Opinion Magazine
Number of visits: 9485298
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મન્તવ્યજ્યોત (૧૯) : સાક્ષરજીવન : સહૃદય વાચક અને તોતારટણ 

સુમન શાહ|Opinion - Literature|9 December 2022

એ સાહિત્યપુરુષ, સર્જક-કલાકાર, પોતાનાં લેખન-સર્જન પ્રકાશિત કરે છે ત્યારે પોતાના સ્વીકારનું કામ ભલે સહૃદયસમાજ પર કે સમીક્ષકમંડળી પર છોડતો હોય, એને એ કક્ષાની રીડરશિપની પરવા તો હોય જ છે.

મારી દૃષ્ટિએ, સર્જકે સર્જન દરમ્યાન એક સહૃદય વાચકને તો લેખામાં લીધો જ હોય છે, અને, એ એક તે એ પોતે ! એ વાચકને સર્જક ‘બરાબર છે? બરાબર છે?’ એમ મનોમન પૂછતો રહે છે, ‘ના’ આવે, તો સુધારા કરતો રહે છે. સર્જનપ્રક્રિયામાં અનુસ્યૂત આ વાચકને અવર રૂપે ‘ટાર્ગેટ’ કે ‘ઇમ્પ્લાઇડ’ રીડર કહી શકીએ.

પણ વાત નાનો વળાંક લે છે : સર્જકની કૃતિ શબ્દોની બની હોય છે, એ એક ભાષિક હસ્તી હોય છે – લિન્ગ્વિસ્ટિક ઍન્ટિટી. તેથી, ટાર્ગેટ કે ઇમ્પ્લાઇડ રીડર, જે હોય એ, કૃતિને ત્યારે જ પામી શકે જ્યારે કૃતિ જે ભાષામાં લખાઈ હોય તેને એ જાણતો હોય. દાખલા તરીકે, આ લખાણને ગુજરાતી ભાષક જ ઉકેલી શકશે. આમ, રીડર ઉત્તમ કે ઉત્તમોત્તમ કોટિનો હોય તો પણ એની પાસે તે ભાષાનું જ્ઞાન હોય એ એક અનિવાર્ય શરત બની રહે છે.

ભાષાજ્ઞાન પછીની બીજી અનિવાર્ય શરત એ છે કે સર્જકે સરજ્યું હોય તેને એ પામી શકવો જોઈએ. એટલે કે, શબ્દોના અર્થ તો એ સમજતો જ હોય પણ આ અર્થ આમ કેમ છે અને આ આમ કેમ નથી જેવી મૂંઝવણને અન્તે કોઈ એક અર્થ પર તેનું મન ઠરવું જોઈએ – જેથી કહી શકીએ કે એ એને પામ્યો છે. પામવાની આ વાતને સામાન્યપણે અર્થઘટન કહે છે.

વાત હવે મુશ્કેલ બને છે : પ્રશ્નો ઊભા થાય છે : વાચકે કર્યું તે અર્થઘટન સાચું હશે? એટલે કે, સર્જકને અભિમત હોય તે જ એ હશે? સહૃદયસમાજે કે સમીક્ષકમંડળીએ કર્યું તે સાચું હશે? સર્જકને અભિમત હોય એને જ સાચું શું કામ લેખવું જોઈએ? આ પ્રશ્નોના સર્વસ્વીકાર્ય અને છેલ્લા ઉત્તરો કદી મળ્યા નથી, મળશે પણ નહીં.

મુખ્ય કારણ એ છે કે સાહિત્યનું ઉપાદાન ભાષા છે, સાહિત્ય શબ્દોની સૃષ્ટિ છે. અને ભાષા સર્જકે વાપરી તે સૌ કોઈ વાપરે છે ને તેથી અનેક સ્વરૂપનાં ભાષાસામર્થ્ય જોવા મળે, અનેક સ્વરૂપના ભાષાપ્રયોગ જોવા મળે. હું જેને સાચું કહું તેને કોઈ પણ ગુજરાતી ભાષક ખોટું ઠેરવી શકે. તદનુસાર, રોજિંદા વ્યવહારમાં પણ અનેક અર્થઘટનો જોવા મળે. અને, સાહિત્યમાં તો અનેકશ: અનેક મળે જ મળે.

એટલે એક રોમૅન્ટિક કહેતી સ્થિર થયેલી સાંભળવા મળશે : સાહિત્યકૃતિનો એક અર્થ ન હોય, તેના અનેક અર્થ હોય. લોકો એટલે લગી કહેતા સાંભળવા મળશે : જેના અનેક અર્થ કરાતા હોય તે કૃતિને ઉત્તમ કહેવાય.

મને લાગે છે, આ કારણ વગરની મોટાઈનો દેખાડો છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રી તો આટલું જ કહે છે : મુખ્યાર્થનો બાધ થાય છે, તો લક્ષ્યાર્થ કરો; લક્ષણાનું પ્રયોજન વિચારીને વ્યંગાર્થને પામો. દાખલા તરીકે : ગંગાયામ્ ઘોષ: – ગંગામાં ઝૂંપડું. પણ નદી’માં’ ઝૂંપડું ન હોઇ શકે, તેથી, સમજીએ છીએ કે, ગંગા’કિનારે’ ઝૂંપડું છે. વિશેષે એમ પણ સમજીએ છીએ કે ગંગા નદીની શીતળતા અને પવિત્રતા જેમાં છે એવું છે એ ઝૂંપડું.

આ ઉપરાન્તના અર્થ કરીએ તો સામાન્યપણે કૃતિની ટૅક્સ્ટ તો ‘ના’ જ પાડશે. તેમ છતાં, સાહિત્યના વૈશેષિક વિદ્વાનો કહેતા-લખતા હોય છે : આ ઉક્તિ એમ દર્શાવે છે કે ભારતમાં પ્રાચીનકાળે ઋષિમુનિઓ નદીકિનારે તપ કરતા હતા ને આ સ્વરૂપનાં ઝૂંપડાંમાં નિવસતા હતા; કેવા સાદા ને સરળ હતા, જ્યારે આજે તો કોને ઋષિ ગણવો ને એ તપ કરે છે કે શું કરે છે ને ક્યાં કરે છે, ભગવાન જાણે. વગેરે.

Pic courtesy : African grey parrots

કૃતિભાષા જાણતો ન હોય, એટલે કૃતિને તો પામ્યો જ ન હોય, છતાં આવી વિદ્વત્તા છાંટે. બને છે એવું કે એવાં છાંટણાંથી છંટાયેલાં બાબા-બેબી સાઇઝના વિદ્વાનો તોતારટણ કરવા માંડે છે. દાખલા તરીકે, સુજ્ઞ સહૃદયે સ્વના રસાનુભવે કહ્યું હોય કે – આ વ્યક્તિનિષ્ઠ પ્રેમનું સમષ્ટિનિષ્ઠ પ્રેમમાં થયેલા રૂપાન્તરનું નાટક છે, તો એ જ વિધાનને એઓ વહેતું કરી દે છે.

આજની પરિભાષામાં કહીએ તો એ જ વિધાન વાયરલ થઈ જાય છે. બૅન્ડવેગન ટાઇપની ઍક્ટવિટી શરૂ થઈ જાય છે. સાહિત્યિક વાતાવરણમાં એ જ ફુગ્ગા ને એ જ ટુક્કલો ઊડ્યા કરે છે. મોટી કરુણતા પણ સરજાય છે : બીજા એવા જ અધ્ધરિયા નીકળી આવે છે ને બોલવા માંડે છે – ના ના, પ્રેમનું રૂપાન્તર શક્ય જ નથી, તમારી વાત ખોટી છે, પ્રેમ પ્રેમ હોય છે…

આ false extrapolation છે – મિથ્યા બહિર્વેશણ. કૃતિના રસાનુભવની ગેરહાજરીમાં વિસ્તરતી વ્યર્થ વિદ્વત્તા. એને ઓળખતાં આવડવું જોઈશે, અને પછી, પોતાથી એમાં ન જોડાઈ જવાય તેની કાળજી રાખતાં પણ આવડવું જોઈશે.

= = =

(December 8,2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

9 December 2022 Vipool Kalyani
← સાતમીવાર, ભાજપ સરકાર … 
Home, Partition, and Postcards: A Reminder of Shared India-Pakistan History →

Search by

Opinion

  • વિજયી ભવઃ
  • સામાજિક ભેદભાવની સ્વીકૃતિનાં ઊંડાં મૂળ 
  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved