Opinion Magazine
Number of visits: 9483230
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોણ કરશે? – ગઝલાવલોકન

સુરેશ જાની|Opinion - Opinion|23 July 2025

નહીં હોય ચંદાનું ઘાયલ જીગર તો, અલૌકિક પ્રણયની કદર કોણ કરશે?
સિતારા બની જો ચમકશે ન આંસુ, જગે પ્રેમગાથા અમર કોણ કરશે?

સમજવો નથી સાર કૈં જિંદગીનો કે સમજીને સુખથી બસર કોણ કરશે?
છિપાવી ગયું પ્યાસ મૃગલું જો એની તો, મૃગજળની સામે નજર કોણ કરશે?

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાં ય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે?

પીવાડો ગગન ડોકથી આંખ ઢાળી, અમારી તરસ કેરો ઉપકાર માની,
ભરેલી હશે જો અમારી નજર તો, તમારી નજર પર નજર કોણ કરશે?

નજર રૂપની એટલે એક પારો, હૃદય પ્રેમનું એટલે એક જ્વાળા,
સમાવ્યો છે પારો અમે આગ માંહે, જીગર ‘શૂન્ય’ એવું અવર કોણ કરશે?

                                                                                   – ‘શૂન્ય’ પાલનપુરી

આદરણીય મનહર ઉધાસે ગાયેલી ગઝલોમાં આ ગઝલ બહુ  જાણીતી નથી પણ, મને બહુ જ ગમતીલી છે. અનેક વખત એ સાંભળી અને માણી છે. એનું ગઝલાવલોકન કરવાનો ઉમળકો ઘણા વખતથી અલપઝલપ આવન જાવન કરતો હતો. એ ઉમળકાની અભિવ્યક્તિ આ રહી –

જિંદાદિલીથી જીવન સફર કરવાની આ વાત મને બહુ ગમે છે. આપણાં જીવન દર્શનો, માર્ગ દર્શકોના ઉપદેશો સંતોષ રાખવાની, ઇચ્છાઓથી પર થઈ જવાની વાત આપણા મનમાં હથોડાની જેમ ઝીંકે રાખે છે. પણ અહીં અસંતોષનો મહિમા કવિએ ગાયો છે.

‘રચનાત્મક અસંતોષ‘

કદાચ આ જ કારણે પશ્ચિમી વિચારધારાની સરખામણીમાં આપણે જુદા પડીએ છીએ. કદાચ, પશ્ચિમના જગતે કરેલ અભૂતપૂર્વ  પ્રગતિ અને વિકાસના મૂળમાં પણ આ ‘અસંતોષ’ છે. જેટ વેગે આગળ ધસી રહેલા વિશ્વમાં આપણે વિશ્વની સાથે રહેવું હોય તો આ અસંતોષ મને જરૂરી લાગે છે.

વૈજ્ઞાનિક અને તકનિકી બાબતો જ નહીં પણ આપણી સમાજ વ્યવસ્થામાં પણ સંતોષના અતિરેકે ઘણી ખરાબીઓ ઊભી કરી છે – એવું મારું માનવું છે. ‘ચાલશે, ફાવશે, ભાવશે’  મનોવૃત્તિમાં પરિવર્તન જરૂરી છે.

માણસના અંગત જીવનમાં પણ સંતોષના અતિરેકે ભલે શાંતિ આપી હોય, આવી ચપટીક ઝંખના મને જરૂરી લાગે છે. ખાસ કરીને નિવૃત્ત જીવનમાં આપણે ત્યાં પલાયનવાદી વિચારધારાએ ઘણું અહિત કર્યું છે. સર્જનનો નાનકડો આનંદ જીવનમાં એક અવનવું પરિમાણ ઊભું કરી દે છે.

બહુ જ ગમતો આ શેર દોહરાવું –

નથી કોઈ પણ માર્ગદર્શક અમારો,
નથી ક્યાં ય પણ કોઈ મંઝિલ અમારી,
મુસીબત ઉઠાવી ફકત મોજ ખાતર,
અમારી અદાથી સફર કોણ કરશે?

‘પેટ ચોળીને પીડા ઊભી કરવાની’ આ વાત ભલે લોકભોગ્ય ન હોય; એ રીતે સફર કરવાનો આનંદ તો જેણે માણ્યો હોય તે જ જાણે.

મનહર ઉધાસે ગાયેલ એ ગઝલ પહેલાં તેમણે આ મુક્તક પણ તેમની આગવી શૈલીથી યથોચિત ઉમેર્યું છે.

ડંખ દિલ પર કાળ કંટકના સહન કીધા વગર
પ્રેમ કેરા પુષ્પને ચૂમી શકે ના કો અધર.
કાંસકીને જો કે, એના તનના સો ચીરા થયા,
તો જ પામી સ્થાન જઈને એ પ્રિયાની ઝુલ્ફ પર.

એ મુક્તકની કલ્પના પર તો આપણે વારી જ જઈએ; પણ એનો સંદેશ ‘ચીરે ચીરા થઈ જવાની, ઝેર પણ પચાવી જવાની’ વાત આ જ જીવન દૃષ્ટિને દોહરાવે છે.

આખી ગઝલ અને એ મુક્તક અહીં માણો –

https://www.youtube.com/watch?v=9yv0LclNDUY

e.mail : surpad2017@gmail.com

Loading

23 July 2025 Vipool Kalyani
← સમયનું વિસ્મયઃ
‘ઉટાહ’ અને ‘ગુજરાત’ની વિધાનસભામાં શું તફાવત છે?  →

Search by

Opinion

  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 
  • મનુભાઈ પંચોળી ‘દર્શક’ : કટોકટીની તારીખે સ્વરાજનો નાશ!
  • વિદ્યા વધે તેવી આશે વાચન સંસ્કૃતિ વિકસે

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved