Opinion Magazine
Number of visits: 9449301
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી?’

રમેશ સવાણી|Opinion - Opinion|13 November 2023

[ભાગ-1]

હજુ ગુજરાત રાજ્યનો જન્મ નહોતો થયો; ત્યારે સૌરાષ્ટ્ર રાજ્યના ધારાસભ્યોમાં કેવો જુસ્સો હતો / કેવી કર્તવ્યનિષ્ઠા હતી / કેવી પ્રમાણિકતા હતી / મૂલ્યો માટે લડવાની કેટલી હિમ્મત હતી તે જોઈએ ત્યારે 2023માં જે ધારાસભ્યો છે તેમની તરફ દૃષ્ટિ કરતા ભારે નિરાશા ઉપજે છે. હાલના ધારાસભ્યો લોકોને પ્રતિબદ્ધ નથી, પક્ષના ગુલામ છે. ફરી ટિકિટ નહીં મળે તેની ચિંતા તેમને સતાવે છે. જૂની કોઈ ફાઈલ ખોલી સત્તાપક્ષ હેરાન કરશે એ ડર પણ હોય / સ્વાર્થ હોય; પણ લોકોના પ્રશ્નો અંગે લડત કરવાની ત્રેવડ ધારાસભ્યોએ ગુમાવી દીધી છે. કનુભાઈ કલસરિયા જેવા એકાદ ધારાસભ્ય લોકોના પ્રશ્નો ઉઠાવે તો તેમને પક્ષ છોડવો પડે છે અને તેમને હરાવવા સત્તાપક્ષ નેવાનાં પાણી મોભે ચડાવે છે. દુ:ખની બાબત એ છે કે લોકો પણ પોતાના પ્રશ્નો ઊઠાવનાર કર્તવ્યનિષ્ઠ ઉમેદવારને ચૂંટણીમાં હરાવે છે. જ્ઞાતિ / જાતિ / ધર્મ / સંપ્રદાયને કેન્દ્રમાં રાખીને લોકો માયકાંગલા / ક્રિમિનલ / તડિપાર ધારાસભ્યને ચૂંટે છે અને પછી પેટ ભરીને પસ્તાય છે !

1936માં ભાવનગરના પ્રગતિશીલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ચોગઠ ગામમાં પધાર્યા હતા. એમની સાથે કેળવણી ખાતાના અધિકારી પણ હતા. મહારાજાની નીતિ હતી કે લોકો સાથે સીધો સંપર્ક કરવો. રુબરુ જઈ લોકોના પ્રશ્નો જાણવા. ગામના ઉતારામાં માનવમેદની ઉમટી હતી. બધી રીતરસમો પૂરી થયા બાદ મહારાજાએ પૂછ્યું : “ગામમાં કોઈને મૂંઝવણ છે? કાંઈ ફરિયાદ છે? છે કોઈની રાવ? જેમને કહેવું હોય તે ખુશીથી કહો.” સભામાં કેટલાક આગેવાનો બેઠાં હતાં તેમણે કહ્યું કે ‘મહારાજ ! રૈયતને સુખ શાંતિ છે. આપના રાજ્યમાં ફરિયાદ શેની હોય? આપની મહેરબાનીથી બધી વાતે સારું છે.’

છગનભાઈ પટેલ

ત્યાં બધાંના આશ્ચર્ય વચ્ચે સભામાંથી એક 22 વરસના જુવાનનો હાથ ઊંચો થયો. બાજુમાં બેઠેલા લોકોએ એ જુવાનનો હાથ પાછો ખેંચવા પ્રયત્ન કર્યો. આગેવાનોએ કહ્યું કે ‘મહારાજ, એ તો અમસ્તો, એવું કાંઈ નથી…’ પરંતુ મહારાજાએ એ જુવાનને પોતાની પાસે બોલાવ્યો. જુવાને કહ્યું કે “ગામના માસ્તરો પૂરું ભણાવતા નથી ! અને ગામમાં કજિયો થાય તેવું કરે છે.”

કૃષ્ણકુમારસિંહજી એ જુવાનની પીઠ થાબડી સધિયારો આપ્યો. શિક્ષકોને શિક્ષણમાં ધ્યાન આપવા અને ગામમાં સંપ વધે તેવું કરવા સૂચના કરી.

આ જુવાને પછી 1945 થી 1962 દરમિયાન 17 વરસ સુધી ધારાસભ્ય તરીકે રહી લોકોના આદર્શ પ્રતિનિધિ કેવા હોય તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. આ જુવાન એટલે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના છગનભાઈ પટેલ (9 જુલાઈ 1914 – 4 ફેબ્રુઆરી 1976). તેમની અટક ગોપાણી હતી. તેમનો અભ્યાસ માત્ર 4 ચોપડી સુધીનો હતો. પરંતુ કુદરતે તેમને બૌદ્ધિકતા અખૂટ આપી હતી. તેમનો પહેરવેશ કાયમી એક સરખો રહ્યો હતો; ચોરણો / કફની / બંડી / ખંભે ખેસ / માથે પાઘડી. બધું ખાદીનું. પડછંદ કાયામાં તેઓ જાજરમાન લાગતા હતા. તેમની વિશેષતા એ હતી કે ગામના નાનામાં નાના દલિત માણસ પણ તેમની ઓસરીમાં બેસી ચા-પાણી પીઈ શકતા હતા. તેમણે 1976માં અંતિમ શ્વાસ લીધા ત્યારે 33 હજારનું દેવું મૂકીને ગયા હતા !

ભાવનગર રાજ્યના દિવાન અનંતરાય પટ્ટણીના સમયે એક ખાનગી કંપનીએ ધોળા ખાતે એક ખાંડનું કારખાનું ઊભું કરેલ. આ કારખાના માટે કાચા માલ તરીકે શેરડી પૂરી પાડવા દિવાને, ખેડૂતોએ ફરજિયાત શેરડી પૂરી પાડવા કાયદો કર્યો હતો. એક જોડી બળદ રાખતા હોય તેવા ખેડૂતોએ ફરજિયાતપણે 48 ગૂંઠા (3 વીઘા) શેરડી વાવવી અને તે શેરડી છેક ધોળાના કારખાને પહોંચાડવી પડતી ! આ શેરડીનો ભાવ એક મણના ફક્ત 6 આના (36 પૈસા) રાખવામાં આવ્યો હતો. એક જોડી બળદવાળા ખેડૂતની જમીન બહુ ઝાઝી હોય નહીં. જે કાંઈ જમીન હોય તેમાંથી ત્રણ વીઘા જમીનમાં શેરડી વાવવામાં આવે તો 12 મહિના સુધી પાણી પાવા માટે કોસ ચલાવવામાં જ બળદ રોકાયેલા રહે ! બાકીના ખેતીના કામો થઈ ન શકે. ખેડૂતો શેરડી સિવાયનું કોઈ કામ કરી શકે નહીં અને એક વર્ષ કાળી મજૂરી કરે ત્યારે શેરડીના એક મણે ફક્ત 6 આના મળે ! આ હળાહળ અન્યાય હતો, ખેડૂતોમાં ગણગણાટ થયો. સૌના મનમાં રોષ હતો પરંતુ રાજના હુકમ આગળ સૌ લાચાર હતા.

ઉમરાળામાં ગાંધીચિંધ્યા માર્ગે સવિનય કાનૂનભંગ જેવી લડત માટે એક વિશાળ સભાનું આયોજન થયું. હજારો ખેડૂતો હાજર રહ્યા. તેમાં છગનભાઈએ આગેવાની લીધી અને શેરડી મોકલવાનું બંધ કરવાની હાકલ કરી. રાજ્યના આદેશનો ભંગ થવાથી પોલીસ અધિકારીએ તેમને પકડીને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સમક્ષ રજૂ કર્યા. છગનભાઈએ કહ્યું : “રાજ્યના ઘોડાઓને ખવડાવવાના ઘાસનો ભાવ મણના 4 આના છે. ઘાસને ઉગાડવા મહેનત કરવાની હોતી નથી. તે આપોઆપ વગર પાણીએ અને ખેડખાતર વિના ઊગે છે. જ્યારે 12 મહિના સુધી પાણી પીવડાવીને, ખાતરખેડ વગેરે બધું કર્યા પછી શેરડીને છેક ધોળા પહોંચાડવા છતાં એનો ભાવ ફક્ત 6 આના ! મણ ઘાસનો ભાવ 4 આના અને મણ શેરડીનો ભાવ 6 આના ! શું આ અન્યાય નથી? આપની આજ્ઞા છે એટલે હું સજા ભોગવવા તૈયાર જ છું પરંતુ આપને વિનંતી છે કે મારી આ વાત મહારાજા સુધી પહોંચાડવામાં આવે.” પોલીસ અધિકારી સારા હતા. તેમણે દિવાન દ્વારા આ વાત મહારાજા પાસે પહોંચાડી. મહારાજાએ ખેડૂતોને ફરજિયાત શેરડી મોકલવામાંથી મુક્ત કર્યા !

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 November 2023 Vipool Kalyani
← દિવાળીનો आकाशकंदील 
સદ્દગત આચાર્ય ભાલચન્દ્ર જોશી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved