Opinion Magazine
Number of visits: 9448730
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘નર્મદા વૅલીમાં સંહારની તૈયારી કરી રહેલી રાજ્યસત્તા’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|24 August 2017

સરદાર સરોવરના વિસ્થપિતોનાં સંપૂર્ણ પુનર્વસનની માગણી સાથે મેધા પાટકર અને તેમનાં દસેક સાથીદારો સત્ત્યાવીસ જુલાઈથી મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના ચિખલ્દા ગામમાં અચોક્કસ મુદતના ઉપવાસ પર હતાં. મેધાબહેનની તબિયત લથડતાં પોલીસે સાતમી ઑગસ્ટના સોમવારે તેમને બળપૂર્વક ઇન્દોરની હૉસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. તેમની સાથે ઉપવાસમાં જેમની તબિયત લથડી તે સાથીદારો પણ હતાં. મેધાબહેનને હૉસ્પિટલમાં બળપૂર્વક લઈ જવાનાં પગલાનો વિરોધ કરનારા નર્મદા બચાઓ આંદોલનના કાર્યકર્તાઓ પર પોલીસે લાઠીમાર પણ કર્યો હતો, જેમાં કેટલાક કાર્યકર્તાઓને ઇજા પહોંચી હતી. હૉસ્પિટલમાં મેધાબહેનને સારવારને નામે નજરકેદમાં રાખીને સંપર્કોથી દૂર રાખવામાં આવ્યા હતાં. નવમી ઑગસ્ટે મોડી બપોરે તેમને હૉસ્પિટલમાંથી છોડ્યાં બાદ તેઓ બડવાની તરફ જઈ રહ્યાં હતાં ત્યારે રસ્તામાં તેમની પોલીસે ધરપકડ કરી હતી અને તમને ધાર લઈ ગયાં હતાં. તેમનાં ઉપવાસી સાથીદારો અને ઘાયલ સમર્થકોમાંથી કેટલાંક હૉસ્પિટલમાં છે. મેધાબહેનની ધરપકડનો દેશ અને દુનિયાના કર્મશીલોએ વિરોધ કર્યો હતો. વિશ્વવિખ્યાત બળવાખોર અમેરિકન બૌદ્ધિક નોમ ચોમસ્કીએ પણ પહેલી ઑગસ્ટ નર્મદા બચાઓ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. એ પણ નોંધવું જરૂરી છે કે મેધાબહેનની સાથે સેંકડો લોકો વિરોધ કરી રહ્યા છે, ઉપવાસ પર બેઠાં છે અને પોલીસનો જુલમ-જાપ્તો સહન કરી રહ્યા છે. આ લખાય છે ત્યારે મેધાબહેન ધારની જેલમાં છે, સરકાર તેમની પર વધુ મુશ્કેલ કલમો લગાવવાની ફિરાકમાં છે અને આંદોલનના ટેકેદારો મોટી સંખ્યામાં ગિરફતારીનો વિરોધ કરી રહ્યા છે.

સાતમી ઑગસ્ટે નૅશનલ અલાયન્સ ફૉર પીપલ્સ મૂવમેન્ટસ (એન.એ.પી.એમ.) અને ભૂમિ અધિકાર આંદોલન સંગઠનોએ દિલ્હીમાં સંયુક્ત રીતે એક પત્રકાર પરિષદ યોજી હતી. તેનો હેતુ નર્મદા વૅલી અને પુનર્વસન સ્થળો પર ચાલીસ હજારથી વધુ પરિવારોના પુનર્વસનની પરિસ્થિતિ  અંગે મધ્ય પ્રદેશની સરકારના જૂઠાણાંનો પર્દાફાશ કરવાનો હતો. તે પત્રકાર પરિષદનો સાર ક્રૅકટિવિઝમ, ગણશક્તિ અને ઇન્ડિયા રેઝિસ્ટ્સ નામનાં  પોર્ટલ્સ પર નવમી ઑગસ્ટે મૂકાયો છે. તેમાં જણાવ્યા મુજબ  પત્રકારો સાથે વાત કરનાર નિષ્ણાતો હતાં : ઑલ ઇન્ડિયા કિસાન સભાના મહામંત્રી અને પૂર્વ સાંસદ હન્નન મોલ્લાહ (Hannan Mollah), ભારત જ્ઞાનવિજ્ઞાન જાથાના પર્યાવરણ અને ઊર્જા નિષ્ણાત સૌમ્યા દત્તા (Soumya Dutta) અને નૅશનલ ફેડરેશન ઑફ ઇન્ડિયાના વિમેનના મહામંત્રી ઍની રાજા (Annie Raja). 

આ નિષ્ણાત કર્મશીલોએ જણાવ્યું કે મધ્ય પ્રદેશની સરકાર નર્મદા વૅલીમાં અત્યારના સમયના  એક રાજ્યસંચાલિત માનવસંહારની તૈયારીમાં આગળ વધી રહી છે. નર્મદા બંધના દરવાજા બંધ કર્યા બાદ સરદાર સરોવર જળાશયના પાણીની સપાટી વરસાદને કારણે વધી રહી છે. નિમાડ પંથકમાં આવેલું ધર્મપુરી નામનું નગર અને ૧૯૧ જેટલાં ગામ ડૂબમાં જવાનાં છે. આ ગામોમાંથી  કેટલાંક પૂરેપૂરાં ડૂબવાનાં છે અને કેટલાંકનો મોટો હિસ્સો પાણીમાં જવાનો છે. નર્મદા બચાઓ આંદોલનના અંદાજ મુજબ આ ગામોમાં અત્યારે રહેતાં ચાલીસ હજાર જેટલા પરિવારોને હજુ પણ પુનર્વસનના હકો બિલકુલ અપાયા નથી, અથવા આંશિક જ અપાયા છે. જો કે સરકારના ખૂબ નીચા અંદાજ મુજબ અઢાર હજારથી વધુ પરિવારોનું પુનર્વસન હજુ બાકી છે.

મંદિરો, મસ્જિદો અને આદિવાસીઓનાં પૂજાસ્થાનો થઈને સેંકડો ધાર્મિક સ્થળો, શાળાઓ, આરોગ્ય કેન્દ્રો, હજારો દુકાનો, નાના-મોટા ધંધા-રોજગારનીની જગ્યાઓ, ફળ અને શાકભાજીની માવજતથી ઊછેરવામાં આવેલી વાડીઓ – એમ બધું જ ડૂબી જશે. સરકારી સમયપત્રક પ્રમાણે મોડામાં મોડું ઑક્ટોબરના પહેલા અથવા બીજા અઠવાડિયામાં આ થશે. કેટલાંક ગામોમાં પ્રાગૈતિહાસિક માનવવસવાટના નોંધપાત્ર પુરાતત્વીય પૂરાવા મળ્યા છે. કોઠાસૂઝ ધરાવતા ખેડૂત સમૂદાયોએ નર્મદા વૅલીને પ્રાચીન કાળથી અત્યાર સુધીના કાળમાં કુદરતી ઉત્પાદનોના ખજાના સમી બનાવી છે. અને છતાં આજે આપણે આ પાગલપનભરી તારાજી જોઈ રહ્યા છીએ – થોડાક મેગાવૉટ વીજળી માટે, અને મૃગજળ સમી અનિશ્ચિત સિંચાઈ માટે !

મધ્ય પ્રદેશની સરકારે બડવાની જિલ્લામાં નર્મદાકાંઠે આવેલી, મહાત્મા ગાંધીની સમાધિ રાતના અંધારામાં બાંધકામનાં યંત્રો વડે તોડવાનું નિંદનીય કૃત્ય પણ કર્યું છે.

નર્મદા યોજનાને કારણે વિસ્થાપિત થનાર પરિવારોનાં પુનર્વસન અંગે સર્વોચ્ચ અદાલતે ૨૦૦૦ અને ૨૦૦૫નાં વર્ષોમાં બે આદેશ આપ્યા છે. તેમાં એ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જમીન ગુમાવનાર દરેક અસરગ્રસ્ત પરિવારનું ‘જમીન માટે જમીન’ એવા સિદ્ધાન્ત મુજબ પુનર્વસન થવું જોઈએ. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું છે કે સરકારે આ પુનર્વસન વિસ્થાપનનાં છ મહિના પહેલાં, વિકાસ માટેના ઓછામાં ઓછા સત્તર નિયત  માપદંડો અનુસાર પૂરેપૂરા વિકસિત હોય તેવા વિસ્તારમાં ઘર માટેના પ્લૉટ આપીને કરવાનું છે. જેમની જમીન ગઈ નથી પણ આજીવિકા ગઈ છે તેવા અન્ય વિસ્થાપિતોનું પુનર્વસન આજીવિકાને થયેલા નુકસાનની ભરપાઈની રીતે કરવાનું છે. આ બધી બાબતો નર્મદા વૉટર ડિસ્પ્યુટસ ટ્રિબ્યુનલે તેના ૧૯૭૯ના આદેશમાં પણ જણાવી છે.

મધ્ય પ્રદેશની અને કેન્દ્રની સરકારે આ પૂર્વે સર્વોચ્ચ અદાલત સમક્ષ  ફરી ને ફરી જુઠાણું ચલાવ્યું છે કે પુનર્વસન અત્યારે ‘ઝીરો બૅલન્સ’ની સ્થિતિમાં છે, એટલે કે જે કોઈનું પુનર્વસન કરવું જરૂરી હતું તે દરેકનું પુનર્વસન થઈ ચૂક્યું છે. નર્મદા કન્ટ્રોલ ઑથોરિટીએ સામજિક ન્યાય મંત્રાલયની રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન માટેની પેટા સમિતિના તદ્દન નવા અહેવાલને આધારે બંધના સત્તર મીટર ઊંચા દરવાજા બંધ કરવાની અને તેના અનુસંધાને બંધની ઊંચાઈ ૧૩૮.૬૮ મીટર વધારવાની મંજૂરી આપી. આ નિર્ણય દ્વારા પણ પુનર્વસન પૂરું થઈ ગયું છે અથવા લગભગ થવામાં  છે એવો દાવો જાણે સાચો સાબિત કરવામાં આવ્યો!

સત્ત્યાવીસમી જૂને રીલિફ ઍન્ડ રિહૅબિલિટેશનની પેટા સમિતિના, હોદ્દાની રુએ વડા એવા કેન્દ્રના સમાજ કલ્યાણ મંત્રાલયના સચીવે એમ સ્વીકાર્યું કે ‘તેઓ જાણે છે’ કે ડૂબમાં જનારાં ગામોમાં હજુ પણ અઢાર હજારથી વધુ પરિવારો એવા છે કે જેમનું પુનર્વસન કરવું જરૂરી હોય. હજારો તોતિંગ વૃક્ષો પણ આ ગામોમાં ઊભાં છે, અને એ ન હોવા અંગેનો સરકારનો દાવો પણ જૂઠો છે. નર્મદા બચાઓ આંદોલન સાથે જોડાયેલાં ન હોય તેવાં જે અનેક સ્વતંત્ર જૂથોએ નર્મદા યોજનાના અસરગ્રસ્ત ગામોની ગયા ચાર મહિનામાં મુલાકાત લીધી અને  તેમનાં ધ્યાનમાં આવ્યું કે પુનર્વસન અંગે સરકારના દાવા મહદંશે ખોટા છે.

પુનર્વસન માટે નક્કી કરેલી ૮૮ સાઇટ્સમાંથી મોટા ભાગની જગ્યાઓ પર હજુ તો જમીન સમથળ કરવાની બાકી છે. તો પછી પીવાનું પાણી, એ જગ્યાએ પહોંચવાના ધોરી માર્ગો અને આંતરિક રસ્તા, ગટર, વીજળી, શાળા, આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓની તો વાત જ ક્યાં રહી!

સર્વોચ્ચ અદાલતનો આઠમી ફેબ્રુઆરીનો આદેશ આ મતલબનો છે : જેમની માલિકીની જમીનના પચીસ ટકા જેટલી જમીન પણ ડૂબમાં જઈ રહી હોય અને જેમણે હજુ સુધી કોઈ વળતર લીધું ન હોય તેમને સરકારે સાઠ લાખ રૂપિયાનું (ખેતીની પાંચ એકર જમીનની એ વિસ્તારમાંની અંદાજિત કિંમતનું) વળતર આપવું. ત્યારબાદ અદાલતે વારંવાર સ્પષ્ટતા કરતા આદેશ આપ્યા છે કે વળતરના હકદારોમાં પુખ્ત વયનાં સંતાનોને અલગ પરિવાર ગણવાનાં છે. પહેલાં જેમણે ૫.૫૮ લાખ રૂપિયાનું નજીવું વળતર લીધું છે, પણ જે અધિકારીઓ અને જમીનના દલાલોની સાંઠગાંઠથી છેતરાયા છે તેમને કુટુંબ દીઠ પંદર લાખ રૂપિયા આપવાનો આદેશ પણ અદાલતે આપ્યો છે. ઊંચા હોદ્દા પરના સરકારી અધિકારીઓની સંડોવણીથી વિસ્થાપિતોના વળતરમાં મોટાં કૌભાંડો થયાં. આ કૌભાંડોની તપાસ માટે મધ્ય પ્રદેશની વડી અદાલતે ઝા કમિશન નીમ્યું હતું. આ કમિશને ઝીણવટભરી તપાસ કરીને આપેલો અહેવાલ જોવા જેવો છે.

જો કે સર્વોચ્ચ અદાલતના છેલ્લા આદેશમાં એમ ઉલ્લેખ છે કે જો એક વાર ગામના લોકોનું પુનર્વસન થઈ જાય પછી સરકાર તેમના પર બળપ્રયોગ કરીને ગામ ખાલી કરાવી શકે છે. આ આદેશનું ખોટું અર્થઘટન મધ્યપ્રદેશની  સરકાર  કરી રહી છે. આ પુનર્વસન થયું છે એવો દાવો જ વિવાદાસ્પદ છે. પુનર્વસન હજુ ઘણું છેટું છે, ઘણા કિસ્સામાં તો એ નિષ્ઠાપૂર્વક શરૂ પણ થયું નથી. એ કરવાને બદલે મધ્ય પ્રદેશની સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી છે. આ પોલીસ ડરામણી કવાયતો કરે છે, ગામ લોકોને  ગામ ખાલી કરવા માટે ધાકધમકી કરે છે.

ગામ ખાલી કરીને જવાનું ક્યાં? પુનર્વસન માટે નક્કી કરેલી ઘણી જગ્યાઓ એવી છે કે જ્યાં પહોંચવા માટે રસ્તા જ નથી. ઘર બાંધવા માટેના પ્લૉટ પણ એવી  ઘણી જગ્યાઓ પર છે કે જ્યાં કાં તો ખડક હોય અથવા ખાડા! ઘણી સાઇટસ પર બ્લૅક કૉટન સૉઇલના મોટા થર છે. આવી જમીન પર ઘરનાં પાયા લેવા એ ખૂબ ખર્ચાળ બાબત છે. કેટલાંક સાઇટસ અને પ્લૉટસ એવા છે કે જેની વચ્ચેથી ચોમાસુ નાળાં પસાર થતાં હોય. ધરમપુરી કસબાની એક આવી જગ્યા પૂરઝડપે વહેતાં પહાડી ઝરણાની બિલકુલ બાજુમાં છે. આ ઝરણું દરેક સારા ચોમાસે આજુબાજુના વિસ્તારમાં નુકસાન કરે છે.

નર્મદા વૅલીમાં ધાકધમકીના ઓથાર હેઠળ જીવી રહેલાં સમૃદ્ધ અને શાંતિપ્રિય ખેડૂતોની સાથે કરવામાં આવેલા અમાનુષ વર્તન-વ્યવહારની કથાઓ અઢળક છે. આ બધાં પછી પણ હકીકત તો એ રહે જ છે કે ગુજરાતનાં જળાશયોમાં પાણી ભરાઈ ચૂક્યાં છે અને કેટલીક કૅનાલોમાં પાણીનું જોર વધવાને કારણે ભંગાણ પડવાથી ગુજરાતમાં પૂરની તીવ્રતા વધી છે.

આમાંથી ફલિત થાય છે કે સરદાર સરોવરના દરવાજા બંધ કરવાનો નિર્ણય ગુજરાત કે રાજસ્થાનના પાણીપૂરવઠા માટે લેવામાં આવ્યો નથી. પણ એ નિર્ણય ગુજરાતની ચૂંટણીઓ પર પ્રભાવ પાડવા માટેનું એક સાધન ઊભું કરવા માટે લેવામાં આવ્યો છે. નર્મદા વૅલીના લાખો લોકો ડૂબાડનારો આ નિર્ણય સરકારોના નિર્લજ્જ રાજકારણની પેદાશ જ ગણાય.

મેધાબહેને સાતમી ઑગસ્ટે તેમની ધરપકડના થોડાક જ સમય પહેલાં વોઈસ ક્લિપ પર આપેલો સંદેશ આવા વખતે ઉપયુક્ત છે :

આજ મધ્ય પ્રદેશ સરકાર હમારે બારવેં દિન અનશન પર બૈઠે હુએ બારહ સાથીયોંકો માત્ર ગિરફ્તાર કરકે જવાબ દે રહી હૈ. યે કોઈ અહિંસક આંદોલન કા જવાબ નહીં હૈ.

મોદીજી કે રાજમેં શિવરાજજી કે રાજમેં એક ગહરા સંવાદ નહીં હુઆ, જો હુઆ ઉસ પર જવાબ નહીં, આંકડોં કા ખેલ, કાનૂન કા ઉલ્લંઘન ઔર કેવલ બલપ્રયોગ જો આજ પુલીસ લાકર ઔર કલ પાની લાકર કરને કે ઉનકી મંશા હૈ. ઇસકા ઉપયોગ હમ લોગ ઈસ દેશમેં ગાંધી કે સપનોં કી હત્યા માનતે હૈ, બાબાસાહેબ કે સંવિધાન કો ભી ન માનનેવાલે, યે રાજ પર બૈઠે હૈ.

ઔર સમાજોં કે, ગાયોં કે, કિસાનોં કે, મજદૂરોં કે, મછુઆરોં કે (સમાજોં કી) કોઈ પરવાહ નહીં કરતે હૈં. યહ અબ ઇસ બાત સે સ્પષ્ટ હો રહા હૈ. ઉંન્હોંને બંદૂકોં સે હત્યા કી, ઔર યહાં જલહત્યા કરને કી મંશા હૈ, ઇસલિએ હમ ઉનકે બીચ મેં આ રહે હૈ ઐસા ઉનકા માનના હૈ. પહલે અનશન તોડો ઔર ફિર બાત કરો, યહ હમ કૈસે મંજૂર કર સકતે હૈ?

એક બાજુ મુખ્યમંત્રી ખુદ કહ રહે હૈ કી ટ્રિબ્યૂનલ કા ફૈસલા જો કાનૂન હૈ, ઉસકા અમલ પૂરા હો ચૂકા હૈ. દૂસરે બાજુ બોલ રહે હૈ અનશન તોડને કે બાદ ચર્ચા કરેંગે. ઇસકે સાથ જિન મૂદ્દોં (પર ચર્ચા કરની થી) સબ તો રખ ચૂકે હૈ. તો અબ યહ ચોટી પર જાના પડેગા, અહિંસક આંદોલન ઔર જવાબ સમાજને દેના પડેગા. નર્મદા ઘાટી કે લોગોં પર બહુત કહાર મચાને જા રહે હૈ. પ્રકૃતિ સાથે દે રહી હૈ, ગુજરાત પાનીમેં લબાલબ હૈ, યહાં પાની નહીં ભરા હૈ. લેકીન કલ ક્યા હોગા કૌન જાને?

બારહ અગસ્ત કો મોદીજીને અગર ઇસ મુદ્દે પર મહોત્સવ મનાયા ઔર જશ્ન મનાયા વહ ભી સાધુઓં કે સાથે ઔર બારહ મુખ્યમંત્રીયોં કે સાથ, તો ઉનકી સરકાર ઔર પાર્ટી કિસ પ્રકાર કે વિકાસ કો આગે ધકેલના ચાહ રહી હૈ . ઇસ દેશ કે કૌને કૌને મેં સંઘર્ષ પર ઉતરે સાથી કહ રહે હૈ, વહી બાત ફિર અધોરેખિત કરતે હૈ. હમ ઇતના ચાહતે હૈ કી ‘નર્મદાકા હો સહી વિકાસ, સમર્થકોં કી યહી હૈ આસ’ – યહ હમારા નારા કેવલ નર્મદા ઘાટી કે લિએ નહીં, દેશ મેં કોઈ ભી વિસ્થાપન કે આધાર પર વિકાસ માન્ય નહીં કરેં. વિકલ્પ વો હી ચુનેંગેં. યહી હમ ચાહતે હૈ.

૧૦ ઑગસ્ટ ૨૦૧૭

E-mail : sanjaysbhave@yahoo.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉગસ્ટ 2017; પૃ. 04-05

Loading

24 August 2017 admin
← How to Revive the spirit of Quit India Movement?
Indian Democracy →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved