Opinion Magazine
Number of visits: 9504183
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?

રમેશ સવાણી|Opinion - Opinion|30 July 2022

સગી દીકરી પિતાને સજા કરાવે? શા માટે કરાવે? આવી ઘટના પાછળ કોણ જવાબદાર? ઉત્તર પ્રદેશના બુલંદશહેરની એક ઘટના સમાજની આંખ ખોલનારી છે.

તાન્યા (14) અને લતિકા (12) સગીર બહેનો હતી. 14 જૂન 2016ના રોજ, તેના પિતા મનોજ બંસલે, બન્ને દીકરીઓની માતા અનુ બંસલને કેરોસીન છાંટીને જીવતી સળગાવી દીધી હતી ! બન્ને બહેનોએ આ ઘટના નજરે નિહાળી હતી; તેમણે નક્કી કર્યું કે માતા છીનવી લેનાર પિતાને સજા થવી જોઈએ ! બન્ને બહેનોએ પોતાના રક્તથી એક પત્ર  તત્કાલીન મુખ્ય મંત્રી અખિલેશ યાદવને લખ્યો. તપાસ થઈ. 27 જુલાઈ 2022ના રોજ પિતાને આજીવન કેદની સજા થઈ ! સવાલ એ છે કે શા માટે પિતાએ બન્ને સગીર દીકરીઓની માતા છીનવી લીધી? મનોજ બંસલના લગ્ન 2000માં અનુ સાથે થયા હતા; લગ્ન બાદ બે પુત્રીઓ જન્મી; મનોજને પુત્રની તમન્ના હતી; મનોજે પાંચ વખત લિંગ તપાસ કરાવી અને પાંચ વખત ગર્ભપાત કરાવ્યો હતો ! અનુએ પુત્રને જન્મ ન આપ્યો તે વાંક સબબ મનોજ બંસલે, આ ક્રૂર પગલું ભર્યું હતું !

મોટો સવાલ એ છે કે પુત્રની જ તમન્ના કેમ? પુત્રી તો લગ્ન થાય એટલે જતી રહે; પુત્ર હોય તો વૃદ્ધાવસ્થામાં સહારો મળે / પુત્ર હોય તો વંશ આગળ વધે / પુત્રી હોય તો દહેજ આપવું પડે, પુત્ર હોય તો દહેજ મળે / પુત્રી હોય તો સામાજિક અસુરક્ષાની ચિંતા રહે વગેરે કારણો ભાગ ભજવે છે ! આપણા ધર્મગ્રંથો / ધર્મગુરુઓ પુત્રનું મહત્ત્વ દર્શાવે છે; એટલે લોકાના મગજમાં પુત્ર-ઘેલછા ઘૂસી ગઈ છે ! પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે “એવી કન્યા સાથે લગ્ન ન કરવા; જેને ભાઈ ન હોય !” આપણા જ્યોતિષીઓ ‘પુત્રપ્રાપ્તિ યોગ’ની વિધિઓ કરે છે ! પુત્રપ્રાપ્તિ માટે કડવા ચૌથ વ્રત / પુત્રેષ્ટિયજ્ઞ કરવામાં આવે છે ! રાજા દશરથે પુત્રેષ્ટિયજ્ઞ કરેલ; જેથી રામ / લક્ષ્મણ / ભરત / શત્રુઘ્નનો જન્મ થયેલ ! ગરુડ પુરાણમાં પુત્રપ્રાપ્તિની વિગતો છે ! મનુસ્મૃતિ (9 / 138) કહે છે કે પુત્ર, નરકથી બચાવે છે તેથી પુત્રની કામના લોકો કરે છે ! માન્યતા એવી છે કે મૃત્યુ બાદ દાહસંસ્કાર / પિંડદાન / દર વર્ષે શ્રાદ્ધ વગેરે વિધિ પુત્ર ન કરે તો જીવાત્માની મુક્તિ થતી નથી ! દેવી ભાગવતમાં લખ્યું છે કે ‘अपुत्रस्य गतिर्नास्ति स्वर्गे वेदविदोविदु:’ એટલે કે પુત્ર વિના માનવની સદ્દગતિ થતી નથી, એવું વેદવેત્તા દેવતાઓએ નક્કી કરેલ છે !

પુત્ર, વંશ આગળ લઈ જાય; DNA-Deoxyribonucleic acid આગળ લઈ જાય; તો પુત્રી પણ DNA આગળ લઈ જાય છે; છતાં ધાર્મિક કારણસર પુત્ર-ઘેલછા જોવા મળે છે ! યૂટ્યુબ ઉપર પુત્રપ્રાપ્તિના વીડિયો અઢળક છે ! તેમાં જાત જાતના દાવાઓ / ઉપાયો દર્શાવેલ છે. એક દાવો એવો છે કે ગર્ભધારણ બાદ અમુક વિધિઓ કરવાથી લિંગ પરિવર્તન થઈ જાય છે ! આવા વીડિયો લાખો લોકો જૂએ છે ! એટલે કે લોકોમાં પુત્ર-ઈચ્છા જબરજસ્ત છે; તેનો ખ્યાલ આવે છે ! પુત્ર થશે કે પુત્રી તે ફર્ટિલાઈઝેશન સમયે નક્કી થાય છે; તે પહેલા કે બાદમાં નહીં ! ‘XX’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્રી; અને ‘XY’ ક્રોમોઝોમ્સ મળે તો પુત્ર જન્મે ! પુરષના સ્પર્મમાં; X ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રીની અને પુરષના સ્પર્મમાં Y ક્રોમોઝોમ વધુ હોય તો પુત્રની શક્યતા વધારે રહે છે. મતલબ કે પુત્ર કે પુત્રી જન્મે તે માટે પુરુષ જવાબદાર છે; સ્ત્રી નહીં. તેમાં વ્રત / યજ્ઞ / ગ્રહ / જ્યોતિષ / ધાર્મિકગ્રંથો કોઈ ભૂમિકા ભજવી શકે નહીં ! મનોજ બંસલને સજા થઈ; પરંતુ તેમના જેવા ખોટા વિચારો ધરાવનાર કરોડો લોકો છે; એને સજા કોણ કરશે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

30 July 2022 Vipool Kalyani
← અજાણ્યા શહેરમાં ‘એ’ લોકો વચ્ચે રહેવાના અનુભવ …
કોરાંભીનાં સ્મરણો (૪) →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved