Opinion Magazine
Number of visits: 9447958
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મોદી ફરી વડાપ્રધાન બનશે તો સેક્યુલર લોકતાંત્રિક ભારત સામે અસ્તિત્વનું સંકટ પેદા થશે

રમેશ ઓઝા|Opinion - Opinion|23 May 2019

આજે પરિણામો કોનાં પક્ષે કેવાં આવશે એ આપણે જાણતા નથી, પરંતુ સાત સંભવનાઓ છે અને તેને આધારે ભારતીય રાજકારણ કેવો વળાંક લેશે એ નક્કી થશે.

એક. જેમ ૨૦૧૪માં બન્યું હતું એમ નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે પાછા વડા પ્રધાન બને.

બે. બી.જે.પી.ને ૨૨૫ની આસપાસ બેઠકો મળે તો નરેન્દ્ર મોદી થોડીક વધુ વિસ્તારિત એન.ડી.એ.ની સરકાર રચે, જે ટેકનિકલી મોરચા સરકાર હોવા છતાં બી.જે.પી.ની લઘુમતી સરકાર વધુ હશે.

ત્રણ. બી.જે.પી.ને ૨૦૦ની અંદર બેઠકો મળે જેમાં બી.જે.પી.ના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સિવાય બીજું કોઈ હોય અને એ ખરા અર્થમાં મોરચા સરકાર હોય જે રીતે ૧૯૯૯-૨૦૦૪નાં વર્ષોમાં અટલ બિહારી વાજપેયીની સરકાર હતી.

ચાર. બી.જે.પી. ૧૫૦ બેઠકો સુધી નીચે આવી જાય અને વિરોધ પક્ષો મળીને સરકાર રચે જેને કૉન્ગ્રેસ અંદર જોડાઈને અથવા બહારથી ટેકો આપે. ઘણે ભાગે કૉન્ગ્રેસ સરકારમાં જોડાય એવી શક્યતા વધુ છે.

પાંચ. બી.જે.પી.ને બે-તૃતીયાંશ બેઠકો મળે.

છ. કૉન્ગ્રેસ મોરચા સરકારમાં વડા પ્રધાનપદનો દાવો કરી શકે એટલી, એટલે કે ૧૭૫ની આસપાસ બેઠકો મેળવે. એક રીતે જૂના યુ.પી.એ.નું પુનર્જીવન થાય અને

સાત. બી.જે.પી.નો શરમજનક કહી શકાય એવો કારમો પરાજય થાય.

આ સાત સંભવનાઓમાંથી છેલ્લી ત્રણ સંભાવનાઓ લગભગ અશક્યવત્ લાગે છે, પરંતુ જો  પાંચમી સંભાવના, એટલે કે બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળી તો લખી રાખજો, નરેન્દ્ર મોદીની સરકાર બંધારણ ઉપર હાથ નાખશે. સેક્યુલર લોકતાંત્રિક ભારત સામે અસ્તિત્વનું સંકટ પેદા થશે. હું નરેન્દ્ર મોદીને, બી.જે.પી.ને અને સંઘપરિવારને શંકાનો લાભ આપવામાં માનતો નથી. સેક્યુલર લોકતાંત્રિક ભારતમાં તેમની નિષ્ઠા નથી. જો એમ બનશે તો ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવા માટેનો વરસો જૂનો છૂપાવેલો એજન્ડા બહાર આવશે અને લાગુ પણ થશે. સૌથી વધુ કસોટી સર્વોચ્ચ અદાલતની થશે. બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળે એવી શક્યતા નથી જ નથી, પણ આ યુગમાં છાતી ઠોકીને કહેવું મુશ્કેલ છે.

આમ છેલ્લી સંભાવનાઓ ભલે અહીં નોંધી છે, પરંતુ સંભવ નથી લાગતી. શક્યતા ચાર છે અને તેનાં શું પરિણામો આવી શકે એની અહીં આપણે ચર્ચા કરવી છે.

જો સ્પષ્ટ બહુમતી સાથે નરેન્દ્ર મોદી ફરી વડા પ્રધાન બનશે તો ભારતનાં બીજાં પાંચ વરસ વેડફાશે જે રીતે ૨૦૧૪-૨૦૧૯નાં પાંચ વરસ વેડફાયાં છે. તેમની પાસે હિન્દુત્વનો એજન્ડા છે, આત્મરતિની આવડત છે; શાસનનો કોઈ એજન્ડા નથી અને આવડત તો જરા ય નથી એ વીતેલાં પાંચ વરસોએ બતાવી આપ્યું છે. એ દરમિયાન સ્વતંત્ર મીડિયાનું અને સ્વતંત્ર અવાજોનું ગળું ઘોંટવામાં આવશે અને લોકશાહી સંસ્થાઓને નિર્બળ બનાવવામાં આવશે. ટૂંકમાં લોકતંત્રનું કલેવર હશે પણ એમાં લોકતંત્રનો આત્મા નહીં હોય.

નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદવાળી બી.જે.પી.ની લઘુમતી સરકાર જો રચાશે તો એ નરેન્દ્ર મોદીની આ પહેલાની પહેલી મુદ્દતની સરકાર કરતાં વધુ અસરકારક અને પરિણામકારી નીવડશે. છેલ્લાં વર્ષોમાં જોવા મળ્યું છે કે સૌથી સરસ કામ લઘુમતી સરકાર કરે છે, બીજા ક્રમે સારું કામ મોરચા સરકાર કરે છે અને સૌથી નબળો દેખાવ બહુમતી સરકારનો હોય છે. પી.વી. નરસિહ રાવની સરકાર લઘુમતી સરકાર હતી અને તેને પરિણામે ભારતમાં આર્થિક ક્રાંતિ થઈ હતી. એ પછી બીજા ક્રમે અટલ બિહારી વાજપેયી અને ડૉ. મનમોહન સિંહની મોરચા સરકારોને મૂકવી જોઈએ જેણે પણ ઘણી સરસ કામગીરી બજાવી હતી. આની સામે રાજીવ ગાંધીની અને નરેન્દ્ર મોદીની બહુમતી સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. આમ નરેન્દ્ર મોદીની લઘુમતી સરકાર રચાશે તો તેમની પહેલી મુદ્દત કરતાં ઘણું સારું કામ કરશે, પરંતુ તેની કામગીરી નરસિંહ રાવની સરકાર જેવી તો નહીં જ હોય; કારણ કે નરેન્દ્ર મોદી કોઈ પણ બાબતે પી.વી. નરસિંહ રાવ જેટલી આવડત ધરાવતા નથી. આને કારણે ઉત્તમ તક મળે તો પણ એ જોઈએ એવું પરિણામ આપવાની નથી. 

જો બી.જે.પી.ને બસો કરતાં ઓછી બેઠકો મળે અને બૃહદ્દ એન.ડી.એ. સાથે નરેન્દ્ર મોદી સિવાય બી.જે.પી.ના બીજા કોઈ નેતા(મોટા ભાગે નીતિન ગડકરી અથવા રાજનાથ સિંહ)ના વડા પ્રધાનપદવાળી એન.ડી.એ.ની સરકાર રચાય તો મને એમ લાગે છે કે એ ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ હશે. એક તો સરકાર ટકાવવા કુણા પડીને શાસન કરવું પડશે. હિન્દુત્વનો એજન્ડા હાંસિયામાં ધકેલાઈ જશે અથવા વાજપેયી સરકાર વખતે બન્યું હતું એમ પાછલે બારણેથી બની શકે એટલો હળવો હિંદુ એજન્ડા લાગુ કરવામાં આવશે. બી.જે.પી.ને ૧૮૦થી ૨૦૦ વચ્ચે બેઠકો મળી હશે એટલે મોટા ભાગે તે મુદ્દત પૂરી કરશે અને દેશને સ્થિર સરકાર મળશે. સ્થિરની સ્થિર અને પરસ્પર અંકુશયુક્ત શાસન આજના યુગમાં ઉત્તમ વિકલ્પ છે એમ છેલ્લા સાડા ત્રણ દાયકાનો અનુભવ કહે છે.

જો બી.જે.પી. સરકાર રચી શકવાની સ્થિતિમાં નહીં હોય અને વિરોધ પક્ષો મળીને સરકાર રચશે તો ત્રણ પ્રશ્નો અગત્યના હશે. પહેલો પ્રશ્ન એ કે કૉન્ગ્રેસ  સરકારમાં જોડાશે કે નહીં? જો કૉન્ગ્રેસ  જોડાય – અને તેવી શક્યતા ઘણી વધુ છે – તો જ મોરચા સરકાર સ્થિર શાસન આપી શકે. બીજો પ્રશ્ન એ છે કે વડા પ્રધાન કોણ બનશે? શરદ પવાર જેવી કોઈ પીઢ વ્યક્તિ વડા પ્રધાન બને તો જ આપસી હુંસાતુંસીને મેનેજ કરી શકે. જો કે એક સમયે સોનિયા ગાંધી વડા પ્રધાન બને તેનો વિરોધ કરી ચૂકેલા અને કૉન્ગ્રેસમાંથી બહાર પડેલા પવારને સોનિયા ગાંધી માફ કરશે કે કેમ એ એક સવાલ છે. ત્રીજો સવાલ એ છે કે એ પછી પણ મોરચા સરકાર મુદ્દત પૂરી કરી શકશે કે કેમ?

આજ સુધી આવો પ્રયોગ સફળ નથી થયો. કૉન્ગ્રેસ અને બી.જે.પી. નામના બે મુખ્ય પક્ષના નેતૃત્વમાં રચાયેલા મોરચા(અનુક્રમે યુ.પી.એ. અને એન.ડી.એ.)ઓએ સ્થિર અને સફળ શાસન આપ્યું છે, પરંતુ આ બે મુખ્ય પક્ષોના નેતૃત્વ વિનાની મોરચા સરકાર આજ સુધી સફળ નથી નીવડી. એક પણ નહીં. કેન્દ્રમાં પણ નહીં અને રાજ્યોમાં પણ નહીં. એટલે જ જો ત્રીજા મોરચાની સરકાર રચાય તો કૉન્ગ્રેસનું સરકારની અંદર હોવું જરૂરી છે. જો કે કૉન્ગ્રેસ  સરકારમાં હોય એ પછી પણ મોરચા સરકાર મુદ્દત પૂરી કરશે જ એની કોઈ ખાતરી નથી.

તો સંભવનાઓ સાત છે. છેલ્લી ત્રણ સંભાવના સાચી પડે એવી શક્યતા નહીંવત્ છે. રહી પહેલી ચાર એમાં અત્યારની સ્થિતિ જોતા ત્રીજો વિકલ્પ દેશહિતમાં શ્રેષ્ઠ હશે.

22 મે 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 મે 2019

Loading

23 May 2019 admin
← દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, તેની સાથે માણસનો વિનાશ પણ જોડાયેલો છે
ભારતીય દંપતી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved