Opinion Magazine
Number of visits: 9447415
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાલની ચૂંટણી પરિણામો બાદ કહી શકાય કે રોટલા સામે રાષ્ટૃવાદ મોળો પડ્યો છે

રમેશ ઓઝા|Opinion - Opinion|27 October 2019

મહારાષ્ટ્ર અનેહરિયાણાની વિધાનસભાનાં અને કેટલીક પેટા ચૂંટણીઓનાં પરિણામો એટલાં મહત્ત્વપૂર્ણ છે કે અહીં એક સપ્તાહ રાષ્ટ્રવાદની ચર્ચા બાજુએ રાખીને પરિણામોની ચર્ચા કરવી જરૂરી લાગે છે. કારણ એ છે કે દેશમાં કેટલાક સમયથી એક રાજકીય પ્રયોગ ચાલી રહ્યો છે જેની સામે પરિણામોએ પડકાર પેદા કર્યો છે.

પ્રયોગ એવો છે કે લોકતંત્રનો એવો શોભાયમાન બગીચો રચવામાં આવે જેમાં દરેક ઝાડ એની જગ્યાએ શોભામાં વૃદ્ધિ કરનારું ઊભું હોય, પણ એમાં લોકારણ્યનો પ્રાણ ન હોય. ચૂંટણીપંચની છટાઈ (કાપણી) કરીને એક જગ્યાએ ઊભું રાખવાનું. ન્યાયતંત્રની છટાઈ કરીને તેને ન્યાયમંદિર તરીકે ઊભું રાખવાનું. મીડિયા(પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક બન્ને)ની આઝાદીની છટાઈ કરીને અને તેને ખરીદીને વાજિંત્ર બનાવીને એક જગ્યાએ ઊભા રાખવાના. વિરોધ પક્ષોના પગ તળેની જમીન ખૂંચવી લેવાની. કોઈને ડરાવી-ધમકાવીને તો કોઈને ખરીદીને પોતાની બાજુએ લઈને વિરોધ પક્ષોના ખટારા ખાલી કરી નાખવાના. ચૂંટણીફંડમાં પણ એટલી અસમાનતા પેદા કરવી કે ૮૦ ટકા ધનમાં આપણો એકલાનો હિસ્સો હોય અને વીસ ટકામાં બાકીના બીજા. સ્થિતિ એવી પેદા કરવી કે વિરોધીઓને રાજકીય પડકાર ફેંકવો હોય કે ચૂંટણી લડવી હોય તો માણસો માટે અને પૈસા માટે વલખાં મારે.

યોજનાબદ્ધ રીતે બગીચાને વિકસાવવામાં આવતો હતો જેમાં માળી વૃક્ષોને પાણી આપી જીવતાં પણ રાખે અને છટણી કરીને પાંગરવા પણ ન દે. લોકોને એમ લાગવું જોઈએ કે ભારત એક લોકશાહી દેશ છે અને લોકતંત્ર સલામત છે. જગતને કહી શકાય કે ભારત એક લોકશાહી દેશ છે, કારણ કે અમારે ત્યાં નિયમિત રીતે ચૂંટણીઓ યોજાય છે અને ‘લોકો પોતાની સરકાર રચે છે.’ ચૂંટણી ભલે નિયમિત રીતે યોજાતી રહે, પણ ચૂંટણીનાં પરિણામોનો ડર ન રહેવો જોઈએ. કોઈ ખિસ્સામાં હોય, કોઈ બગલમાં હોય, કોઈ આંગળિયે હોય, કોઈ ડરેલા હોય, કોઈ જેલમાં હોય અને સામે નર્યો રાજકીય શૂન્યાવકાશ હોય!

બે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં અને કેટલીક પેટા ચૂંટણીનાં પરિણામોએ અસાધારણ બોધ આપ્યો છે. તેણે બતાવી આપ્યું છે કે રાજકીય વિકલ્પ જમીન પર નથી હોતો, ચિત્તમાં હોય છે. લોકોના મનમાં જ્યારે વિકલ્પની તલાશ શરૂ થાય છે ત્યારે તે કાળા ચોરને મત આપે છે. એ વિકલ્પ કોઈની પસંદગીનો નથી હોતો, પણ તેમાં શાસકો માટેનો નક્કર નકાર રહેલો હોય છે. જમીન પર શૂન્યાવકાશ પેદા કરી શકાય છે, પણ નાગરિકોના ચિત્તમાં શૂન્યાવકાશ પેદા નથી કરી શકાતો એ આ ચૂંટણીનો મોટો બોધપાઠ છે.

એમાં કોઈ શંકા નથી કે મહારાષ્ટ્રમાં બી.જે.પી.-શિવસેનાની સંયુક્ત સરકાર રચાશે. તેને સ્પષ્ટ બહુમતી મળી છે, પણ બી.જે.પી.નો પરાજય થયો છે. ગઈ લોકસભાની ચૂંટણી પછી તેવર તો એવા હતા કે તેને શિવસેનાની ભાગીદારીની પણ જરૂર નથી. લોકસભાની ચૂંટણી વખતે મહારાષ્ટ્રમાં ૧૨૫ વિધાનસભા ક્ષેત્રોમાં બી.જે.પી.નો વિજય થયો હતો અને સેનાનો ૧૦૫માં. શિવસેનાને પણ એમ લાગવા માંડ્યું હતું કે બી.જે.પી. એકલે હાથે સરકાર રચવા જેટલી બેઠકો મેળવી શકે છે અથવા તો જરાક માટે છેટે રહેશે. એમાં કાશ્મીરની ઘટના બની પછી તો પૂછવું જ શું? નેશનલ રજીસ્ટર ઑફ સિટિઝન્સને આખા દેશમાં લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી. રાષ્ટ્રવાદ તેની ચરમસીમાએ હતો. વડા પ્રધાન સહિતના બી.જે.પી.ના નેતાઓની તુમાખી, અભિમાન. તેમની ભાષા, તેમની દેહભાષા(બૉડી લેન્ગવેજ)માં આ જોવા મળતું હતું.

ભરોસો ઉપર કહ્યો એવા આકાર આપવામાં આવેલા બગીચા પર હતો. તેમને એમ લાગવા માંડ્યું હતું કે ચૂંટણી તો એક ઔપચારિકતા છે, વિજય તો આપણો જ છે. હરિયાણામાં બી.જે.પી.નો રીતસર તો પરાજય થયો છે. એ વાત જુદી છે કે હરિયાણામાં સરકાર બી.જે.પી.ની જ રચાશે; પણ લોકતંત્રનું માત્ર કલેવર ટકાવી રાખવાથી, પ્રાણ હરી લેવાથી અને રાજકીય શૂન્યાવકાશ પેદા કરવાથી ક્યારે ય પરાજયનો સામનો નહીં કરવો પડે એ ભ્રમ ભાંગ્યો છે.

હરિયાણામાં ૯૦ સભ્યોની વિધાનસભામાં બી.જે.પી.એ ૪૦ બેઠકો મેળવી છે અને ૨૦૧૪ની તુલનામાં સાત બેઠકો ગુમાવી છે. ગઈ લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૯૦માંથી ૭૯ વિધાનસભા ક્ષેત્રોમાં વિજય મળ્યો હતો. મહારાષ્ટ્રમાં૨૮૮ સભ્યોની વિધાનસભામાં બી.જે.પી.ને ૧૦૫ (બહુમતી માટે જરૂરી ૧૪૫) બેઠકો મળી છે અને ૨૦૧૪ની તુલનામાં ૧૭ બેઠકો ગુમાવી છે. શિવસેનાએ ૨૦૧૪ની તુલનામાં સાત બેઠકો ગુમાવી છે. આનો અર્થ એ થયો કે લોકોનો રોષ સેના કરતાં બી.જે.પી. સામે વધુ પ્રકટ થયો છે. નરેન્દ્ર મોદીના રાજકીય દિગ્વિજય છતાં ય, કાશ્મીરની ઘટના છતાં ય, રાષ્ટ્રવાદ ઉફાને હોવા છતાં ય, જગતમાં વાહવાહી કરાવાતી હોવા છતાં ય, પક્ષાંતર કરાવીને વિરોધ પક્ષોના ખટારા ખાલી કરાવ્યા હોવા છતાં ય, અઢળક ધન હોવા છતાં ય, આરતી ઉતારનારા મીડિયા હોવા છતાં ય અને મૂલ્યોના રખેવાળોની ચૂપકીદી છતાં ય. આમ કેમ બન્યું?

આનાં બે કારણ છે. એક કારણ છે તુમાખી. પ્રજાને પૌરુષત્વ ભાવે છે, તુમાખી નહીં. પૌરુષત્વમાં અને તુમાખીમાં ફરક છે. છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રવાદના પૌરુષત્વના નામે તુમાખી અને આછકલાઈનું પ્રદર્શન કરવામાં આવતું હતું. અમને હરાવી શકે એવો કોઈ માઈનો લાલ બચ્યો હોય તો સામે આવે એમ કહીને સાથળ ઠોકવામાં આવતા હતા. દાદાગીરી કરીને દરેક પ્રતિસ્પર્ધીની જમીન આંચકવામાં આવતી હતી. લોકોને આ ગમ્યું નથી એમ પરિણામો બતાવે છે. વધારે પડતું અભિમાન ભારતીય પ્રજાને રુચતું નથી એ આપણો સ્વભાવ છે. આને જ કારણે આ વખતનાં ચૂંટણી પરિણામોમાં એક ચીજ ઊડીને આંખે વળગે એવી બની છે. કૉન્ગ્રેસ, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષ અને અન્ય પક્ષોમાંથી જેટલા લોકોએ પક્ષાંતર કરીને બી.જે.પી.-સેનાની ટિકિટ પર ચૂંટણી લડી હતી એમાંના મોટા ભાગના લોકો પરાજીત થયા છે. મહારાષ્ટ્રમાં ઉદયન રાજે ભોસલે અને ગુજરાતમાં અલ્પેશ ઠાકોર આનું ઉદાહરણ છે.

બીજું કારણ જમીન પરના રોટલાના પ્રશ્નો તરફ આંખ આડા કાન કરવાની મનોવૃત્તિ. જરૂર જ શું છે જ્યારે આપણે એક માત્ર રાષ્ટ્રવાદી અને દેશભક્ત હોઈએ. જરૂર જ શું છે જ્યારે પ્રજાને ચોવીસે કલાક રાષ્ટ્રવાદના નશામાં રાખવામાં આવતા હોય. જરૂર જ શું છે જ્યારે સામે વિરોધ પક્ષોની જમીન આંચકી લેવામાં આવી હોય. શાસકોને જેની જરૂર નહોતી વરતાણી તેની જરૂર પ્રજાએ અનુભવી હતી. કાર્પેટ તળે કચરો છૂપાવી શકાય, પણ ઉકરડાને કાર્પેટ તળે ન ઢાંકી શકાય. એવી સ્થિતિમાં લોકો એમ કહે કે ઉકરડા પર કાર્પેટ બિછાવી છે. આખું જગત મંદીની ચેતવણી આપતું હોય, યુવાનો રોજગારી વિનાના બેકાર હોય, જરૂરી ચીજવસ્તુઓના ભાવો આસમાને હોય, બેંકો ઉપરાઉપર ઊઠી જતી હોય, સામાન્ય માણસો તેના શિકાર બનતા હોય, કારખાનાંઓ બંધ પડી રહ્યા હોય; પણ એ છતાં ય જ્યારે તેની નોંધ પણ લેવામાં ન આવે, એટલું જ નહીં મંદી હોવાનો અસ્વીકાર કરવામાં આવે એ તો હદ કહેવાય. મંદીની વાતો એ દેશને બદનામ કરવાનું કાવતરું છે એમ કહેવામાં આવે છે.

ક્યાંક કશેક લોકોને એમ લાગવા માંડ્યું હોવું જોઈએ કે આ સરકાર આપણને માત્ર ને માત્ર રાષ્ટ્રવાદના નશામાં જીવાડવા માગે છે, બાકી પ્રજાકીય સુખાકારીનો તેની પાસે કોઈ એજન્ડા જ નથી. એજન્ડા શું પ્રાથમિકતા પણ નથી. આમ તો રાષ્ટ્રવાદનું શાસ્ત્ર એમ કહે છે કે લોકો અસ્મિતાઓના નશામાં રોટલો ભૂલી જાય છે. પરિણામ જોતાં એમ લાગે છે કે સંકટ એટલું મોટું અને ઊંડું છે કે રોટલા સામે રાષ્ટ્રવાદ મોળો પડ્યો છે.

કેન્દ્ર સરકારે હવે લોકોના પ્રશ્નો કાને ધરવા જોઈએ. આ પરિણામોનો બોધપાઠ છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 27 ઑક્ટોબર 2019

Loading

27 October 2019 admin
← ટુકડે ટુકડે કટોકટી
મનઘડંત વાહવાહી અને ડૉ. આંબેડકરની આહ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved