Loading

24 November 2022 Vipool Kalyani
← કસ્તૂર, મારી બાની ખોવાયેલી ડાયરી 
કલમ 32 એ ભારતીય બંધારણનું હૃદય અને આત્મા છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved