Opinion Magazine
Number of visits: 9448770
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પતિપરાયણ ચીની હિંદુ નારી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|30 July 2023

ચીનની આઝાદીના જંગમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર ભારતીય યુવાન ડૉકટરને શ્રદ્ઘાંજલિ આપતાં સામ્યવાદી ચિનના ક્રાંતિકારી પ્રમુખ માઓત્સે તુંગે શબ્દો ઉચ્ચાર્યા હતા :

“ચીનની સમગ્ર પ્રજાએ એક પ્રેમાળ મિત્રને ખોયો છે અને ચીનના લશ્કરે એક શકિતશાળી મદદકર્તા હાથ ગુમાવ્યો છે. આ યુવાન ડૉકટરનો આત્મા આપણા દેશના સીમાડાથી પર હતો.”

આ સેવાભાવી યુવાન ડૉકટરનો જન્મ ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા સોલાપુર નામના નાનકડા શહેરમાં ૧૯૧૦ની ૧૦મી ઑકટોબરે થયો હોવા છતાં ય વર્તમાન ભારતની પ્રજા તેમના નામથી આજે ભાગ્યે જ પરિચિત હશે. ૧૯૩૬માં દ્વારકાનાથ શાન્તારામ કોટનિસ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાંથી તેજસ્વિતા સાથે એમ.બી.બી.એસ.થઈને કારકિર્દીના શ્રીગણેશ કરી રહ્યા હતા. તે ગાળામાં ઈ.સ. ૧૯૩૮ના સપ્ટેમ્બર માસમાં ચીને ફાસિસ્ટ જાપાન વિરુદ્ઘ યુદ્ઘ જાહેર કર્યુ. મુકિતસંગ્રામમાં સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો લડતાંલડતાં વીરગતિ પામ્યા. હજારો લાખોની સંખ્યામાં ચીની સૈનિકો ઘાયલ થયા. ચીનને ડૉકટરોની સહાયતાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ, ત્યારે ચીનનો પરમ મિત્ર દેશ ભારત તેની મદદે આવ્યો.

૧૯૩૯ના ફેબ્રુઆરી માસમાં ચીનને આઝાદી સંગ્રામમાં મદદ કરવા ભારતથી રવાના થયેલા પાંચ ભારતીય ડૉકટરોની ટુકડીમાં ડૉકટર દ્વારકાનાથ કોટનિસની પણ નિમણૂક થઈ. મહિનાઓ સુધી ખાવાપીવા કે આરામની દરકાર કર્યા વિના ડૉકટર કોટનિસ જાપાન સામે મરણિયા થઈને સરહદ પર લડતાંલડતાં ઘવાયેલા ચીની સૈનિકોની સતત સેવા કરતા રહ્યા. ડૉકટર કોટ્નિસના રાતદિવસના અથાક પરિશ્રમને પરિણામે હજારો ચિની સૈનિકોને જીવતદાન મળતાં આખરે યુદ્ઘમાં ચીનનો વિજય થયો.

ઈ.સ. ૧૯૪૧માં ચીને સેવાની કદરરૂપે ડૉકટર કોટનિસની આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હૉસ્પિટલના પ્રથમ પ્રમુખ તરીકે નિમણૂક કરી. ડોકટર કોટનિસ આ પદ પર બહુ લાંબો સમય સેવા આપી શકયા નહિ. યુદ્ઘમાં શકિત બહારનો પરિશ્રમ કરતાં શરીરમાં નાનીમોટી ઘણી બીમારીઓ ઘર કરી ગઈ. ચીની પ્રજાની સેવા કરતાં ઈ.સ. ૧૯૪૨ની નવમી ડિસેમ્બરની એક સવારે આંચકી જેવી સામાન્ય બીમારીને કારણે ૩૨ વર્ષની ભરયુવાનીમાં તેમનું પ્રાણપંખેરુ ઊડી ગયું.

ડૉકટર કોટનિસની સેવાની કદર સમય સાથે ચીનના ઇતિહાસમાંથી વિલીન ન  થઈ જાય તે માટે ચીનની સામ્યવાદી સરકારે તેમના નામને આંતરરાષ્ટ્રીય બેથ્યુન પીસ હોસ્પિટલ સાથે સાંકળી લીધું. હૉસ્પિટલના પટાંગણમાં ડૉકટર કોટનિસની એક વિરાટ કદની પ્રતિમા મૂકવામાં આવી. ડૉકટર કોટનિસના લખેલા પત્રો, તેમના મનગમતાં પુસ્તકો, તેમની પેન, અંગત ડાયરી, તેમ જ તેમની જીવનજરૂરિયાત વપરાશી ચીજોને કાચની ફ્રેમમાં મઢીને હૉસ્પિટલના એક સંગ્રહસ્થાનમાં ગોઠવી દીઘી છે.

ઈ.સ. ૧૯૮૭માં આંતરરાષ્ટ્રીય બેથ્યુન હૉસ્પિટલને ૫૦ વર્ષ પૂરાં થયાં ત્યારે સરકારે તેની ઉજવણી ધામધૂમથી કરવાનું નકકી કર્યું. આ ઉત્સવની ઉજવણી માટે ચીને આખા વિશ્વમાંથી દરેક વિભાગના નિષ્ણાત ડૉકતરોને ભાગ લેવા આમંત્રિત કર્યા. બેથ્યુન હૉસ્પિટલનાં માનનીય ડોકટર કુમારી હાને અમેરિકામાં પેટના રોગોના નામાંકિત ડોકટર મિત્ર અશોક શાહને આ શુભ અવસરે તેમ જ નૂતન ચીનની યાત્રાએ પધારવા આમંત્રિત કર્યાં.

સવારની થોડીક પ્રાર્થના તેમ જ સન્માન બાદ હૉસ્પિટલના પટાંગણમાં બનાવેલા ભવ્ય મંચ પરથી વિશ્વના તમામ ડૉકટરો વચ્ચે મંચ પર પધારવા એક મહિલાનું નામ જાહેર થયું. નેવું વર્ષની જાજરમાન મહિલા જેવી મંચ પર પધારી, ત્યાં તો ચીનનાં તમામ શહેરોમાંથી તેમ જ વિશ્વભરમાંથી પધારેલ આમંત્રિત ડૉકટરો તે માનનીય મહિલાને વંદન કરવા ઊભા થઈ ગયા. મંચ પર પધારેલી તે માનનીય મહેલા બીજી કોઈ નહિ પણ ડોકટર કોટનિસનાં વિધવા પત્ની ગોક્લીન્ગ્લાન હતાં.

તે સાંજે હૉસ્પિટલના એક ઝગમગાટ વિશાળ ખંડમાં ઉજવણીરૂપે ભવ્ય ભોજનસમારંભ ગોઠવવામાં આવ્યો હતો. સમારંભમાં ડોકટર અશોક શાહને શ્રીમતી કોટનિસ મળ્યાં. તેમણે બહુ જ વિવેક તેમ જ આદરભાવ સાથે નમ્રતાથી શ્રીમતી કોટનિસને પૂછયુંઃ “તમે ડોકટર કોટનિસને ક્યારે મળ્યાં હતાં અને કેવી રીતે પતિ-પત્નીના પવિત્ર બંધનમાં જોડાઈ ગયા?”

શ્રીમતી કોટનિસે કહ્યું, હું અને ડોકટર કોટનિસ યુદ્ઘમાં એક મોરચે એક જ છાવણીમાં સાથે કામ કરતાં હતાં. તેઓ ડૉકટર હતા અને હું નર્સ હતી. અમારા બંનેનું કાર્ય તેમ જ ધ્યેય એક જ હતું, સેવા. આ એક જ સ્વપ્નને ખાતર અમે જિંદગીને વાસ્તવિકતામાં પલટાવી નાખી. અમારો પ્રેમ બહુ જ ટૂંકા ગાળામાં પ્રગટીને પતિ-પત્નીરૂપે પાંગર્યોં.

‘અમારા સુખી લગ્નજીવનથી અમારા ઘરે એક પુત્રનું પારણું બંધાયું. અમારું પ્રેમાળ હસતું કુટુંબ જોઈને કુદરતને અદેખાઈ આવી. અમારા પ્રેમની છેલ્લી નિશાની અમારો પુત્ર પણ ડોકટર કોટનિસના મૃત્યુના થોડાક મહિના બાદ મને એકલી રુદન કરતી મૂકીને ઈશ્વરને પ્યારો થઈ ગયો”.

ડૉકટર શાહે પૂછયું, “તમે ભર યુવાનીમાં વિધવા થયાં. જો તમે ધાર્યું હોત તો ચીની સંસ્કૃતિ પ્રમાણે અવશ્ય બીજાં લગ્ન કરી શકયાં હોત, ખરુને?”

શ્રીમતી કોટનિસે કહ્યું, “તમારી વાત સાવ સાચી છે! ધારત તો હું અવશ્ય બીજાં લગ્ન કરી શકત. મને એક તો શું ઘણા ચીની યુવાનો પરણવા માટે તૈયાર થાત! પણ મને ફરી આવો ઈશ્વર જેવો પતિ તો ન જ મળત. મેં મારા મનમંદિરમાં આ એક ઈશ્વરની પ્રતિમાને સ્થાન આપી તેની પૂજામાં મારું જીવન સમર્પિત કરી દીધું હતું. જેની પૂજા અને ભકિતથી હું એક નહીં સાતસાત ભવ તરી ગઈ છું. ડોકટર કોટનિસને પરણ્યા બાદ મને જીવનમાં કોઈ અસંતોષ કે કોઈ ઈચ્છા રહી ન હતી. ઈશ્વરે મને જેટલો સમય ડૉકટર કોટનિસ જોડે જીવવા દીઘી તે મારા માટે અતિભવ્ય હતો.

“હું ડૉકટર કોટનિસને પરણી એટલે તમારા ધર્મશાસ્ત્ર પ્રમાણે હું હિંદુ થઈ ગઈ. તો પછી હિંદુ પત્ની કઈ રીતે બીજાં લગ્ન વિશે વિચાર પણ કરી શકે? હું તો જન્મોજન્મ શ્રીમતી કોટનિસ તરીકે જીવવાનું ઈશ્વર પાસે વરદાન માગી ચૂકી છું. હું શ્રીમતી કોટનિસ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવુ છું. ડૉકટર કોટનિસ તેમના કર્મથી અમર થઈ ગયા .આવા અમર પુરુષની પત્ની શું કોઈ કાળે વિધવા હોઈ શકે ખરી?”                                                                           

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

30 July 2023 Vipool Kalyani
← નિરંજન ભગતના અનુવાદોનો સર્વસંગ્રહ
ભાવવધારાને બહુ ભાવ આપવા જેવો નથી … →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved