Opinion Magazine
Number of visits: 9446393
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખેતીપ્રધાન દેશની સરકારે ખેડૂતોનાં સર્વાંગી પ્રશ્નોને ગણતરીમાં લેવા રહ્યા

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|15 December 2019

યોજનાઓ જાહેર કરવાથી ખેડૂતોનાં પ્રશ્નો નહીં ઉકેલાય પણ વૈચારિક માળખાકીય રોકાણ કરીને ખેતીનાં અર્થતંત્રને મજબૂત બનાવી શકાશે

દેશ આખામાં ડુંગળીની કિંમતે માઝા મૂકી છે. ૯૦ રૂપિયે કિલોથી માંડીને ૨૦૦ રૂપિયે કિલોના ભાવે ડુંગળી વેચાઇ રહી છે. દૂરંદેશી યોજનાના અભાવને કારણે સપ્લાયમાં નિયમિતતા, કોલ્ડ સ્ટોરેજની અછત, ડુંગળી મેળવવા માટે બેફામ પ્રક્રિયાઓને અનુસરવી અને ડુંગળીનાં મર્યાદિત ઉત્પાદન જેવા પ્રશ્નો ખડા થયા અને આપણે આ સ્થિતિમાં મુકાયા છીએ. માત્ર ડુંગળીના ઉત્પાદનને ધ્યાનમાં લઇએ તો ભારત વર્ષે અંદાજે ૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન કરે છે અને માંગ લગભગ ૨૦૦ લાખ ટન ડુંગળીની હોય છે. કેન્દ્ર સરકારની સબસીડીથી મળતી સ્ટોરેજ ક્ષમતામાં માંડ ૪.૩૦ લાખ ટન ડુંગળીનો જ સંગ્રહ થઇ શકે છે. ૨૦૧૭ની સાલમાં મધ્યપ્રદેશ સરકારે ડુંગળીનો પાક મેળવવામાં તથા તેનાં સસ્તા દરે થયેલા વેચાણને પગલે ૨૦૧૭ની સાલમાં ૭૮૫ કરોડની ખોટ વેઠવી પડી હતી. સ્ટોરેજ કૅપેસિટી વધારવામાં જો રોકાણ થાય તો દર વર્ષે વરસાદ પછી વેઠવી પડતી ખોટ ઘટાડી શકાય.

લાંબા ગાળાના પડકારો સામે લડત આપવા માટે નિકાસની કિંમતો લઘુતમ રાખવી, નિકાસ પર પ્રતિબંધ મૂકવો, પુરવઠાની મર્યાદા નિયત કરવી જેવા રસ્તાઓ કામ ન કરી શકે. આ વર્ષે વરસાદની અનિયમિતતા અને અણધાર્યા વરસાદને કારણે સંઘરેલા રવિ પાક અને ખેતરમાં ઊભેલા ખરીફ પાકને પણ નુકસાન થયું છે. એમ કહેવામાં વાંધો નથી કે કુદરતી સંજોગોને કારણે ભાવ વધારો થાય તો સરકારનો વાંક ન કાઢી શકાય પણ કુદરતી સંજોગો માટે પૂર્વ તૈયારીઓ કરવામાં સરકાર પાછી પડી છે એ તો સ્વીકારવું જ રહ્યું. ગ્રાહક અને ખેડૂતની વાત આવે ત્યારે ગ્રાહક જો કશું પણ ખરીદવા માટે વધારે ભાવ ચૂકવતો હોય તો તેનો તસુભાર લાભ પણ ખેડૂતો સુધી તો પહોંચતો જ નથી. વચેટિયાઓ અને વેપારીઓનાં ગજવા ચોક્કસ ભરાઇ જાય છે. ડુંગળીનાં ભાવ અધધધ વધ્યાં હોય તેવી પરિસ્થિતિ દર ત્રણ-ચાર વર્ષે ખડી થાય છે, છતાં ય તે માટેની કોઇ પૂર્વતૈયારીઓ માટે કવાયત થતી હોય તેવું સાંભળવા નથી મળ્યું.

આ તો થઇ ડુંગળીની વાત પણ, આપણા ખેતી પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિવસે દિવસે કફોડી થતી જાય છે. ખેતી અને ખેડૂતોની જે પણ સ્થિતિ છે તેમાં ખેતી સાથે સંકળાયેલા રાજકારણ અને અર્થતંત્રનો સહિયારો ફાળો છે. ૨૦૧૯માં કરેલી જાહેરાત અનુસાર સરકાર મિનિમમ સપોર્ટ પ્રાઇઝ – એમ.એસ.પી. દ્વારા અમુક ચોક્કસ પાક માટે તેના ઉત્પાદન ખર્ચ કરતાં દોઢ ગણી કિંમત આપશે જેમાં બિયારણ, ખાતર અને મજૂરીની કિંમત પણ ગણાશે. એમ.એસ.પી. મારફતે ખેડૂતોના કલ્યાણ માટે ૧.૩૮ લાખ ખર્ચ્યા હોવા છતાં ય ખેડૂતોની આત્મહત્યાનો આંકડો નથી ઘટ્યો. એમ.એસ.પી. જેવી વ્યવસ્થા દ્વારા સરકાર ખેત ઉત્પાદનોની કિંમતને વધારી રહી છે અને તે ખેડૂતો માટે તો નહીં જ પણ એગ્રીટેકની ઇકોસિસ્ટમ માટે પણ ગેરફાયદો જ કરે છે. આપણી સરકાર ખેત ઉત્પાદનોની કિંમતોનાં મિકેનિઝમનો ઉપયોગ ખેડૂતોના કલ્યાણ માટે કરવા માંગે છે.

મિનિમમ સપોર્ટ પ્રાઇઝ વધારીને બીજી ચીજોને સબ્સિડાઇઝ કરી દેવાય ત્યારે કૃત્રિમ રીતે જ ઉત્પાદનનો ભાવ વધે છે પણ નિવિષ્ટની કિંમતો ઘટે છે. આ સંજોગોમાં નિવિષ્ટ વધે છે અને અતિ-ઉત્પાદન થાય છે જે અંતે ભાવ વધુ પડતા જ ઉપર જાય છે. સરકારે જાહેર કરેલી નીતિઓ, યોજનાઓથી ચકાચોંધ થયેલા ખેડૂતોને બજારનાં સંકેત સમજવાનો મોકો નથી મળતો. સરકારી યોજનાઓ ખેડૂતો સુધી ચોક્કસ પહોંચે છે પણ તેનો ફાયદો ખેડૂતોને નથી મળતો કારણ કે સરકાર કિંમત અને બજારનો વહેવાર પોતાના જ હાથમાં રાખે છે. આપણે ત્યાં ખેત ઉત્પાદનમાં વધારો થતો હોય પણ ખેતીની આવક ઘટતી હોય તેવી સ્થિતિ કેટલાંક વર્ષોથી યથાવત્ છે. ખાધ્ય પદાર્થોમાં થયેલા ફુગાવો, બિન-ખાદ્ય ફુગાવામાં વધારો થવાને કારણે બિન-અસરકારક સાબિત થયો છે.  એમ.એસ.પી. પ્રોક્યોરમેન્ટ નીતિ નિષ્ફળ રહી છે તે તો છે જ પણ રવિ પાક આગલા વર્ષનાં એપ્રિલ મહિના પહેલાં મળવા મુશ્કેલ છે અને તે ભાવ વધારામાં કોઇ ફાળો આપશે તેવું લાગતું નથી. આમ થવાનું એક મહત્ત્વનું કારણ એ પણ છે ખેત ઉત્પાદનોની કિંમતોનાં ઘટાડા પાછળ ગ્રામીણ અર્થતંત્રમાં માંગનો ઘટાડો કામ કરે છે, નહીં કે ખેત-ઉત્પાદનોનો વધુ પડતો પુરવઠો. ગ્રામીણ અર્થતંત્રમાં ખેત-ઉત્પાદનો કે ખાદ્ય ઉત્પાદનોની માંગ ઘટવા પાછળ મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને સર્વિસિઝી જેવાં ક્ષેત્રોનું પતન કારણભૂત છે. આવા બિન-ખેતી ક્ષેત્રોમાં રોજગારીની ઘટતી તકો ગ્રામીણ અર્થતંત્રમાં પરિવર્તન લાવે છે કારણ કે બેરોજગારીને પગલે ખેત-ઉત્પાદનોની માંગ આપમેળે ઘટતી જાય છે. આ રીતે ગરીબીનો પ્રશ્ન પણ વધુ ઘુંટાય છે.

નોટબંધી અને જી.એસ.ટી.નું ઉતાવળિયું અમલીકરણ આ કટોકટીનાં પાયામાં ચોક્કસ છે પણ ખેતીમાં અનિવાર્ય રોકાણને મામલે જે બેદરકારી રાખવામાં આવી છે તેને કારણે પણ ખેડૂતો અને ખેતી બજારમાં સંજોગો તંગ બન્યા છે. મોસમનાં બદલાવ અણધાર્યા હોવા છતાં, વરસાદની અનિયમિતતા છતાં પણ ખેત ઉત્પાદનોમાં કોઇ ઘટાડો નથી થયો. ધાર્યા કરતાં વધુ ઉત્પાદનની જાળવણી, નિકાસ, વેચાણ વગેરેને મામલે યોગ્ય પ્લાનિંગ કરવામાં સરકાર પાછી પડી છે જેને કારણે ખેતીમાંથી પૂરતી આવક નથી થઇ શકી. સરકારે ખેડૂતોનાં ભલા માટે અઢળક યોજનાઓ ચોક્કસ જાહેર કરી છે પણ તેનાં અમલીકરણની સાથે બજાર ભાવ અને ફુગાવા પરનાં નિયંત્રણમાં સંતુલન ન રહી શક્યું હોવાને કારણે ખેડૂતો હાથ ઘસતા રહી ગયા છે.

ભારતમાં ૫૮ ટકા વસ્તી ખેતીમાંથી આવક મેળવે છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્ઝ, બ્લોક ચેઇન અને રોબોટિક્સ જેવી ટેક્નોલોજી આખા તંત્ર પર અસર કરે છે. ભારતમાં ખેતી લક્ષી ટેક્નોલોજીકલ (એગ્રીટેક) સ્ટાર્ટઅપ્સ પણ શરૂ થયા છે જે ખેતીનાં અર્થતંત્રને મજબૂત બનાવવા માગે છે પરંતુ આ માટે તેમણે છેવાડાનાં ખેડૂત સુધી પહોંચવું રહ્યું. અત્યારે તેઓ માત્ર મધ્યમ અને મોટા કદના ખેડૂતો સુધી પહોંચી શકે છે અને નાના ખેડૂતો ટેક્નોલોજીનો ફાયદો ઉપાડી નથી શકતા. જે હાંસિયામાં ધકેલાઇ રહ્યા છે તેને પણ ગણતરીમાં લેવાય તેવી તકેદારી સરકારે રાખવી રહી. એગ્રીટેકને કારણે ખેડૂતો સુધી માહિતી મોટા પ્રમાણમાં અને ઝડપથી પહોંચે છે તે ખરું પણ ઘટી રહેલાં પાણીનાં સ્રોત, ખેતીલાયક જમીનનું ઘટતું પ્રમાણ, ભૂગર્ભ જળનાં તળિયા વધારે ઊંડા જેવા જેવી સમસ્યાઓનો ઉકેલ પણ હજી શોધવાનો છે. માત્ર યોજનાઓનાં અમલીકરણથી સમસ્યાનો સર્વાંગી ઉકેલ નથી મળી શકતો, પરંતુ ટેક્નોલોજી, પરંપરા, બજારભાવ, ખેડૂતોની ક્ષમતા અને માંગ તથા પુરવઠા જેવી સમાન બાબતોને ગણતરીમાં લઇને પછી ઘડાતી નીતિઓને પગલે જ ખેતીનું રાજકારણ તેનાં અર્થતંત્રને મજબૂત બનાવનારું સાબિત થઇ શકશે.

બાય ધી વેઃ

સરકારને મોટાં પરિવર્તનો કરવામાં બહુ રસ છે, એ કેબ હોય કે પછી ૩૭૦ કે કંઇક બીજું. મોટાં પરિવર્તનોનાં ઘોંઘાટમાં જે સાચી સમસ્યાઓ છે તે દબાઇ જાય છે. ખેતી પ્રધાન દેશમાં કૃષિનું અર્થતંત્ર સંભાળવામાં સારા લાગતા રાજકારણને પગલે પાંગળું બની રહ્યું છે. ખેતરોમાં પાક લહેરાતો જોઇને ય ખેડૂતોનાં ખિસ્સા ખાલી રહે છે. સરકારે માળખાકીય રોકાણ કરીને એવી સવલત ઊભી કરવી જોઇએ જ્યાં ખેડૂતો લણેલા પાકનો સંગ્રહ કરીને તેને બજારમાં ફરી મૂકી શકે. વધારાની ડુંગળી બગડે છે તો ઘઉં ઊગાડવા માટે ભૂગર્ભજળ ઘટી ગયું છે. દરેક પ્રદેશ, દરેક પાકની જરૂરિયાતો જુદી છે એ સમજીને એ પ્રમાણે નીતિઓ ઘડાશે તો ખેડૂતની પણ આવક થશે અને તેને બળબળતા તાપમાં લાંબી રેલીઓ નહીં કાઢવી પડે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 15 ડિસેમ્બર 2019 

Loading

15 December 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 22
સ્માર્ટ સિટી નહીં, સેફ સિટી બનાવોઃ શહેરોમાં સ્ત્રીઓ સલામત નથી! →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved