Opinion Magazine
Number of visits: 9448786
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કણસી રહેલી પીડા

તેજસ વૈદ્ય|Opinion - Opinion|7 November 2020

આશીષ કક્કડ વિશે ફેસબૂક પર શ્રદ્ધાંજલીના શબ્દો લખવાની મને ઈચ્છા નહોતી. કારણ કે, એક વર્ષ પછી, ફરી એ શ્રદ્ધાંજલી મેમરી તરીકે સામે આવે, અને મનને ધુંધવી નાખે. છતાં ય લખવી એટલા માટે પડી કે ક્યાંક તો હૈયામાં કણસી રહેલી પીડાને વિરેચન આપવું ને! આપણી પાસે શબ્દો સિવાય બીજું છે પણ શું કે આપણે આપી શકીએ!?

આશીષભાઈ ગયા એને ચાર-પાંચ દિવસ થયા પણ રોજ કોઈક ને કોઈક કારણસર યાદ આવ્યા જ કરે. એ યાદો સામે આંખ આડા કાન કરીએ તો પણ ઊઘડતાં જૂઈનાં ફૂલોની જેમ એ યાદ સતત ઝબકી જ જાય.

સુશાન્તસિંહ રાજપૂતના નિધન બાદ દેશ આખામાં ડિપ્રેસનની ચર્ચાએ ગોકીરો મચાવ્યો હતો, ત્યારે આશીષભાઈ સાથે છેલ્લે વાત થઈ હતી. તેમણે બારીક વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, “ડિપ્રેસન એ અવસ્થા છે કે આપણા શરીર અને મનમાં આનંદ ઊગવાનો જ બંધ થઈ જાય. જેમ ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ માટે ઈન્સ્યુલિન શરીર પોતે પેદા નથી કરતું, માટે તેને એ બહારથી આપવું પડે છે, એમ ડિપ્રેસન દરમ્યાન શરીર આનંદ જ પેદા કરતું નથી. લોકો કહે કે ફલાણા-ફલાણીએ આત્મઘાતી પગલું ભર્યું, એને બદલે તેણે કોઈ સાથે વાત કરી લીધી હોત તો હળવાશ મહેસૂસ કરત અને આવું પગલું ન ભરત; પણ વાત કરી લેવી જોઈએ એવી સલાહ આપનારાઓને ખબર જ નથી હોતી કે જે વ્યક્તિ ડિપ્રેસનમાંથી પસાર થઈ રહી છે તેને વાત જ કરવાનું મન જ ન થાય. તેની અંદર એ રસાયણ જ ન ઊગતું હોય કે તેને વાત કરવાનું મન થાય. તેથી ડિપ્રેસન-ગ્રસ્ત માણસે વાત કરવી જોઈએ એવી વાતો કરનારા નાદાન લોકો છે.”

જેણે ‘બેટર હાફ’ જેવી ટકોરાબંધ ફેમિનીસ્ટ ગુજરાતી ફિલ્મ આપી, તેણે સોશ્યલ મીડિયા પર કે સમૂહમાં લોકો વચ્ચે મળ્યા હોય ત્યારે એનાં ગાણાં ગાયા નથી. બાકી આજકાલ તો લોકો એકાદ પુસ્તક આવે ત્યારે આખું સોશ્યલ મીડિયા ગજવી દે છે.

આશીષભાઈને કોઈ પણ કામ કરવાની પ્રક્રિયામાં રસ પડતો અને એ પૂરું થઈ જાય પછી એનો સંતોષ મહત્ત્વનો હતો. પછી એ તેમણે રસોઈમાં કરેલો કોઈ નવો પ્રયોગ હોય કે પોતે બનાવેલી ફિલ્મ હોય. મને યાદ છે કે એક વખત તેમણે કહ્યું હતું કે મરચું ખોરાકમાં તમે વધારે ભભરાવો પછી તમે એની તીખાશને તો માણી શકો પણ એ તીખાશ હાવી થઈ જાય પછી અન્ય તત્ત્વોના જે સ્વાદ હોય તે દબાઈ જાય છે. કેટલી કોઠાસૂઝવાળી આ વાત છે. હવે હું જમણવારોમાં જૈન ફૂડનો સ્વાદ એટલા માટે માણું છું કે એમાં મરચા સહિતનાં સ્વાદ લોકશાહીઢબે આવે છે. સામયિક 'સાર્થક જલસો'માં તેમણે લખેલો 'મારા રસોઈના પ્રયોગો'વાળો લેખ રેસિપીનો લેખ આ રીતે પણ લખી શકાય તેનું ઉમદા ઉદાહરણ છે.

આશીષભાઈને જ્યાં પણ મળીએ ત્યારે તે એટલા સહજ હોય કે દરેક ઉંમરના લોકોને એમ જ થાય કે આ તો આપણા જેવો જ માણસ છે. આશીષભાઈની વાત કે દલીલ હંમેશાં તર્કસભર રહેતી, પણ તેમની ધ્યાનાર્હ લાક્ષણિકતા એ હતી કે તેઓ પાંચ કે પચાસ માણસોની વચ્ચે પોતાનો તર્ક અલગ પડતો હોય તો પણ એ પોતાની તર્કસભર વાત જતી ન કરતા. મોટા ભાગના લોકોનો સૂર અલગ પડતો હોય છતાં તેઓ પોતાની વાત તો મૂકતા જ. જરા પણ ડંખ રાખ્યા વગર, ઉષ્માસભર રીતે તેઓ જે અસહમતિ દર્શાવતા એ તેમની કળા હતી.

બાળકો સાથે તેઓ જે પ્રકારે ગમ્મત કરતા એ જોવાની મને મજા પડતી.

આશીષભાઈ, મને ખબર હોત કે તમે આમ અચાનક ચાલ્યા જશો તો હું એક આખો દિવસ મારી દીકરી રાવીને તમારે ઘરે રમવા મોકલત અને હું પણ એ ગમ્મતમાં સામેલ થાત. મેં મારી દીકરી સાથે ઘરમાં કેવાં રંગબેરંગી ચિતરામણાં કર્યાં છે એ તમને દેખાડવા બોલાવત અને એ વખતે તમારા હાવભાવ જોઈને મને કેટલો હરખ થાત.

જેમની સાથે સહેજ પણ ઔપચારિક થયા વગર મળી શકીએ અને માણી શકીએ એવા માણસો આ શહેરમાં ઓછા છે. એ ઓછામાંથી કોઈક જાય ત્યારે જેમ શરીરનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એમ જીવનનો કોઈ ભાગ ખોટો પડી ગયો હોય એવું લાગે.

(તસવીર – અંકિત પટેલ)

તેજસભાઈ વૈદ્યની ફેઈસબૂક દિવાલેથી સ-આદર સાભાર, 06 નવેમ્બર 2020

Loading

7 November 2020 admin
← મરી નથી જતાં ત્યાં સુધી તો વૃદ્ધોને જીવવા દો !
નિયમ, કાયદાની ઐસી તૈસી કરી પત્રકારત્વ કરનારા જેલમાં ન જાય તો ક્યાં જાય ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved