Opinion Magazine
Number of visits: 9447118
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નવી આરોગ્ય નીતિઃ આવકારની સાથે …

ચંદુ મહેરિયા|Opinion - Opinion|6 April 2017

દેશના 70 ટકા શહેરી અને 6૫ ટકા ગ્રામીણ (મોંઘી સારવાર ધરાવતાં) ખાનગી દવાખાના પર જ નિર્ભર છે

રાષ્ટ્રીય ગ્રાહક પંચે તાજેતરમાં મચ્છર કરડવાથી થયેલી બીમારીને કારણે થતા મોતને દુર્ઘટના ગણતો ચુકાદો આપ્યો. આ ચુકાદાથી વીમા કંપનીએ ગ્રાહકને વળતર આપવું પડશે. ગુજરાત સરકાર 2022 સુધીમાં રાજ્યને મેલેરિયામુક્ત કરવા દૃઢનિશ્ચયી છે. સરકાર મેલેરિયાપીડિત નાગરિકની ત્વરિત સારવાર માટે હેલ્પલાઈન શરૂ કરી રહી છે. મચ્છરજન્ય બીમારીના આ તાજા દાખલા દેશમાં અને રાજ્યમાં આરોગ્યક્ષેત્રે કેવી સ્થિતિ છે તેનાં દ્યોતક છે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે દોઢ દાયકાની પ્રતીક્ષા પછી જે નવી આરોગ્ય નીતિ જાહેર કરી, તે સ્વાગતાર્હ છે.

નવી આરોગ્ય નીતિ દેશના તમામ નાગરિકોને શિક્ષણ, અન્ન અને માહિતીના અધિકાર જેવો કોઈ આરોગ્યનો અધિકાર તો નથી આપતી, પણ ગરીબો-વંચિતોને સસ્તી અને યોગ્ય તબીબી સારવારની ખાતરી જરૂર આપે છે. આઝાદીના સિત્તેર વરસે સરકારને લોકોના આરોગ્ય માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પાયાની જરૂરિયાત લાગી છે તે સાચી દિશાની નીતિ છે. 2025 સુધીમાં સરકાર જી.ડી.પી.નો 2.5 ટકા હિસ્સો આરોગ્ય માટે ખર્ચવાનું પણ વચન આપે છે. આ નીતિમાં સરકારે કેટલાક રોગોને ચોક્કસ સમયમર્યાદામાં નાબૂદ કરવાનું કે તેમાં મોટો ઘટાડો કરવાનું પણ નક્કી કર્યું છે. બીમારી પછીની સારવારને બદલે સ્વસ્થ અને તંદુરસ્ત નાગરિક પણ સરકારની પ્રાથમિકતા છે.

દેશના બંધારણ મુજબ આરોગ્ય સંયુક્ત યાદીનો વિષય છે. એટલે કેન્દ્રની આરોગ્ય નીતિનો સ્વીકાર અને અમલ રાજ્ય પર આધારિત છે. પરંતુ હાલમાં દેશમાં જે પ્રકારની આરોગ્યની સ્થિતિ પ્રવર્તે છે તે ચિંતાજનક છે. ડૉક્ટરોની અછત છે તો ખાનગી સારવાર એટલી મોંઘી છે કે તે સામાન્ય માણસને પરવડે તેવી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)નો એક અહેવાલ ભારતમાં એક લાખની વસ્તીએ 80 ડૉક્ટરો છે તેમ જણાવે છે. ગામડાઓમાં લોકોની સારવાર કરતા કહેવાતા ડોકટરોમાંથી ત્રીસ ટકા તો યોગ્ય તબીબી ડિગ્રી વિનાના હોવાનું પણ તેમાં જણાવાયું છે.

ગરીબી અને ગંદકી લોકોને થતા રોગોના મૂળમાં છે. તેમાં ડૉક્ટરો અને દવાખાનાંનો અભાવ ઉમેરાતાં પરેશાની વધે છે. દસ હજારની વસ્તી દીઠ દવાખાનામાં માંડ નવ પથારીની સગવડ આપણે ધરાવીએ છીએ. ગરીબ માણસને ખાનગી દવાખાનાની મોંઘી સારવાર પોસાતી નથી અને સરકારી દવાખાનામાં સગવડ નથી. જો ગરીબ કે મધ્યમવર્ગના લોકોને ખાનગી દવાખાને સારવાર કરાવવી પડે તો તેની આર્થિક સ્થિતિ વધારે નાજુક બને છે. જો કે તેનો તે સિવાય છૂટકો નથી, કેમ કે દેશના 70 ટકા શહેરી અને 65 ટકા ગ્રામીણ લોકો ખાનગી દવાખાના પર જ નિર્ભર છે. નવી આરોગ્ય નીતિમાં સૌને માટે સ્વાસ્થ્ય કેટલું અઘરું છે તે આ હકીકત પરથી સમજાય છે.

કલ્યાણરાજ્યને વરેલી આપણી લોકશાહી સરકારો માટે જાહેર આરોગ્ય સાવ જ ઉપેક્ષિત છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આરોગ્ય પાછળ નજીવો ખર્ચ કરે છે. જી.ડી.પી.ના છ ટકા જાહેર આરોગ્ય માટે ખર્ચવાના વૈશ્વિક માપદંડથી આપણે ઘણા પાછળ છીએ. હાલમાં ભારત તેના જી.ડી.પી.નો માત્ર 1.04 ટકા જ ખર્ચ આરોગ્ય માટે કરે છે. બ્રાઝિલ જી.ડી.પી.ના 3.8 ટકા, રશિયા 3.7 ટકા અને ચીન 3.1 ટકા ખર્ચ કરે છે. અમેરિકાની ઓબામા હેલ્થ કેર યોજના કે બ્રિટનની 80 ટકા વસ્તીને આવરી લેતી જાહેર આરોગ્ય સેવાઓ અપવાદ છે પણ બાકીના વિશ્વમાં સ્થિતિ સંતોષજનક નથી. હવે ભારત સરકાર 2022 સુધીમાં જી.ડી.પી.ના 2.5 ટકા સુધી પહોંચવા જણાવે છે ખરી, પણ તે ઘણું અપૂરતું છે.

સ્વસ્થ નાગરિકની પાયાની શરત સ્વસ્થ બાળક અને સ્વસ્થ માતા છે. આ બાબતમાં ભારત સાવ જ તળિયે છે. ચોથા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેક્ષણનો તાજો અહેવાલ નોંધે છે કે દેશમાં દર એક હજારે 41 બાળકો જન્મતાં જ મૃત્યુ પામે છે. ઉત્તર પ્રદેશમાં તેનો દર હજારે 64,  છતીસગઢમાં 54, મધ્ય પ્રદેશમાં 51 અને બિહાર-આસામમાં 48 છે. પાંચ વરસની ઉંમરના કુપોષિત બાળકોનું પ્રમાણ દેશમાં 35.7 ટકા છે. પણ દેશનાં ઘણાં રાજ્યો આ રાષ્ટ્રીય સરેરાશથી વધુ ઊંચો દર ધરાવે છે.  બિહારમાં 48.3 ટકા, યુ.પી. 46.3 ટકા, ઝારખંડ 45.2 ટકા, મેઘાલય 43.8 ટકા અને મધ્ય પ્રદેશ 42 ટકા કુપોષિત બાળકો ધરાવે છે. 2025 સુધીમાં સરેરાશ આયુષ્યમર્યાદા વધારીને 70 વરસ કરવાનું લક્ષ નવી આરોગ્ય નીતિનું છે, પણ તેના માટે મોટો પડકાર શિશુ મૃત્યુ દર ઘટાડવાનો છે.

2030 સુધીમાં કેન્સર, ડાયાબિટીસ અને હૃદય સંબંધી બીમારીઓની સારવાર માટે ભારતમાં 41 લાખ કરોડ રૂપિયા ખર્ચાશે તેવો અંદાજ WHOનો છે. તેના પરથી આરોગ્યની ઉપેક્ષા સરકાર અને સમાજને કેટલી મોંઘી પડી શકે છે તે જણાય છે. રાજકીય ઈચ્છાશક્તિ જો જાહેર આરોગ્યના તંત્રને દૃઢ બનાવવાની નહીં હોય તો તે દેશના અર્થતંત્રને ખોરવી શકે તેમ છે તે સત્ય નીતિનિર્ધારકોએ સમજી લેવાની જરૂર છે. સમયબદ્ધ આયોજન અને પૂરતાં સંસાધનો લગાવીને ડૉક્ટરો અને દવાખાનાની અછત પૂરી કરવાની છે. આ દિશામાં દિલ્હીની આમઆદમી પાર્ટીની રાજ્ય સરકારના મોહલ્લા ક્લિનિકની યોજના ધ્યાનપાત્ર છે. દિલ્હી સરકારે અત્યાર સુધીમાં 107 મોહલ્લા ક્લિનિક શરૂ કરી દીધાં છે. તે 1000 મોહલ્લા ક્લિનિક બાંધવા માગે છે, પરંતુ સૌથી મોટો અંતરાય જમીનનો છે.

હવે સરકારી શાળામાં આવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો દિલ્હી સરકારને બાંધવા મંજૂરી મળી છે. આ દવાખાનાંમાં તમામ પ્રકારની સારવાર અને તબીબી તપાસ મફત કરવામાં આવે છે. મોટી અને અદ્યતન સાધન સુવિધાથી સજ્જ હોસ્પિટલોની સાથે લોકોની રોજબરોજની જરૂરિયાત માટે ઘરની નજીકના આવાં મહોલ્લા ક્લિનિક ખૂબ જરૂરી છે. એક જમાનામાં તબીબી વ્યવસાય એ સેવાનું ક્ષેત્ર હતો. આજે તે ધંધો બની ગયું છે. સેવાવૃત્તિ અલોપ થઈ ગઈ છે. તબીબી સારવાર એટલી મોંઘી છે કે માંદા પડવું હવે આર્થિક પાયમાલી તરફ લઈ જનારી બાબત બની ગઈ છે. 

હૃદયરોગ સંબંધી બીમારીમાં હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓ સંકોચાઈ જાય ત્યારે ડોકટરો જે સ્ટેન્ટ મૂકે છે તેના ભાવ હૃદય બંધ પડી જાય તેટલા લેવાય છે. આ વરસના ફેબ્રુઆરી મહિનામાં તમામ પાસાં વિચારીને કેન્દ્ર સરકારે રૂપિયા સિત્તેર હજારથી બે લાખે અપાતા સ્ટેન્ટનો ભાવ રૂપિયા ત્રીસ હજાર ઠરાવ્યો, તો તેનો ભારે વિરોધ થયો. તેમાં ન ફાવ્યા તો કૃત્રિમ અછત ઊભી કરી. આ એક જ ઉદાહરણ તબીબી ક્ષેત્રની પડતી અને સ્થિતિ દર્શાવે છે. તબીબી ક્ષેત્રમાં જે ધંધાદારી દલાલોનું ચલણ છે અને ડૉક્ટરો એ જ રસ્તે પ્રવૃત્તિ કરે છે તેના કારણે જેનેરિક દવાઓનો સરકારનો પ્રયાસ સફળ થતો નથી. હવે ખુદ સરકારે  દવાઓની દુકાનો શરૂ કરવી પડી છે. નવી આરોગ્ય નીતિ પંદર વરસ પછી આવી છે. તેની ઘણી બાબતો આવકારદાયક છે, તો કેટલીક ટીકાપાત્ર પણ છે. જોકે ખરો સવાલ તેના અમલનો છે.

સૌજન્ય : ‘એક્સ-રે’, “દિવ્ય ભાસ્કર”, 06 અૅપ્રિલ 2017 

Loading

6 April 2017 admin
← શાંતિ
જે દેશમાં કાળા આફ્રિકનો સાથે દુર્વ્યવહાર થતો હોય એ દેશ કયા મોઢે ઑસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકામાં ભારતીયો સાથે થઈ રહેલા અત્યાચારોનો વિરોધ કરશે? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved