Opinion Magazine
Number of visits: 9448572
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી આશ્રમ, નવીકરણને બહાને

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|30 January 2022

વડા પ્રધાન કાર્યાલયની સીધી નિગેહબાની નીચે ગુજરાત સરકારે ગાંધી આશ્રમના કથિત નવીકરણનો પ્રકલ્પ ઉપાડ્યો તે હવે એક નિર્ણાયક તબક્કા લગોલગ હોય એવી છાપ તાજેતરમાં ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ હેવાલ (૧૯-૧-૨૦૨૨) પરથી પડે છે. આ હેવાલ મુજબ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ નામનું નવું ટ્રસ્ટ સરકારી રાહે અસ્તિત્વમાં આવી ચૂક્યું છે. ગાંધી આશ્રમ મેમોરિયલ એન્ડ પ્રીસિંક્ટ ડેવલપમેન્ટની ગવર્નિંગ કાઉન્સિલે એનું મેમોરેન્ડમ ઑફ એસોસિયેશન બહાલ રાખ્યું તે પછી ગયા સપ્ટેમ્બરમાં તે ૫ડમાં પ્રવેશ્યું પણ વચલા મહિનાઓ તે આપણાથી ઓઝલ રહ્યું. આ હેવાલ સંદર્ભે ગાંધી આશ્રમ તરફથી કોઈ અધિકૃત પ્રતિભાવ અને સ્પષ્ટીકરણ આ લખાય છે ત્યાં સુધી આવ્યાં નથી. માત્ર, હેવાલ અંતર્ગત કાર્તિકેય સારાભાઈએ એક ટ્રસ્ટીને નાતે કહેલી વાત નોંધાઈ છે કે વડા પ્રધાને પોતે જ કહ્યું છે કે સરકારીકરણની કોઈ વાત નથી.

ઊલટ પક્ષે, જોવાનું એ છે કે ૧૯મી જાન્યુઆરીના પ્રસ્તુત હેવાલ મુજબ ૧૮૬૦ના સોસાઇટી ઍક્ટ અને ૧૯૫૦ના બોમ્બે પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ઍક્ટ મુજબ અહીં જાળવણી, વિકાસ, મ્યુઝિયમ, ઓડિટોરિયમ, આર્ટ ગેલેરી વગેરે પ્રસ્તુત ટ્રસ્ટ અને ગવર્નિંગ કાઉન્સિલ મારફતે હાથ ધરી શકાશે. બલકે, સપ્ટેમ્બર ૨૦૨૧ના સરકારી ઠરાવ મુજબ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ પોતાના હેતુઓ પ્રભાવકપણે પાર પાડી શકે તે માટે ‘corporate associate, cooperative organisations, advisory societies’ વગેરે જરૂરી જણાય તે બધુ acqiure  કરશે. ટ્રસ્ટની ગવર્નિંગ કાઉન્સિલ છે તે શું શું કરી શકશે – sell, lease, transfer, dispose of, hire or give on rent all or any assets of the society. આ વ્યાપ જોતાં અમે સરકારીકરણ નથી કરવાના એવા એક ઉદ્‌ગાર પર મદાર બાંધવો તે કદાચ નાનીનમણી ખીંટી પર મોટો દઈત કોથળો ટિંગાડવા જેવું તો નથી ને?

કુમાર પ્રશાન્તે આશ્રમ વડાં (એસ.એ.પી.એમ.ટી. એટલે કે સાબરમતી આશ્રમ પ્રીઝર્વેશન એન્ડ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષ) ઇલાબહેન ભટ્ટ સાથે શરૂ કરેલી ચર્ચાથી તેમ ગણેશ દેવી અને આનંદ પટવર્ધન સાથે મળીને આ લખનારે વ્યાપક અનુમોદના સહ લખેલ પ્રગટ પત્રને પગલે એમના પ્રતિભાવ પરથી પડેલ છાપ એ હતી કે આશ્રમનાં નાનાંમોટાં છયે ટ્રસ્ટો – સંગ્રહાલય ટ્રસ્ટ, હરિજન આશ્રમ ટ્રસ્ટ, ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ, હરિજન સેવક સંઘ, ગોશાળા ટ્રસ્ટ અને ખાદી ગ્રામોદ્યોગ મંડળ – સંકલિત થઈને કામ કરશે. વળી સરકારે ઊહાપોહને પગલે આશ્રમ પાસે જે વિભાવના નોંધ (concept note) માગી છે તે નાગરિક સમાજની સહભાગિતાથી તૈયાર કરશે. આમાં કોઈ સુવાંગ સરકારી અખત્યારનો અલબત્ત સવાલ જ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો, છયે ટ્રસ્ટો, સ્થાનિક રહેવાસીઓ, મુલાકાતીઓ, રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય સમાનધર્મા સંસ્થાઓ – પરિબળો, તજ્‌જ્ઞો અને નાગરિક સમાજ કર્મશીલો, સૌ વચ્ચે સંકલન સાધવામાં, તેમને સહાયરૂપ થવામાં કોઈ સરકારી કબજાની રીતે અવકાશ નથી. પણ નવા ટ્રસ્ટ અને ગવર્નિંગ કાઉન્સિલનાં અખત્યાર ને કામગીરીનાં ક્ષેત્રોની જે તપસીલ ઉપર આપી એ સરકારીકરણ નથી તો શું છે, કોઈ તો કહો.

નવા ટ્રસ્ટે સૂચક રીતે ૨૦૦૨ની નકો નકો તપાસની રણભૂમિ અગર રંગભૂમિ સદૃશ ટ્રાન્સફરી હોસ્ટેલમાં હાલ ડેરાતંબૂ તાણ્યાં છે. સુભાષ પુલ કનેની આ હંગામી વ્યવસ્થા છે, અને અનુકૂળ સમયે અતિસૂચક રીતે તે સાબરમતી આશ્રમનાં આંગણામાં ઑફિસબધ્ધ થશે. ટૂંકમાં, જમણે અંગૂઠેથી પ્રવેશ, બીજું શું.

એસ.એ.પી.એમ.ટી. દેશપરદેશના વિવિધક્ષેત્રના નિસબત ધરાવતા મહાનુભાવો સાથે પ્રશ્નોત્તરી મારફતે દિશાસૂચન માગવા ઈચ્છે છે એવા સંકેતો ગાંધી આશ્રમ ભારતવર્ષની ઓળખરૂપ એક પ્રજાસૂય તીર્થ છે અને તેની જાળવણી કેવળ છ ટ્રસ્ટબધ્ધ અગર સરકારબધ્ધ નથી એવી લાગણીને હૈયાધારણ આપતા નથી એવું તો નહીં કહું. આ સૂચનો પ્રજાસમસ્ત માટે ખુલ્લાં મુકાય એવો ખયાલ પણ વિચારાતો સંભળાય છે એથી મને લગીર સારું લાગે છે એમ કહેતાં પણ હું નહીં ખચકાઉં. એક્સપ્રેસ સંવાદદાતાએ મને પૂછ્યું (જો કે એ છપાયું જણાતું નથી) ત્યારે મેં આ પ્રગટ પ્રશ્નચર્યામાં એક ઝાંખુંયે આશાકિરણ હોઈ શકે એમ જરૂર કહ્યું હતું.

પણ આ આશાકિરણ રા થતો દીવો છે કે ઓલવાતે ઓલવાતે ઝાઝું ઝબૂકતો દીવો છે એવી આશંકા સસ્થાને છે, સિવાય કે છયે આશ્રમ ટ્રસ્ટ આ મિનિટે એકસ્વરે એવી ભૂમિકા લે કે સરકાર અમારી સાથે રહે, રિપીટ, સાથે – નહીં કે માથે. આશ્રમનો વારસો જોતાં એ પોતે થઈને આવું કેમ ન કહી શકે? નહીં તો, નાગરિક સમાજે વધુ મોડું થાય તે પૂર્વે દરમિયાન થવું રહેશે.

૨૮ જાન્યુઆરી, ૨૦૨૨

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2022; પૃ. 01-02

Loading

30 January 2022 admin
← લૂઝ કનેક્શન શ્રેણી (23)
જગ્યા એક ને અરજી અનેક … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved