Opinion Magazine
Number of visits: 9446802
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

મહિલાની લગ્નવયમાં વધારો : ફક્ત ઉંમર એ લગ્નનો માપદંડ ન હોઈ શકે

મિતાલી સમોવા|Opinion - Opinion|2 March 2022

છોકરીઓ માટે લગ્નની ઉંમર ૨૧ વર્ષ કરવાનો ખરડો સંસદમાં રજૂ થયો છે, એટલે કાયદામાં જલદી સુધારો થઈ જશે એમ માનીને ચાલીએ, જે રાબેતા મુજબ બૅકફાયર થાય તો નવાઈ નહીં, કેમ કે આ ભારતીય સમાજવ્યવસ્થા અને ઈવન બાયોલૉજિકલી પણ આ થોપેલો નિર્ણય હશે. આમાં છોકરીઓની ભલાઈ, એટલીસ્ટ, મને તો નથી દેખાતી. ના, બધા કરતાં અલગ અભિપ્રાય આપીને મારી જાતને હોશિયાર બતાવવાનો બિલકુલ પ્રયત્ન નથી આ, મારી પાસે તેનાં પૂરતાં કારણો છે!!

કેટલાં માતા-પિતા જેન્યુઇનલી દીકરીને આત્મનિર્ભર બનાવવા અથવા તેની પોતાની પ્રતિભા ઉજાગર કરી શકે કે સપનાંઓ પૂરાં કરી શકે એટલે ભણાવે છે કે નોકરી કરાવે છે એવું લાગે છે તમને? મને હાર્ડલી ૫-૧૦% પેરેન્ટ્સ, બાકીના ૯૦-૯૫% પેરેન્ટ્સ દીકરીને એટલે જ ભણાવે છે કેમ કે લગ્ન માટે છોકરો ભણેલી અને સ્માર્ટ પત્ની માંગે છે. છોકરો ડૉક્ટર હોય તો છોકરી પણ ડૉક્ટર જોઈએ, છોકરો સરકારી નોકરી કરતો હોય તો છોકરી પણ સરકારી નોકરી કરતી હોવી જોઈએ, ભલે પછી લગ્ન પછી તો ઘર જ સંભાળવાનું હોય. પણ પોતાં મારવામાં પાયથાગોરસના સિદ્ધાંત વાપરતાં આવડતા હોવા જોઈએ છોકરીને. ઇન કેસ, ભૂતકાળની જેમ જ ભણેલા છોકરાઓ જો અભણ છોકરી ચલાવતા થઈ જાય તો તમે શું માનો છો, કેટલા પેરેન્ટ્સ લગ્નના બજારમા ડિમાન્ડ ન હોય તો પણ પોતાની દીકરીઓને ભણાવવાની તસ્દી લેશે ?

છોકરીનો જન્મ થયો એટલે તેને આજે પણ એક પ્રોડક્ટ તરીકે તૈયાર કરાય છે, પ્રોડક્ટમાં ગ્રાહકની ડિમાન્ડ મુજબની મેક્સિમમ સ્પેસિફિકેશન્સ એડ ઓન કરવાની મથામણ કરાતી હોય છે. ના, ૨૨ વર્ષે ફક્ત મેગી બનાવતાં આવડતી છોકરીઓનાં ખોટાં ઉદાહરણ ન આપો, મેં મારી આખી લાઇફમાં હાર્ડલી એકાદ જ છોકરી જોઈ હશે એવી, મોટા ભાગની છોકરીઓ લગ્નના માર્કેટ માટેની બધી જ ડિમાન્ડ પૂરી કરવા માટે તૈયાર હતી જ, હોય જ છે, કરે ન કરે એ અલગ બાબત છે.

એટલે લગ્નની ઉંમર ૨૧ કરી દેવાથી છોકરીઓને વધારે ભણવા મળશે કે કૅરિયર પર ફોકસ કરી શકશે એ ખોટું લૉજિક છે. ૧૮ વર્ષ ઉંમર હતી ત્યારે પણ દેશમાં ૫૦% સ્ત્રીઓ વાંચતાં લખતાં શીખી શકતી નહોતી જ. અત્યારે હાલની જ વાત છે. જે પેરેન્ટ્સ દીકરીઓને ભણાવવાનાં છે એમને અથવા જે નથી જ ભણાવવાના તે બંનેને કોઈ ફેર નથી પડવાનો !

નૅશનલ ફૅમિલી હેલ્થ સર્વેનો સરકારી આંકડો છે કે અત્યારે હાલ પરિણીત છે તેમાંની ૨૫% મહિલાઓનાં લગ્ન અઢાર વર્ષની ઉંમર કરતાં વહેલાં કરી દેવામાં આવ્યાં હતાં, તમારાં પોતાનાં મમ્મીને પૂછી જુઓ. આ તો સરકારી આંકડો છે, ખરો આંકડો દોઢો હોય તો પણ નવાઈ નહીં.

મોટા ભાગના પછાત સમાજો કે વિસ્તારોનાં મા-બાપ માટે ૨૧ વરસે દીકરીની ઉંમરનો કાયદો માથાનો દુખાવો સાબિત થશે. કેમ કે આ સમાજોમાં દીકરીઓનું પેદા થઈને કોઈની પત્ની બનીને ઘર સંભાળવાથી વિશેષ કોઈ કામ છે એવો વિચાર જ નથી હોતો. છોકરી જન્મી એટલે તેને વળાવીને જવાબદારી પૂરી કરવાની જ વાત હોય. અને છોકરી પણ સમજણ આવે ત્યારથી ફક્ત અને ફક્ત લગ્ન કરીને ઠરીઠામ થવાનાં સપનાં જ જોતી હોય છે.

હાલ પણ ૧૨-૧૫ વર્ષે પ્રેમી સાથે ભાગી જતી છોકરીઓની નવાઈ નથી, તેનું કારણ તેમનો એવો ઉછેર છે. આખો દિવસ ઘરમાં દીકરીના લગ્નની જ વાત ચાલતી હોય, દીકરીને સાસરે મોકલી દેવાની છે એટલે ઘણીવાર ઘરના દ્વારા જ સતત દીકરીનું અપમાન અને અવહેલના થતાં હોય છે, ઘણા કિસ્સામાં મારઝૂડ પણ. એવામાં દીકરી ક્યાંક ઇમોશનલ સપોર્ટ મળે તો ભાગી જાય, અને આ બહુ સુખી અને ભણેલા પરિવારોમાં પણ થતું હોય છે ! છોકરીના જીવનનો અલ્ટીમેટ ગોલ અને ફૂલફિલમેન્ટ આપણે તેના લગ્નને જ ગણાવ્યું હોય, તે માનસિકતા બદલવી બહુ અઘરી થઈ પડે છે.

હું જોઉં છું કે જે પછાત સમાજોમાં નાની ઉંમરે દીકરી પરણાવી દે છે, ત્યાં કોઈ કારણોસર કોઈ છોકરી ૨૦-૨૨ વર્ષની પણ થઈ જાય અને લગ્ન ન થાય તો તે ડિપ્રેશનમા જતી રહેતી હોય છે. પછાત સમાજોમાં, જેમાં ગઈ પેઢી થોડી લિબરલ અને મૉડર્ન થઈને બાળવિવાહ નહોતી કરાવતી, તે લોકોને પછીથી સમાજમાં સારાં માગાં મળ્યાં નહીં કેમ કે મોટા ભાગનાં સારાં માગાં ઑલરેડી બાળવિવાહમા સેટ થઈ ગયાં હોય, વધેલો ઘટેલો માલ જ હોય અને તે જ કારણોસર તેમનાં ઘણાં બાળકો કુંવારાં રહી ગયાં અથવા મોટું સમાધાન કરવાનું થયું.

આ જૂની જનરેશનનાં નવી પેઢીનાં મા-બાપ પાછાં નાની ઉંમરે બાળવિવાહ કરાવવાના શરૂ થયા છે. જેમના ખુદના પચીસ – ત્રીસ વર્ષે માંડ માંડ સમાજમાં મેળ પડેલા તે લોકો આગોતરા પોતાના બાળકને માટે બાળવિવાહ વિધિ કરતા જોવામાં આવી રહ્યા છે, જે તદ્દન ખોટું છે. હું એવી અંગત છોકરીઓને ઓળખું છું, જેમનાં પેરેન્ટ્સ એવું ઇચ્છતાં હતાં કે છોકરી ભણીને સારી નોકરી કરીને પગભર થાય, પણ છોકરીની બધી બહેનપણીઓ પરણી ગયેલી એટલે બેનને ય પરણી જવું હતું. એમ કે હું મારી બહેનપણીઓ કરતાં સૌથી દેખાવડી છું અને હજુ મારાં જ લગ્ન નથી થયાં, મારે પરણવું છે, ભણવું નથી, નોકરી નથી કરવી, મારે હાઉસવાઇફ જ બનવુ છે. આવી છોકરીઓ રડતી હોય છે કે ડિપ્રેશનમાં જતી જોઈ છે.

એટલે જે છોકરીઓ કે તેનાં મા-બાપનો અલ્ટીમેટ ગોલ લગ્નનો જ હોય તેમના માટે આ બહુ અઘરું બનશે, કેમ કે તેમનું સેટલમેન્ટ એટલાં વર્ષ પાછું ઠેલાશે.

ટીનેજના પડાવે છોકરા-છોકરીઓને રોકવાં એમ પણ ઘણા અઘરા હોય છે. ‘ટ્રૂ લવ’નુ ભૂત સવાર હોય માથે !

બાયોલૉજિકલી જોઈએ, તો નવી જનરેશનની છોકરીઓ ૯-૧૦ વર્ષની ઉંમરે માસિકમાં થઈ જતી થઈ છે, તેનાં કારણોની ચર્ચા કરવાની જરૂર નથી. છોકરાઓ જે પહેલાંના જમાનામાં ૮-૧૦ ધોરણથી સેક્સુઅલી ઍક્ટિવ થતા તે હવે પ્રાઇમરીમાં થવા લાગ્યા છે. બંને જેન્ડરની સેક્સુઅલ ઍક્ટિવિટી વહેલી શરૂ થતી થઈ છે. જે વેબ સિરીઝ કે અમેરિકન મૂવીઝ એક જમાનામાં કૉલેજમા પ્રવેશ પહેલાં જોઈ શકાતાં ન હતાં તે હવે પ્રાઇમરીમાં સ્માર્ટફોનના કારણે હાથવગાં થઈ ગયા છે. આ બાબતોના કારણે પહેલાં કરતાં ટીનેજરોમાં એકલપંડે કે સજાતીય વિજાતીય સાથે સેક્સુઅલ ઍક્ટિવિટી વધી છે, તેનાં ઑપ્શન્સ વધ્યા છે, સગવડો વધી છે, તેના આઉટકમ અને સાઇડ ઇફેક્ટ વધી છે, પરંતુ તે બાબતે જાગૃતિ કે સેલ્ફ અવેરનેસ કે સેક્સુઅલ અવેરનેસ જોઈએ એટલી વધી નથી, કારણ ભારત દેશનુ સંકુચિત વાતાવરણ !

તેથી લગ્નની ઉંમર વધારી દેવાથી ટીનેજરોની સેક્સુઅલ ઍક્ટિવિટીમાં કોઈ ફેર પડશે એ માનવાને કારણ નથી, ઉપરથી લગ્નલાયક ઉંમર વધવાથી ટીનેજરોમાં જિજ્ઞાસા અને આતુરતા વધી જવા પામશે અને સામાન્ય ભૂલો મોટી ગેરકાનૂની બાબત બનતાં વાર નહીં લાગે. તેનો સીધો ફાયદો, ટીનેજરોને ગેરમાર્ગે દોરીને લગ્નો કરાવીને પછી બ્લૅકમેઇલ કરતા ખોટા વકીલો જેવા ગુંડાઓને થશે. એમનો ખોટો ધંધો ઔર વધુ ખીલશે.

મારા અનુભવમાં ઢગલો ટીનેજ પ્રેગ્નન્સી અને ટીનેજ લગ્ન આવ્યાં છે. અને મોટા ભાગનાં સામાજિક લગ્નો જ હતાં, ઘણાંખરાં લવમેરેજ. પરંતુ એક બાબત મેં જોઈ છે કે અભણમાં અભણ પેરેન્ટ્સને ખબર જ હોય છે કે આ ખોટું છે, નિયમો આ છે, પણ છતાં તે બાળવિવાહ અને ટીનેજ પ્રેગ્નન્સી કરાવડાવે છે, જોડે રહીને. પાછા હોશિયાર એટલા હોય કે દવાખાનામાં પ્રેગ્નન્ટ છોકરીની ઉંમર વીસ વર્ષ લખાવે જેથી પોતે વાંકમાં ન આવે. છોકરીની સાચી ઉંમર કોઈ સરકારી યોજનાના લાભ આપવા માટે આધારકાર્ડ મંગાવો તો જ ખબર પડે.

એટલે આપણે એવું માનીએ કે ઉંમરનો કાયદો બનવાથી લોકો સુધરી જશે અને દીકરીઓને ભણવા-નોકરી કરવા કે પગભર થવાં દેશે અને દીકરીઓ ખુદ પણ પોતાના જીવનનું ધ્યેય લગ્ન નથી, બીજું પણ જીવનમાં ઘણું કરી શકાય છે એવું વિચારીને આગળ વધશે એ માનવું ભૂલભરેલું છે. એટલીસ્ટ, હાલના તબક્કે ભારત દેશનાં મોટા ભાગનાં પેરેન્ટ્સ કે મોટા ભાગની દીકરીઓ એટલી દૂરની સમજણવાળી જણાતી નથી. એટલે આ બધાં સામાજિક પાસાં જોતાં આ નિર્ણય એક્સપર્ટ્સે કેમ લીધો હશે એ સમજવું અઘરું છે.

તેના કરતાં બીજા ઑપ્શન તરીકે છોકરાની લગ્નલાયક ઉંમર ૨૧માંથી ૧૮ વર્ષ કરી દીધી હોત તો કદાચ વધુ વ્યવહારુ લેખાત એવું મને લાગે છે. મજૂર અને પછાત વર્ગમાં ઢગલો કે એમ જુઓ તો મોટા ભાગના છોકરાઓ ૧૫-૧૭ વર્ષે પોતાની પારિવારિક જવાબદારીઓ સમજતા થઈ ગયા હોય છે. મજૂર માણસને ચાર દીકરા હોય તો બધા દીકરાઓ વારાફરતી પરણીને લગન પછી તરત પોતાનાં જ માબાપના આજુબાજુ જ અલગ ઝૂંપડી તો ઝૂંપડી બાંધીને અલગ પોતાનો પરિવાર વસાવી લેતા હોય છે, રોજનું કમાઈને રોજ ગુજરાન ચલાવી લેતા હોય છે.

જ્યાં કશું વહેંચી ખાવાનું ન હોય ત્યાં બાળકો પરનું પઝેશન પણ ઓછું હોય અને દરેક પોતપોતાનું કરી લેતા હોય છે. વધારે વાંધા જ ત્યાં હોય છે જ્યાં એકાદ બે બાળકો હોય, ત્યાં જ ક્વૉલિટીના નામે કચકચ થતી હોય છે. એટલે ઉંમર કરતાં વધુ સેક્સુઅલ અવેરનેસ અને જવાબદારીની ભાવના વધુ અગત્યની હોય છે, જે કોઈ પણ પ્રકારનું ભણતર કે ઉંમર કે કમાણીથી લાવી શકાતી નથી.

સુખી પરિવારોનાં બાળકો આજીવન લાડમાં રહેતાં આપણે જોઈએ જ છીએ. એટલે ફક્ત ઉંમર એ લગ્નનો ક્રાઇટેરિયા ન હોઈ શકે. સુધારો કરવો જ હોય તો બાળવિવાહના કાયદા કડક કરીને કરો, બાકી જે દેશમાં આજે પણ બાળવિવાહના સમૂહલગ્નમાં રાજ્ય કક્ષાના મંત્રી જતા હોય ત્યાં કાયદાઓ કેટલા પોકળ હશે એ સમજી શકો છો.

અમેરિકામાં છોકરા-છોકરી બંને માટે પેરેન્ટ્સ કે ગાર્ડિયનની પરમિશન સાથે લગ્નની કાયદાકીય ઉંમર ૧૬ વર્ષ છે. નવાઈ લાગી ને ? ઇસ્લામિક દેશોમાં ૧૫ વર્ષ. ભારત દેશ એ બાબતે અત્યાર સુધી મધ્યમમાર્ગી હતો, જે શ્રેષ્ઠ કહી શકાય. પરંતુ નવા સુધારા મુજબ સમાજમાં વધુ પડતું સામાજિક ખેંચાણ ઉદ્ભવે તો નવાઈ નહીં. વધારે ગેરકાયદે લગ્નો થાય તો નવાઈ નહીં. કુદરતના નિયમોને ઓવરટેક કરવામાં સામાજિક સ્ટ્રેસ વધી જાય તો નવાઈ નહીં. કેમ કે તમે ગમે તેટલા પ્રોગ્રેસિવ હોવ, અલ્ટીમેટલી, તમારે તમારા બાળકને આ જ સમાજમાં સેટ કરવાનાં હોય છે ! સુધરેલો સમાજ માંડ ૨૦% હશે, બાકીનો ૮૦% સમાજ હજુ પણ દીકરીઓ બાબત તો રૂઢિચુસ્ત જ છે !

એટલે જોઈએ … આગળ શું થાય છે !

સૌજન્ય : “નિરીક્ષક”, 01 માર્ચ 2022; પૃ. 10-11

Loading

2 March 2022 admin
← ‘સૂરજમુખીને દેશ’
ભરત દવે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved