Opinion Magazine
Number of visits: 9504442
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી?

રમેશ સવાણી|Opinion - Opinion|18 March 2024

અમદાવાદમાં, 16 માર્ચ 2024ના રોજ રાત્રે 10.50 વાગ્યે ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં, ઉઝબેકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના 4 મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમને ફાળવેલ જગ્યામાં રમઝાનની નમાઝ અદા કરી રહ્યા હતા. ત્યારે કેસરી ખેસ ધારણ કરેલ એક ટોળું ત્રાટકે છે. મારમારી કરે છે. જેના કારણે 4 વિદેશી વિદ્યાર્થીઓ ઘવાયા. ઘાયલ વિદ્યાર્થીઓને તાબડતોબ SVP – સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કટ્ટર હિન્દુત્વવાદી ટોળાંએ લેપટોપ, મોબાઈલ ફોન, વાહનોની તોડફોડ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે હુમલાખોરો હાજર હતા; પણ પોલીસે તેમને સન્માનપૂર્વક જવા દીધાં !

આવું કૃત્ય ‘જયશ્રી રામ’ના નારા સાથે કરવામાં આવ્યું હતું, તેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતની અને ભારતની છાપ ખરડાઈ છે. ઘટનાની જાણ થતાં જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાના દેશભરના પડઘા પડ્યા છે. ગૃહ મંત્રીએ તપાસના આદેશ આપ્યા પછી પોલીસ કમિશનરે બીજા દિવસે મોડેથી સ્થળ વિઝિટ કરી હતી અને કહ્યું હતું કે ‘આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે !’

થોડાં પ્રશ્નો : 

[1] મુસ્લિમ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ ફાળવેલ જગ્યામાં નમાજ પઢે તે શું અસામાજિક કૃત્ય છે? નમાજના કારણે તેમની પર હુમલો કરવો કેટલાં અંશે ઉચિત? 

[2] ગૃહ મંત્રીએ અને કેન્દ્ર સરકારે તપાસના આદેશો આપ્યા છે; પરંતુ તેમણે જ હિન્દુ યુવાનોને ગોડસેવાદી બનાવ્યા નથી? કટ્ટરવાદી બનાવ્યા નથી? કોર્પોરેટ કથાકારો અને સ્વામિનારાયણના સંતોએ ગેડસેવાદીઓને નફરતી બનાવ્યા નથી? મારઝૂડ કરનારા અને તોડફોડ કરનારા હિન્દુ યુવાનોનો વાંક છે જ; પરંતુ વધારે વાંક તો ગોડસેવાદી સરકારનો અને ધર્મગુરુઓનો નથી? એક તરફ વડા પ્રધાન નફરત ફેલાવતી એજન્ડા ફિલ્મોને પ્રોત્સાહન આપે છે, બીજી તરફ આવી શરમજનક ઘટના બને ત્યારે તપાસના આદેશ આપી પોતાના હાથ ઉપર કરી લે છે; શું આ પાખંડ નથી? શા માટે યુવાનોને જેલમાં ધકેલી રહ્યા હશે? 

[3] આ કૃત્ય કરનાર યુવાનોએ મોરારિબાપુની અપીલના કારણે ‘કાશ્મીર ફાઈલ’ જોઈ હશે અને કટ્ટર બન્યા હશે? 

[4] વિદેશી વિદ્યાર્થીઓએ 100 પર જાણ કરી, પોલીસ આવી પણ તેણે જોયું કે આ તો કેસરી ખેસ ધારણ કરેલ ‘લાઇસન્સ વાળા ગુંડાઓ’ છે એટલે તેમણે કોઈને પકડેલ નહીં ! ગુજરાત પોલીસનું ખસીકરણ કરનાર સરકાર પોતે જવાબદાર નથી? શું ગોડસેવાદીઓને પોલીસનો કોઈ ડર જ નથી? પોલીસ પણ કેસરી ખેસ જોઈને ફરજ ભૂલી જાય તેવી સ્થિતિ કરનાર સરકારની જવાબદારી નથી? પોલીસ કમિશનર કહે છે કે ‘ગંભીર નોંધ લીધી છે’ પણ 24 કલાક સુધી એક પણ આરોપી મળે નહીં, એને ગંભીર નોંધ કહેવાય? 

[5] ગુનાવાળી જગ્યાએ ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખ જઈ શકે તો સત્તાપક્ષના કોઈ ધારાસભ્યોને ગુનાવાળી જગ્યાએ જવાનું કેમ સૂઝ્યું નહીં હોય? શું સત્તાપક્ષના ધારાસભ્યો પણ હુમલાખોર ગોડસેવાદીઓનું સમર્થન કરતા નથી? 

[6] આવી ઘટના વિપક્ષની સરકારમાં બની હોત તો ગોદી મીડિયાએ બૂમો પાડી હોત ! વડા પ્રધાને ગળું ફાડીને વિપક્ષની સરકારને ભાંડી હોત; પરંતુ આ ઘટના તો ‘ગુજરાત મોડલ’નું પરિણામ છે; એટલે ગોદી મીડિયા અને વડા પ્રધાન ચૂપ રહેતાં હશે?

અમેરિકામાં મોટાભાગની યુનિવર્સિટીઓમાં ગુજરાતી વિદ્યાર્થીઓ નવરાત્રિમાં ગરબાનું આયોજન કરે છે. ગણેશ ઉત્સવ ઊજવે છે. પણ કોઈ રોકતું નથી. આવી સહિષ્ણુતા ગુજરાતમાં ગોડસેવાદીઓને દેખાતી નહીં હોય?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 March 2024 Vipool Kalyani
← ગાંધીપથના ગરવા યાત્રી : નારાયણભાઈ દેસાઈ
મુંબઈનો બહાર પુસ્તકના કર્તા રતનજી ફરામજી વાછા (૧૮૧૫-૧૮૯૩) સાથેની એક કાલ્પનિક મુલાકાત  →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved