Opinion Magazine
Number of visits: 9448740
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરપકડ માટે કારણભૂત બનેલી *પ્રો.અલી ખાન મહેમૂદાબાદની પોસ્ટ:*

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|20 May 2025

અલી ખાન મેહમૂદાબાદ

પાકિસ્તાનમાં લશ્કર અને આતંકવાદી (એટલે કે બિન-રાજ્ય કર્તાઓ) વચ્ચે વિલય પામતા રહેલા તફાવતના સંદર્ભમાં ભારતે વાસ્તવમાં વ્યૂહાત્મક રીતે નવા તબક્કાનો આરંભ કર્યો છે. હકીકતમાં કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિઓ સામેનો પ્રતિભાવ પરંપરાગત ઉત્તરને જ આમંત્રે, અને તેથી તેની જવાબદારી પાકિસ્તાની લશ્કરની છે કે તે હવે આતંકવાદીઓ અને બિન-રાજ્ય કર્તાઓની પાછળ સંતાય નહીં. 

પાકિસ્તાન ઘણા લાંબા સમયથી લશ્કરીકૃત બિન-રાજ્ય કર્તાઓનો ઉપયોગ આ પ્રદેશને અસ્થિર કરવા માટે કરી રહ્યું છે અને છતાં તે આતંકવાદથી અસરગ્રસ્ત છે તેવું વૈશ્વિક મંચ પર દાવા સાથે કહે છે. તેણે એ જ લોકોનો ઉપયોગ પાકિસ્તાનમાં સંપ્રદાયવાદી તનાવ ઊભો કરવા માટે પણ કર્યો છે અને તેમાંના કેટલાક પર તાજેતરમાં હુમલા કરવામાં આવ્યા છે. 

ઓપરેશન સિંદૂર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોના તમામ પ્રસ્થાપિત સિદ્ધાંતોને પુન: ગોઠવે છે, અને તે એમ કહે છે કે આતંકવાદી હુમલાનો જવાબ લશ્કરી પ્રતિભાવ તરીકે આપવામાં આવશે,  અને તે બે વચ્ચેના કોઈ પણ લવારિયા તફાવતને નેસ્તનાબૂદ કરે છે. 

આ તફાવત તૂટ્યો તેમ છતાં, ભારતના લશ્કર દ્વારા એની કાળજી લેવાઈ છે કે લશ્કરી કે નાગરિક મથકો પર કે માળખાગત સવલતો પર હુમલા ન થાય કે જેથી ખોટો બિન-જરૂરી ભડકો ન થાય. આમ, સંદેશ બહુ સ્પષ્ટ છે : જો તમે તમારે ત્યાંના આતંકવાદની સમસ્યા નહીં ઉકેલો તો અમે એ ઉકેલીશું! નાગરિકોની જિંદગીની નુકસાની બંને પક્ષે દુઃખદાયી છે અને તે જ એક મુખ્ય કારણ છે કે યુદ્ધ ટાળવું જોઈએ.

કેટલાક લોકો બેફામપણે યુદ્ધની વકીલાત કરે છે પરંતુ તેમણે કદી પણ સંઘર્ષનો પ્રદેશ જોયો હોતો જ નથી, ત્યાં રહેવાની કે તેની મુલાકાત લેવાની વાત તો સાવ જ બાજુ પર. મોક સિવિલ ડિફેન્સ ડ્રીલના ભાગ બનવાથી તમે સૈનિક નથી બની જતા અને તમે કદી એ જાણતા પણ નથી કે સંઘર્ષને કારણે જે સહન કરે છે એની શી પીડા હોય છે. યુદ્ધ ઘાતકી છે. ગરીબોને ખૂબ સહન કરવું પડે છે અને જેમને લાભ થાય છે તે છે રાજકારણીઓ અને શસ્ત્રો પેદા કરનારી કંપનીઓ. રાજકારણનું મૂળ મુખ્યત્વે હિંસા હોય છે તેથી યુદ્ધ અનિવાર્ય બની જાય છે, માનવજાતનો ઇતિહાસ તો કમ-સે-કમ આ જ શીખવે છે. આપણે એ સમજવું પડશે કે રાજકીય સંઘર્ષો ક્દી પણ લશ્કરી માર્ગે ઉકેલાયા નથી.

છેલ્લે, મને એ વાતની ખુશી છે કે ઘણા જમણેરી વિવેચકોએ પણ કર્નલ સોફિયા કુરેશીની પ્રશંસા કરી છે. પરંતુ તેમણે એટલા જ બુલંદ અવાજે એવી માગણી કરવી જોઈએ કે મોબ લિન્ચિંગ, સ્વચ્છંદી રીતે ચલાવાતાં બુલડોઝર અને ભા.જ.પ.ના નફરતનાં પીપૂડાંના અસરગ્રસ્તોનું પણ ભારતના નાગરિકો તરીકે રક્ષણ થાય. 

બે મહિલા સૈનિકોને લશ્કરની વાત કહેવા માટે રજૂ કરવાના દેખાડા મહત્ત્વના છે, પણ હકીકતમાં તે જમીની સ્તરે વાસ્તવિકતા બનવું જોઈએ, નહીં તો તે દંભ માત્ર બની રહે છે. જ્યારે અગ્રણી મુસ્લિમ રાજકારણીઓ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ કહે છે અને તેમને તેથી પાકિસ્તાનીઓ દ્વારા ટ્રોલ કરવામાં આવે છે; ત્યારે ભારતના જમણેરી વિવેચકો તેમનો એમ કહીને બચાવ કરે છે કે “એ તો અમારા મુલ્લા છે.” અલબત્ત, આ રમૂજી બાબત છે, પણ તે એ બાબત પ્રત્યે પણ ધ્યાન ખેંચે છે કે કોમવાદ ભારતના રાજકીય દેહમાં કેટલો ઊંડે સુધી ઘૂસી ગયો છે.

મારા માટે એ પત્રકાર પરિષદ એ તો એક ક્ષણિક આવેશ હતો, એ કદાચ પાકિસ્તાનનું નિર્માણ જેના પર થયું છે તે તર્કને નકારતો ભ્રમ પણ હતો અને અછડતો સંકેત પણ. મેં કહ્યું તે પ્રમાણે સામાન્ય મુસ્લિમો જેનો સામનો કરે છે તે જમીની સ્તરની વાસ્તવિકતા સરકાર જે બતાવવા માગે છે તેના કરતાં જુદી જ છે. પરંતુ તેની સાથે સાથે પત્રકાર પરિષદ એમ દર્શાવે છે કે ભારત તેની વિવિધતામાં એક છે અને તેની વિભાવના સાવ મારી પરવારી નથી.

જય હિન્દ 

*ઉપરોક્ત પોસ્ટ હરિયાણાની વિશ્વ વિખ્યાત અશોક યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્રના અધ્યાપક પ્રો. અલી ખાન મહેમૂદાબાદ દ્વારા FB પર જય હિન્દ અને રાષ્ટ્રધ્વજ સાથે તા. ૦૮-૦૫-૨૦૨૫ના રોજ મૂકાઈ હતી અને તેમના પર FIR કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.*

*હું આ ધરપકડનો સખત વિરોધ કરું છે કારણ કે તે બંધારણમાં લખવામાં આવેલા વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યના અધિકારના ભંગ સમાન છે.* 

હું મારા એ જ અધિકારનો ઉપયોગ કરીને એ પોસ્ટનો અનુવાદ ગુજરાતી વાચકો માટે પ્રસ્તુત કરું છું. 

તા. ૧૯-૦૫-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

20 May 2025 Vipool Kalyani
← મને જવા દો
ગાંધી અને લાદેન વચ્ચેનો કાલ્પનિક સંવાદ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved