Opinion Magazine
Number of visits: 9504804
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

૧૯૩૧માં બીજી ગોળમેજ પરિષદમાં ભાગ લેવા ગાંધીજી લંડન ગયા ત્યારે બ્રિટનના રાજાએ ગાંધીજીને ચા-પાણી માટે બકિંગહૅમ પૅલેસમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. આમંત્રણના પત્રમાં મહેમાને કેવાં કપડાં પહેરવાં (ડ્રેસ-કોડ) વિશે નિર્દેશો આપવામાં આવ્યા હતા. ગાંધીજીએ આમંત્રણનો સ્વીકાર કરતાં લખ્યું કે તે કપડાં તો એ જ પહેરશે જે ભારતમાં પહેરે છે. ગોઠણ સુધીની ધોતી જે ઉપર છાતી પર વીંટાળેલી હશે અને લંડનમાં ઠંડી છે એટલે શાલ ઓઢી હશે. કહેવાની જરૂર નથી કે પગમાં ચંપલ હશે. બકિંગહૅમ પૅલેસમાં આ પહેલાં કોઈએ આવાં ફટીચર કપડાંમાં રાજાની મુલાકાત લીધી નહોતી અને તેને રાજાનું અપમાન માનવામાં આવતું હતું. અપવાદ કરવા માટે ગાંધીજીને ઘણી વિનંતીઓ કરવામાં આવી, પરંતુ ગાંધીજીએ યજમાને સુચવેલા ડ્રેસ-કોડને અપનાવવાની ના પાડી દીધી. છેવટે રાજાએ ઝૂકવું પડ્યું અને ગાંધીજી જેવાં કપડાંમાં આપણે તસવીરમાં જોઈએ છીએ એવાં કપડાંમાં બકિંગહૅમ પૅલેસમાં રાજાને મળવા ગયા હતા.

આ તો જાણીતી વાત છે, પરંતુ અજાણી વાત એ છે કે વિન્સ્ટન ચર્ચિલે ગાંધીજી સાથે અપવાદ કરવામાં આવે એનો વિરોધ કર્યો હતો. ચર્ચિલે કહ્યું હતું કે એક અર્ધનગ્ન ફકીર એવી તે કઈ તાકાત ધરાવે છે કે બ્રિટિશ સામ્રાજ્યના રાજાએ અપવાદ કરવો પડે. નથી તેની પાસે કોઈ સત્તા, નથી સામ્રાજ્ય કે નથી સંપત્તિ. એક ફટીચર માણસ છે જેને ભાવ આપવાની કોઈ જરૂર નથી. વિન્સ્ટન ચર્ચિલને જવાબ આપતાં કોઈકે કહ્યું હતું (નામ મને મળતું નથી) મિ. ચર્ચિલ, તમે જે કહો છો એ જ ગાંધીની તાકાત છે અને એ એવી તાકાત છે જેને છીનવી શકાતી નથી. ગાંધી એક એવો માણસ છે જેને પૈસાથી ખરીદી શકાતો નથી, સત્તાની લાલચ આપીને મોહિત કરી શકાતો નથી અને કોઈ સ્ત્રી તેને ચલિત કરી શકતી નથી. આ ત્રણ ચીજ એવી છે જેના દ્વારા માણસને ઝુકાવી શકાય છે અને જે માણસ આ ત્રણ ચીજથી મુક્ત છે તેની સમક્ષ દુનિયાની ગમે એવી તાકાત હોય એને ઝૂકવું પડે છે.

આજનો યુગ જુદો છે. આજે તાકાત, ઐશ્વર્ય, પ્રભુત્વ, વગ વગેરેની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. ૧૯૧૬માં બનારસ હિન્દુ યુનિવર્સિટીના ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીજીએ ભારતના ગવર્નરનો સલામતીનો તામજામ જોઈને કહ્યું હતું કે ભારતમાં લોકોની વચ્ચે ફરવામાં જો આટલો બધો ડર લાગતો હોય તો તમારે વતન પાછા જતા રહેવું જોઈએ. ડરીને જિંદગી જીવવી એ અભિશાપ છે અને સહજ મુક્ત જિંદગી વરદાન છે. પાંચ દાયકા પહેલાં કોઈએ કલ્પના નહોતી કરી કે એવા પણ દિવસો આવશે જ્યારે ડરીને જીવવામાં લોકો પ્રતિષ્ઠા સમજશે. આજુબાજુમાં ગનધારી કમાન્ડોઝ હોય તો કેવો વટ પડે. જેટલો વધારે ડર એટલી વધારે પ્રતિષ્ઠા. આપણે પણ એવા લોકોનું ઐશ્વર્ય ફાટી આંખે જોતાં રહીએ છીએ. કેટલાક લોકો તો મનોમન સપનાં પણ જોતા હશે કે આપણા આવા દિવસો ક્યારે આવશે, જ્યારે ડરવા મળશે. ટૂંકમાં ડરપોક લોકો આજે પ્રતિષ્ઠિત છે.

વગદાર કોણ છે? વગદાર એ છે કે જે કાયદો તોડવાની ક્ષમતા ધરાવે છે. કાયદાની મર્યાદામાં રહીને જીવે એ ભીરુ સામાન્ય જણ અને કાયદો તોડી શકે, કાયદાઓની ઐસીતૈસી કરી શકે એ વગદાર. કાયદાનું પાલન કરનારાઓએ દરેક જગ્યાએ લાઇનમાં ઊભા રહેવું પડે છે. કાયદાનું પાલન કરનારા ભીરુ નાગરિકે કાલે આવજો એવો એક-બે વાર નહીં, વારંવાર જવાબ સાંભળવો પડે છે. કાયદાનું પાલન કરનારાઓએ રૂમ-રસોડામાં જિંદગી વિતાવવી પડે છે. લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો પડે છે. સંતાનના સારી કૉલેજમાં ઍડ્મિશન મેળવવા માટે કોઈ વગદારની ચિઠ્ઠી લેવા તેના દરબારમાં જવું પડે છે અને ખોટી-ખોટી ભાટાઈ કરવી પડે છે. મનમાં તો ગળું ઘોંટી દેવા જેટલો ગુસ્સો આવે છે, પરંતુ પછી સમજાય છે કે વ્યવસ્થા (સિસ્ટમ) તો આ લોકોના હાથમાં છે અને વ્યવસ્થા તેમના માટે જ કામ કરી રહી છે એટલે ગુસ્સો ઠંડો કરીને તેમના જેવા કેમ બનાય અને જો ન બની શકાતું હોય તો કમસે કમ તેમની નજીક કેમ જવાય એના ઓરતા જોવા માંડે છે.

બોલો, તમને આવો અનુભવ થયો છે કે નહીં? તમે જો પ્રતિષ્ઠિત અને વગદાર નહીં હો તો જરૂર તમને આવો અનુભવ થયો હશે. આમ પણ મારી કૉલમ પ્રતિષ્ઠિત અને વગદાર લોકો નહીં વાંચતા હોય અને એવા બનવાના બેત રચનારાઓ પણ નહીં વાંચતા હોય. આ કૉલમ મૂલ્યોની ખેવના કરનારાઓ માટે અને છેલ્લા માણસની ચિંતા કરનારાઓ માટેની છે. પ્રતિષ્ઠિત અને વગદાર લોકોએ વ્યવસ્થા એવી બનાવી છે કે દાયકા પહેલાં પગમાં પહેરવાં સ્લિપર નહોતાં એ આજે અડધો કિલો સોનું પહેરીને ચાર બંગડીની આઉડી કારમાં ફરે છે. કમાન્ડોઝ હોય તો-તો પૂછવું જ શું? ઘાટકોપરમાં ૧૭ જણને ભરખી જનારો સુનીલ શિતપ આવો એક માણસ છે. આજે ધિક્કાર વરસાવવામાં આવી રહ્યો છે, પરંતુ એનો શું ઉપયોગ? લખી રાખજો, તેનો વાળ પણ વાંકો થવાનો નથી. તમે ઘટના ભૂલી જઈને બીજા પ્રતિષ્ઠિત અને વગદાર માણસના દરબારમાં બેસીને ભાટાઈ કરતા હશો કે પછી તેના જેવા બનવાનાં સપનાં જોતા હશો અથવા તમારો પુત્ર તેના જેવો બનવાના પ્રયત્ન કરતો હશે તો તમે પોરસાઈને પ્રોત્સાહન આપતા હશો ત્યારે સુનીલ શિતપ છૂટી જશે. સુનીલ શિતપને છોડાવવામાં માત્ર વ્યવસ્થા જવાબદાર નહીં હોય, તમે પણ જવાબદાર હશો, કારણ કે તમારો રોલ-મૉડલ સુનીલ શિતપ છે. જ્યાં સુધી આપણે બધા સુનીલ શિતપ બનવા માગીએ છીએ ત્યાં સુધી શિતપોનો સૂર્યાસ્ત થવાનો નથી. સિસ્ટમના વેઇટિંગ હૉલમાં તમે પણ વારો આવે એની રાહ જોઈને બેઠા છો. છાતી પર હાથ મૂકીને અંતરાત્માને પૂછી જુઓ; આ વાત સાચી છે કે ખોટી?

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 29 જુલાઈ 2017

Loading

29 July 2017 admin
← શાસક અને રખેવાળ એક જ વિચારધારાના છે અને એ ભારતીય રાજ્ય માટે નિર્ણાયક ઘડી છે. આઇ ઍમ કીપિંગ માય ફિંગર ક્રૉસ્ડ
લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved