Opinion Magazine
Number of visits: 9504384
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માલિનીબહેન ગયાં

ભદ્રા સવાઈ|Opinion - Opinion|9 October 2018

માલિનીબહેન જ્યોતિભાઈ દેસાઈ અનંતની યાત્રાએ ઊપડી ચૂક્યાં છે. તા. ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૮ને શુક્રવારે ૧૧ઃ૧૫ કલાકે તેમણે શાંતિથી જીવ છોડ્યો.

તેઓની જીવનયાત્રા લાંબી રહી. ૨૪-૭-૧૯૨૪ના રોજ એમનો જન્મ થયો હતો. એમ.એ., બી.એડ્.નું શિક્ષણ એમણે મેળવ્યું હતું. યુક્ત પ્રાંતોમાં સ્પીકરપદે આત્મારામ ખેરનાં પુત્રી માલિનીબહેન ગાંધી રંગેરંગાયેલાં હતાં. એટલે એવી જ સંસ્થામાં કામ કરવું એવું ઇચ્છતાં હતાં. તેથી મુંબઈ પાસે બોરડીમાં ગુજરાતને તારાબહેન ગિજુભાઈનાં સહકાર્યકર લેખે સુપરિચિત તારાબહેન મોડક સાથે કામમાં જોડાયાં. જ્યોતિભાઈ પણ ત્યાં કાર્યરત હતા. કેટલાક પ્રશ્નો અંગે જ્યોતિભાઈએ સંસ્થા છોડવાનો વિચાર કર્યો. માલિનીબહેને ય સંસ્થા છોડી પણ જ્યોતિભાઈનો સાથ ન છોડ્યો. જો કે માલિનીબહેનની ક્ષમતાને કારણે સંસ્થા સંચાલકો તેમને છોડવા માંગતા ન હતા, પણ ઈશ્વરઇચ્છા બલિયસી. લોકભારતીમાં બંનેએ શિક્ષણનું કાર્ય આગળ ધપાવ્યું. વિદ્યાર્થીઓની ખૂબ ચાહના મેળવી, પણ તે ગાળામાં ગાંધી વિદ્યાપીઠ, વેડછીમાં જી.બી.ટી.સી. (બી.એડ્.) શરૂ કરવા માટે જુગતરામકાકાનું તેડું આવ્યું. બંનેએ એ વિભાગ શરૂ કર્યો.

હું પણ કાકાના કહેવાથી મહાવિદ્યાલયમાં જોડાઈ. અમારો પરસ્પરનો પ્રેમ ૧૯૬૮થી અકબંધ રહ્યો છે. એ દિવસોમાં બી.એડ્.ના અધ્યાપકો માટે રહેવાની પૂરતી સગવડ ન હતી. જ્યોતિભાઈને ભાગે ત્રણ ઓરડા આવેલા. માલિનીબહેને એમાં એમનો ઘરસંસાર ગોઠવી દીધેલો. સાથે નાનકડી સ્વાતિનો રૂમ પણ ખરો. પણ સંડાસની સગવડ ન હતી. સામે અમારું ક્વાર્ટર હતું. વરસતા વરસાદમાં, અડધી ટૉર્ચ લઈને ક્યારેક તેના ઉપયોગ માટે આવવું પડતું. તે માટેની ફરિયાદ કે અકળામણ કાઢતાં મેં જોયાં નથી. આજે આ શક્ય બને? બંને માટે ગાંધીવિચાર મહત્ત્વનો હતો. તેનું કાર્ય મહત્ત્વનું હતું. અનેક અખતરા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ અંગે જ્યોતિભાઈ કરતાં જ રહે અને માલિનીબહેન પ્રેમથી ભળતાં રહે.

માલિનીબહેન સ્વભાવે સરળ હતાં છતાં પોતાના સ્વમાન માટે સદા જાગ્રત રહેતાં. બહેનોના પ્રશ્નો અંગે તો જાગ્રતપ્રહરી હતાં.

બહેનો શિક્ષણકાર્ય સંભાળે અને કુટુંબને પણ સંભાળે. બે મોરચે કામ થતું હોય ત્યારે બંને વચ્ચે ઘરકામની વહેંચણી પણ હોવી જોઈએ એવું તેઓ બંને માનતાં. જ્યારે મિટીંગો પતાવીને સાંજે ઘરે આવે ત્યારે જ્યોતિભાઈ ધોવાનાં કપડાં લઈને સ્નાનઘર તરફ જતા હોય. માલિનીબહેન સિલાયના સંચા પર સાંધતાં હોય.

પ્રેમ, ઉષ્મા, વ્યવહારિકતા, મમતા, પારિવારિકતા, જવાબદારી એવા કંઈ કેટલા ય ભાવને એકસાથે ઝીલતો, જીરવતો સંબંધ માલિનીબહેનનો સમાજ સાથેનો હતો. પોતાની સાથે કાર્યરત કાર્યકરોનાં કુટુંબો સાથેનો ઘરોબો એમણે કેળવ્યો હતો પણ તેમાં ક્યાંયે કૂથલી નિંદાને સ્થાન ન હતું. બધા સાથે જીવંત સંબંધો હતા. આજે સંસ્થાઓમાં આ પાસું ખૂટે છે. હવે તો મોઝદાની તેમ ‘ભૂમિપુત્ર’ ખાતેની કામગીરીથી સુપ્રતિષ્ઠ પુત્રી સ્વાતિનાં મિત્રો સાથે પણ એ સહજતાથી, સરળતાથી ભળી જતાં. તેમની સ્વાતિનું ઘર એ પોતાનું જ ઘર લાગે એવો પ્રેમ આપતાં માલિનીબહેન અંતિમ સમયે વડોદરામાં સ્વાતિ-માઈકલના ઘરે જ ગાળ્યો.

આવાં પ્રેમાળ વત્સલ માલિનીબહેનના આત્માને વંદન. શુભમંગલ હો.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 13

છવિ સીજન્ય : સ્વાતિબહેન દેસાઈ

Loading

9 October 2018 admin
← સ્વતંત્રતા
ગુજરાતની ઘટનાઓ: આપણે આપણા જ પગને કાપી રહ્યા છીએ, પરંતુ ટોળાંનું કલોરોફૉર્મ છે એટલે નુકસાન નજરે પડતું નથી →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved