Opinion Magazine
Number of visits: 9504453
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હું દયાની યાચના કરતો નથી’

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 August 2020

“માનનીય અદાલતનો ચુકાદો હું વાંચી ગયો છું. લગભગ ત્રણ દાયકાથી, થોડીઘણી વ્યક્તિગત અને વ્યાવસાયિક કિંમત ચૂકવીને પણ, જે અદાલતના ગૌરવનું હું — દરબારી કે ચીઅરલીડર તરીકે નહીં, પણ એક નમ્ર ચોકીદાર તરીકે — સમર્થન કરતો આવ્યો છું, તે અદાલતના અપમાન બદલ મને દોષી ઠેરવવામાં આવ્યો છે તેનાથી હું દુઃખી છું. ખેદ મને સજા મળે તેનો નથી, પણ મને સમજવામાં મોટા પાયે ગોથું ખવાયું તેનો છે.

“અદાલતે મને ન્યાયનો વહીવટ સંભાળતા તંત્ર પર બદઇરાદાથી, અસભ્ય રીતે, ગણતરીપૂર્વક હુમલો કરવા બદલ દોષી ઠરાવ્યો છે તે મારા માટે આઘાતની વાત છે. આવો હુમલો કરવા પાછળના મારા ઇરાદા વિશે કોઈ પુરાવા આપ્યા વિના અદાલત આ તારણ પર પહોંચી છે તેનાથી હું હતાશ થયો છું. મારે કબૂલવું જોઈએ કે જે ફરિયાદના આધારે અદાલતે મને સ્વયંભૂ (સુઓ-મોટો) નોટિસ આપી, તે ફરિયાદની એક નકલ સુધ્ધાં આપવાનું અદાલતને જરૂરી નથી લાગ્યું કે મારા જવાબી સોગંદનામામાં અને મારા વકીલના નિવેદનમાં ભારપૂર્વક જણાવવામાં આવેલી હકીકતો વિશે કશો પ્રતિભાવ આપવાપણું લાગ્યું નથી, તેનાથી પણ હું નિરાશ થયો છું.

“અદાલતને મારા ટ્વીટ ભારતીય લોકતંત્રના મહત્ત્વના સ્તંભના પાયાને અસ્થિર કરનારી અસર જગાવનારા લાગ્યા, તે હું માની શકતો નથી. હું ફરીથી એટલું જ કહેવા માગું છું કે એ બંને ટ્વીટ મારી પ્રામાણિક માન્યતાઓ દર્શાવે છે, જેની અભિવ્યક્તિ કોઈ પણ લોકતંત્રમાં માન્ય હોવી જોઈએ. હકીકતમાં, ન્યાયતંત્રની તંદુરસ્ત કામગીરી માટે લોકતપાસ ઇચ્છનીય છે. હું માનું છું કે બંધારણીય વ્યવસ્થાના રક્ષણ માટે લોકતંત્રમાં કોઈ પણ સંસ્થાની મુક્ત ટીકા જરૂરી છે. આપણે ઇતિહાસના એવા સમયમાં જીવી રહ્યાં છીએ જ્યારે રાબેતા મુજબનાં કર્તવ્યબંધનો કરતાં ઉચ્ચ સિદ્ધાંતો વધુ મહત્ત્વના છે, જ્યારે વ્યક્તિગત અને વ્યાવસાયિક વિવેકવચનો કરતાં બંધારણીય વ્યવસ્થાને બચાવવાનું વધુ જરૂરી છે, જ્યારે વર્તમાનના વિચાર ભવિષ્ય પ્રત્યેની આપણી ફરજ અદા કરવાના માર્ગમાં ન આવવા જોઈએ. (ત્યારે) અવાજ ઉઠાવવામાં નિષ્ફળ નીવડવું એ તો કર્તવ્યની ઉપેક્ષા કહેવાય, ખાસ કરીને મારા જેવા અદાલતના અફસર માટે.

“મારા ટ્વીટ્સ બીજું કંઈ નહીં, પણ જેને હું આપણા ગણતંત્રના ઇતિહાસના આ તબક્કે મારી સર્વોચ્ચ ફરજ ગણું છું, તે અદા કરવાનો નાનકડો પ્રયાસ છે. મેં એ ટ્વીટ અસાવધપણે કર્યા ન હતા. જે મારી પ્રામાણિક માન્યતા હતી અને છે તે વ્યક્ત કરવા બદલ માફી માગવી એ મારા પક્ષે નિષ્ઠાવિહોણું અને અપમાનજનક ગણાય. માટે, મારે તો રાષ્ટ્રપિતા ગાંધીજીએ તેમના મુકદ્દમા વખતે જે કહેલું, તે જ નમ્રતાપૂર્વક જણાવવાનું થાય છે : હું દયાની યાચના કરતો નથી. હું ઉદારતાને પણ અપીલ કરતો નથી. અદાલતે જેને ગુનો ગણ્યો છે અને મારે મન જે નાગરિક તરીકેની સર્વોચ્ચ ફરજ છે, તેના માટે કાયદેસર રીતે જે મને જે સજા થાય તે પ્રસન્નતાપૂર્વક સ્વીકારું છું.”

નાગરિક અરક્ષિત નથી એવું તો કહી શકાતું નથી. ખુદ સુપ્રીમ કોર્ટના ચાર જજ સાહેબોએ પત્રકાર પરિષદ વાટે લોક સમક્ષ જવું મુનાસીબ માન્યું હતું એ ખાસ જૂની વાત નથી. દેશના આલા કાનૂની અફસરોએ પણ કહ્યું છે કે નવ નવ ન્યાયમૂર્તિઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ પબ્લિક ડુમેઈનમાં ભડભડતા હોય ત્યારે ભૂષણના ટિ્વટમાં કન્ટેમ્પ્ટ વાંચવાને બદલે વિચારવાની જરૂર છે.

સર્વોચ્ચ અદાલતે હમણાં તો સજાના પ્રમાણની જાહેરાત મોકૂફ રાખી છે. પ્રશાંત ભૂષણ કરતાં વધુ તો પોતે પુનર્વિચાર કરવાપણું છે એવું કાંક આ મુદતમાં એને પક્ષે ઉભરી રહેશે?

ગમે તેમ પણ, આ ક્ષણે તો અઘોષિત કટોકટી વચ્ચે ભૂષણ આકુળવ્યાકુળ નાગરિક જીવનમાં અંતરાત્મા શા બની રહ્યા છે…

ઑગસ્ટ ૨૮, ૨૦૨૦       

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2020; પૃ. 01

Loading

30 August 2020 admin
← પરિષદ-ચૂંટણી અને આચાર સંહિતા
પંડિત જશરાજ લય પામ્યા →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved