Opinion Magazine
Number of visits: 9547781
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લઈ લો… લઈ લો… લક્ષદીપ લઈ લો

ભરત મહેતા|Opinion - Opinion|1 July 2021

ગળામાં હોય એટલું જોર વાપરી, કચકચાવી, ’ભારતમાતાની જય’ બોલતો ભા.જ.પ. કેન્દ્રમાં સત્તા મળ્યા પછી રોજબરોજ ભારતમાતાની લીલામી કરી રહ્યો છે. રોજ છાપું સવારે ઉઘાડીએ ને વાંચવા મળે કે આ વેચ્યું, પેલું વેચ્યું. ગુજરાતમાં ભૂજની હોસ્પિટલ, GMDCના કડી પાણીના પહાડ, આબાદ ડેરી વેચવાનો મહાવરો હતો તે કેન્દ્રમાં પહોંચતાં ખપ લાગ્યો છે. વળી, આ પક્ષની ખૂબી એ છે કે કોર્પોરેટ હિતો માટે કામ કરતી આ પાર્ટી પોતાની વેપારી પ્રવૃત્તિને ઢાંકવા, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ભગવી ચૂંદડી ઉપરથી ઓઢાડે છે. હમણાં હવે લક્ષદીપના છત્રીસ રમણીય ટાપુ વેચવાનો સોદો થવાની ગંધ આવી રહી છે. લક્ષદીપના નવા વહીવટદાર પ્રફુલ્લભાઈ પટેલ ડિસેમ્બર-૨૦૨૦માં નિમાયા ને તાબડતોબ એપ્રિલમાં ચાર નવા કાયદાઓ લાવ્યા. કાયદાઓ દ્વારા લોકશાહીનું હનન થઈ રહ્યું છે તો બીજી તરફ કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવાઈ રહી છે.

આ લક્ષદીપની વસ્તી કેવળ સિત્તેર હજાર છે. માત્ર દસ ટાપુ પર જ લોકો રહે છે. વસ્તીવધારાનું પ્રમાણ અતિ ઓછું, ૧.૪% છે; ગુનાખોરીમાં દેશમાં અંતિમ ક્રમે છે. સ્ત્રીશિક્ષણનું પ્રમાણ ૯૬% છે! માછીમારી, નાળિયેરી અને દોરડાં બનાવવાનો વ્યવસાય કરે છે. ૯૩% મુસ્લિમબહુલ વસતિવાળું આ કેન્દ્રશાસિત સ્થળ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના આક્રમણ માટે સર્વોત્તમ સ્થળ છે. પ્રદૂષણ પણ નથી.

લક્ષદીપને સ્માર્ટ સિટી બનાવવા માટે વહીવટદાર તરીકે પ્રફુલ્લભાઈ પટેલને મૂકાયા છે. ગુજરાતના રાજનેતા, અમિત શાહે ગુજરાતમાં ગૃહ મંત્રી પદ થોડો સમય છોડવું પડેલું ત્યારે ગૃહમંત્રાલય સંભાળનાર, પછી દીવ-દમણ દાદરાનગર હવેલીના વહીવટદાર. આજ લગી લક્ષદીપમાં IPS કે IAS અધિકારીને જ વહીવટીદાર તરીકે મૂકવામાં આવતા હતા, પહેલીવાર રાજનેતા – જે રાજનેતા પોતાના મૃત્યુ માટે જવાબદાર છે એવી ચિઠ્ઠી લખીને સાત વાર ધારાસભ્ય બનેલા મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી એ પ્રફુલ્લભાઈ પટેલ.

લોકસભાની ચૂંટણીમાં સો સ્માર્ટ સિટી બનાવવાનો ઢંઢેરો પીટનાર ભા.જ.પે. એક પણ સ્માર્ટ સિટી બનાવ્યું નથી અને લક્ષદીપને હવે સ્માર્ટ સિટી બનાવવું છે. ’લક્ષદીપ વિકાસ અધિનિયમ-૨૦૨૧’ ઘણાં સંદર્ભમાં વિશિષ્ટ છે. અહીં વિકાસનો બોજો – ખર્ચ – સ્થાનિક લોકોને માથે છે. વળી, ફરજિયાત વિકાસ જે કાંઈ સ્માર્ટ સિટીની વચ્ચે આવે એ દૂર કરો. વળી, વિરોધ ન થાય એ માટે ’એન્ટી ગુંડા એક્ટ’ બનાવ્યો! ગુનાખોરીમાં ય લક્ષદીપ ભારતમાં અંતિમ સ્થાને છે. યુ.પી., બિહારમાં સત્તાવાળી સરકાર અહીં, ગુનાખોરીનો કાયદો કેમ બનાવે છે? માત્ર લોકશાહી રીતે અમાનવીય, નિર્દય, મૂળવિહોણા વિકાસના વિરોધીઓને અટકાવવા જ. વળી આ કાયદા અનુસાર ધરપકડ પછી, કારણ આપ્યા વિના સીધા જેલમા એક વરસ માટે મૂકી શકાશે! UAPAની જેમ જ આ પણ લોકશાહીનું હનન છે! લક્ષદીપની અભિનેત્રી-દિગ્દર્શિકા આયેશા સુલતાનાએ જેવો વિરોધ કર્યો કે એના પર ’રાજદ્રોહ’નો કેસ જ દાખલ થયો!

કોર્પોરેટ માટે પડાવતી જગા માટે આખા દેશમાં બીજો ઊહાપોહ ન થાય એ માટે હિન્દુ-મુસ્લિમ ધ્રુવીકરણ થઈ શકે એવું વચ્ચે મૂકી દેવાનું આ પક્ષને ફાવે છે. તેથી સ્માર્ટ સિટી માટે લેવા દેવા ન હોય તેવા ફેરફારો પણ આ ચાર કાયદામાં છે.

ભા.જ.પ.શાસિત ગોવા, મેઘાલય, ત્રિપુરા, આસામ, મેઘાલયમાં ગૌ-માંસ પ્રતિબંધ નથી. હમણાં જ આસામની ચૂંટણી વખતે રાડો પાડી પાડીને ગૌ-માંસ પર પ્રતિબંધ નહીં લગાવીએ એમ કહેનાર ભા.જ.પે. જ્યાં ૬૫% લોકો  બીફ ખાય છે એ લક્ષદીપમાં ગૌ-માંસ પર પ્રતિબંધ મૂક્યો! એટલું જ આંગણવાડીઓ, શાળાઓમાં મધ્યાહન ભોજનમાં માંસાહાર બંધ! ગૌ-માંસનો કાયદો તોડનારને ૧૦ વર્ષની સજા, ૭૫ લાખ દંડ!

ગુજરાતમાંથી ગયેલા વહીવટદાર, વડા પ્રધાન પણ ગાંધીજીનો રેંટિયો કાંતનાર હોય એ લક્ષદીપમાં જઈને એક સુધારો એવો કરે છે કે શરમથી માથું ઝૂકી જાય. આઝાદી પછી આજ લગી લક્ષદીપમાં દારૂબંધી છે લાયસંસવાળા માટે ૩૬માંથી એક દ્વીપના રિસોર્ટમાં પરવાનગી વાળી દુકાન છે. ત્યાંથી દારૂબંધી હટાવી દેવાઈ! અહીં જ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદનો ફુગ્ગો ફૂટી જાય છે. સહેલાણીઓ માટેનું સ્વર્ગ જો ખાનગી માલિકોના ચરણે ધરવું હોય તો દારૂ પરના પ્રતિબંધને હટાવીને જ ચિયર્સ કરી શકાય! હવે લક્ષદીપ દારૂબંધીમુક્ત!

આ દારૂબંધીનો પ્રતિબંધ હટાવવાથી જે ગુનાખોરીમાં અંતિમ રાજ્ય છે ત્યાં ગૂનાખોરી વધી પણ શકે, વળી, આ ભલે મુસ્લિમબહુલ પ્રદેશ હોય પણ એ ગણાય છે  અનુસૂચિત જનજાતિ (S.T.) આખું રાજ્ય અહીં અનુસૂચિત જનજાતિ છે. એમની સાંસ્કૃતિક ભાતમાં પણ આ ’વિકાસ’ ગોટાળો કરશે. લોકડાઉનની પ્રથમ લહેરમાં એક પણ કેસ ન હતો. ડિસેમ્બર, ૨૦માં પ્રફુલ્લભાઈના પગલાં થયાં ને પ્રવેશનારને ૧૪ દિવસ કવોરંટાઇનના કાયદો દૂર કરાયો! જાન્યુઆરીથી જૂન’૨૧માં છ હજાર કેસ આવી ગયા! તેથી ’લક્ષદીપ બચાવો’ આંદોલન શરૂ થયું છે. જે I.A.S. એ CAA સંદર્ભે રાજીનામું આપ્યું તે કન્નન ગોપીનાથે પ્રફુલ્લભાઇ પટેલ સાથે દાદરા નગર હવેલીમાં કામ કર્યું છે. એણે આ વિકાસની વાતો પોકળ છે તે જણાવ્યું છે. પંચાયતની ચૂંટણીના નિયમો પણ બદલ્યા છે. રહીસહી લોકશાહી છીનવશે. બે બાળકોથી વધુ બાળકોવાળા ચૂંટણી નહીં લડી શકે. આપણી સંસદમાં ૩૦૩ ભા.જ.પ. સાંસદોમાંથી ૯૬ સાંસદ બેથી વધુ બાળકો ધરાવે છે. પ્રફુલ્લભાઇ પટેલે જતા વેંત હંગામી સરકારી કર્મચારીઓને પણ દૂર કર્યા છે. તેથી ખાનગીકરણની શંકાને બળ મળે છે. એથી પ્રજામાં અસંતોષ થયો છે.

કોર્પોરટ હિતને લક્ષમાં રાખી, ધાર્મિક લાગણી ભડકાવવી અને પોતાનો કક્કો ખરો કરવો એેવી નીતિ ધરાવતી આ સરકાર છે એનું વધુ એક ઉદાહરણ લક્ષદીપમાં આવેલા કાયદાઓ પૂરું પાડે છે.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2021; પૃ. 09

Loading

1 July 2021 admin
← જગત વિચારે છે કે શું ચીનનું મોડલ અપનાવી સફળતા મેળવી શકાય ?
સરકારને સત્તા અને શોષણ સિવાય બીજા કશામાં રસ નથી … →

Search by

Opinion

  • નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?
  • ‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?
  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved