Opinion Magazine
Number of visits: 9448763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશ માટે બલિદાન આપવાનું કહેતા નેતા કયું બલિદાન આપે છે?

રમેશ સવાણી|Opinion - Opinion|16 January 2025

ગોધરામાં 12 જાન્યુઆરી 2025ના રોજ, ‘ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસીએશન’ અને ‘હ્યુમેનિસ્ટ રેશનાલિસ્ટ એસોસીએશન’ દ્વારા યોજાયેલા પરિસંવાદમાં વ્યાખ્યાન આપેલું તેના મુખ્ય મુદ્દાઓ :

[1] રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભકિતને નામે નેતાઓ લોકોને દેશ માટે બલિદાન આપવાનું કહે છે પણ પોતે ભાગ્યે જ કશું બલિદાન આપે છે. દેશ પ્રત્યે નાગરિકની ફરજ છે, એમ કહીને સતત નાગરિકોને પોતાના અધિકારોને ભૂલી જવાનું કહેવામાં આવે છે એ તદ્દન અતાર્કિક બાબત છે. ભારતના જે સૈનિકો આતંકવાદમાં મરે છે તેઓ મોટે ભાગે ગરીબ પરિવારોના જ હોય છે. ગરીબો દેશ માટે જાન આપે છે, ધનવાનો નહિ, રાજકીય નેતાઓ નહિ. રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ નાગરિકોના અધિકારો કોરાણે મૂકવાનું કાવતરું હોય છે.

[2] સંસ્કૃતિને રાષ્ટ્રત્વની વ્યાખ્યામાં બાંધવામાં આવે છે. પણ રાષ્ટ્ર જેવું કશું ખરેખર હોતું જ નથી. રાષ્ટ્ર તો એક કલ્પના છે કે જે લોકો પર ઠોકી બેસાડવામાં આવે છે. વિચાર, વર્તન, સંકેતો, સંચાર અને સંબંધો સમાન હોય ત્યારે રાષ્ટ્ર બને છે એવી વિભાવનામાં નાગરિક જ ભૂલાઈ જાય છે, કે જેને માટે રાષ્ટ્ર કલ્પવામાં આવ્યું છે. 

[3] ભાષા, સંસ્કૃતિ, ધર્મ, જાતિ, ભૌગોલિક એકતા અને રાજકીય એષણા થકી રાષ્ટ્ર બને છે. એને રાજ્ય હોય પણ ખરું અને ન પણ હોય. સવાલ સૌ સાથે મળીને શાંતિથી જીવે તે છે, કારણ કે માણસજાતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને રાજ્ય બનાવ્યું હોય છે.  

[4] રાષ્ટ્રવાદ લોકોને એવું શીખવે છે કે તેમનો દેશ જ મહાન છે, તેમનો ધર્મ અને તેમની સંસ્કૃતિ જ મહાન છે, શ્રેષ્ઠ છે અને બીજા બધાને તે ઊતરતી કક્ષાના ગણે છે. જગતમાં વ્યાપેલી અશાંતિનું એક અગત્યનું કારણ આ છે કારણ કે આ તદ્દન બુદ્ધિ વગરની વાત છે. હિટલર એમ જ કહેતો હતો કે જર્મનો આર્ય છે અને તેઓ જ જગત પર શાસન કરવાને લાયક છે. વિશ્વગુરુ થવાના અભરખા પણ કંઈક આ જ રીતના લાગે છે. એનું પરિણામ સહેજે સ્પષ્ટ છે. 

[5] રાષ્ટ્રભક્તિ હોય પણ એ જ્યારે નેતાભક્તિ કે સરકારની ભક્તિમાં પરિણમે છે ત્યારે તે વધારે મૂર્ખાઈભરી બને છે. 

[6] દેશની અખંડતા એટલા માટે જાળવવાની હોય છે કે જેથી લોકોનું કલ્યાણ એમાં રહેલું છે. પણ સૌને માટે સમાન રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય મહત્ત્વનો છે. 

સેમ્યુઅલ જ્હોનસન

[7] જગતભરના દેશોના નકશાઓ બદલાતા રહ્યા છે. એટલે નકશાઓને નહિ, એની સરહદોમાં રહેતા અને સરહદોની પેલે પાર રહેતા મનુષ્યોને વધુ પ્રેમ કરવાની જરૂર છે. એ જ વધુ બુદ્ધિપૂર્વકનું કૃત્ય હોઈ શકે.

[8] વિખ્યાત બ્રિટિશ સાહિત્યકાર સેમ્યુઅલ જ્હોનસન એમ કહે છે કે, ‘રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનું છેલ્લું આશ્રયસ્થાન હોય છે.’ નેતાઓ અને રાજકીય પક્ષોને લોકોની લાગણીને ભડકાવવા રાષ્ટ્રભક્તિના ઓઠાની જરૂર પડે છે. એમની પાસે બીજું કોઈ સાધન રહેતું નથી ત્યારે તેઓ દેશભક્તિનું સૂત્ર લઈ આવે છે. 2016ની નોટબંધી વખતે એમ જ થયું હતું. લોકોને 50 દિવસ દેશ માટે બલિદાન આપવાનું કહેવામાં આવ્યું હતું. જેણે આ કહ્યું એણે કયું બલિદાન આપ્યું હતું? 

[સૌજન્ય : પ્રો. હેમંતકુમાર શાહ]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 January 2025 Vipool Kalyani
← Is Narayan Guru Part of Sanatan Dharma?
દરિયે મને →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved