Opinion Magazine
Number of visits: 9453339
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડીટનને ૨૦૧૫ના અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર

ગૌરાંગ જ. યાજ્ઞિક|Opinion - Opinion|5 November 2015

તા. ૧૨ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ ધ રૉયલ સ્વિડિશ એકૅડેમી ઑફ સાયન્સિઝે એ આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીઝ રીક્સબૅન્ક ઇનામ ૨૦૧૫, અર્થશાસ્ત્રી ઑન્ગસ ડીટનને તેમના ‘વપરાશ, ગરીબી અને કલ્યાણના વિશ્લેષણ’ માટે એનાયત કરવાનું નક્કી કર્યું.

ઍન્ગસ ડીટન અમેરિકા અને બ્રિટન એમ બે દિશોનું નાગરિકત્વ ધરાવે છે. તેમનો જન્મ ઇંગ્લૅન્ડના એડિનબરો ખાતે ઈ.સ. ૧૯૪૫માં થયો હતો. ઈ.સ. ૧૯૭૮માં તેમણે કૅમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડથી પીએચ.ડી.ની પદવી હાંસલ કરી. ત્યાર બાદ ૧૯૮૩થી તેઓ પ્રિન્સટન યુનિવર્સિટી, ન્યુ જર્સી, અમેરિકા ખાતે અર્થશાસ્ત્ર અને આંતરરાષ્ટ્રીય બાબતોના પ્રાધ્યાપક તરીકે સેવા આપી રહ્યા છે. તેમનું પ્રખ્યાત પુસ્તક The Great Escape : Health, Wealth and Origins of Inequality ૨૦૧૩માં પ્રસિદ્ધ થયું.

ઍન્ગસ ડીટનની પસંદગી સંદર્ભે નોબેલ પસંદગી-સમિતિએ જે વૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિકા પ્રસિદ્ધ કરી તેમાં જણાવ્યા મુજબ :

‘વસ્તુઓ અને સેવાઓની વપરાશ એ માનવકલ્યાણને નક્કી કરનારું મૂળભૂત પરિબળ છે. વ્યક્તિઓ વચ્ચે વપરાશની વહેંચણી ઘણા અગત્યના મુદ્દાઓને અસર કરી શકે છે જેમાં, સમાજની આર્થિક, રાજકીય અને સામાજિક ક્ષેત્રની અસમાનતા અને ગરીબીનો સમાવેશ થાય છે. મોટા ભાગના દેશોમાં, કુલ વપરાશ, કુલ માંગનો મોટો હિસ્સો છે અને આર્થિક પ્રવૃત્તિમાં આવતા મોટાભાગના સામયિક પરિવર્તનો માટે જવાબદાર પણ છે. આવકના કોઈ એક સ્તરે, વપરાશ, બચતો અને તેના કારણે મૂડીના પુરવઠા દ્વારા મૂડીરોકાણ નક્કી કરે છે. આથી જ, એ સ્વાભાવિક છે કે, વપરાશ, છેલ્લી સદીમાં આર્થિક સંશોધનના કેન્દ્રમાં રહ્યું છે.

‘છેલ્લા ત્રણથી ચાર દાયકા દરમિયાન વપરાશનો અભ્યાસ ખૂબ જ વિકાસ પામ્યો છે. આ વિકાસમાં ઘણા વિદ્વાનોએ યોગદાન આપ્યું છે, પરંતુ તે તમામમાં ઍન્ગસ ડીટન ખાસ છે. તેમણે ઘણાં મૂળભૂત અને આંતરસંબંધિત યોગદાનો કર્યાં છે, જે વપરાશના માપન, સિદ્ધાંત અને આંકડાકીય વિશ્લેષણ વિશે સીધી વાત કરે છે.’

ધ રૉયલ સ્વિડિશ એકૅડેમીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ‘તેમના સંશોધને કુલ ઉત્પાદન અને વ્યક્તિગત પસંદગીઓને જોડીને, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર અને વિકાસના અર્થશાસ્ત્રમાં આવેલા પરિવર્તનમાં મદદ કરી છે. ડીટનના જે કામને સન્માનિત કરવામાં આવી રહ્યું છે, તે મુખ્યત્વે નીચેના ત્રણ પ્રશ્નો પર આધારિત છે :

(૧) ગ્રાહકો વિવિધ વસ્તુઓ પાછળ પોતાનો ખર્ચ કેવી રીતે વહેંચે છે? આ પ્રશ્નનો ઉત્તર વાસ્તવિક વપરાશ તરેહની સમજણ અને અનુમાન માટે આવશ્યક હોવા ઉપરાંત વપરાશવેરામાં પરિવર્તન જેવા નીતિવિષયક સુધારાઓ, જુદા-જુદા વર્ગોના કલ્યાણને કેવી રીતે અસર કરે છે, તેના મૂલ્યાંકન માટે નિર્ણાયક બની રહે છે. ઈ.સ. ૧૯૮૦ની આસપાસના પોતાના અગાઉના કાર્યના સંદર્ભમાં ડીટને દરેક વસ્તુની માંગ તમામ વસ્તુઓની કિંમતો અને વ્યક્તિગત આવક પર કેવી રીતે આધાર રાખે છે, તેના માપનની સરળ, પરિવર્તનશીલ એવી ‘લગભગ આદર્શ માગ પ્રણાલી’ (Almost Ideal Demand System) વિકસાવી. તેમનો અભિગમ અને પાછળથી તેમાં થયેલા સુધારાઓ, આજે શૈક્ષણિક તેમ જ વ્યાવહારિક નીતિમાપન માટેના આદર્શ સાધન તરીકે વપરાય છે.

(૨) સમાજની આવકનો કેટલો ભાગ ખર્ચાય છે અને કેટલો બચે છે? મૂડીનિર્માણ અને વ્યાપારચક્રના વિવિધ આયામો સમજાવવા, સમયગાળા દરમિયાન આવક અને વપરાશ વચ્ચેનો આંતરસંબંધ સમજવો જરૂરી છે. ૧૯૯૦ની આસપાસ કેટલાક સંશોધન-લેખોમાં ડીટને દર્શાવ્યું હતું કે જો કુલ આવક અને વપરાશને આરંભબિંદુ હોય, તો પ્રવર્તમાન વપરાશનો સિદ્ધાંત વાસ્તવિક સંબંધ સમજાવી શકતો નથી. એને બદલે, વ્યક્તિઓ પોતાના વપરાશને તેમની વ્યક્તિગત આવક સાથે કેવી રીતે જોડે છે કે જે કુલ આવકના સંદર્ભમાં જુદી જ રીતે બદલાતો રહે છે. તેના સંદર્ભમાં દરેકે અભિપ્રાય બનાવવો જોઈએ. વ્યક્તિગત માહિતી, કુલ માહિતીનાં વલણોને સમજવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, તેવા આધુનિક સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના વ્યાપક રીતે પ્રયોજાતા અભિગમને આ સંશોધને સરળતાથી રજૂ કર્યો છે.

(૩) આપણે કલ્યાણ અને ગરીબીનું ઉત્તમ માપન અને વિશ્લેષણ કેવી રીતે કરીએ છીએ ? તેમના તાજેતરનાં સંશોધનમાં ડીટને સમજાવ્યું કે વ્યક્તિગત ઘરેલુ વપરાશના સ્તરના આધારભૂત માપનના આર્થિક વિકાસ પાછળ રહેલી પ્રક્રિયાઓ સમજવામાં કેવી રીતે ઉપયોગ થઈ શકે છે, તેમના સંશોધને સમય અને સ્થળમાં પ્રવર્તતી ગરીબીની માત્રાની સરખામણીમાં રહેલી અગત્યની મર્યાદાઓને પણ ખુલ્લી પાડી દીધી. આ સંશોધને એ પણ સાબિત કર્યું કે ઘરેલુ માહિતીનો સમજણપૂર્વકનો ઉપયોગ આવક અને કૅલરી-વપરાશ અને કુટુંબમાં રહેલા લિંગ-ભેદભાવ(gender discrimination)ના પ્રમાણ વચ્ચેના સંબંધને લગતી સમસ્યાઓ પર પ્રકાશ પાડી શકે છે. વિકાસના અર્થશાસ્ત્રના, કુલ માહિતી પર આધાર રાખતા ક્ષેત્રમાંથી વિસ્તૃત વ્યક્તિગત માહિતી પર આધારિત અનુભવમૂલક ક્ષેત્રમાં થયેલા પરિવર્તનમાં ડીટનના ઘરેલુ મોજણીના આગ્રહે મદદ કરી છે.

આમ, ઍન્ગસ ડીટનનું સંશોધન વપરાશના વિવિધ આયામોને આવરી લેતાં વિશાળ ક્ષેત્રમાં વિસ્તર્યું છે. તેમના સંશોધનનો મૂળ હેતુ સિદ્ધાંત અને માહિતી તથા વ્યક્તિગત વર્તનો અને કુલ આર્થિક પરિણામો વચ્ચેનો સેતુ પૂરો પાડવાનો છે.

વિશ્વના તમામ દેશો માટે વિકાસની ‘સાચી માપણી’ અને આર્થિક નીતિઘડતરમાં ડીટનના સંશોધને એક સ્પષ્ટ, મહત્ત્વનો અને વ્યવહારુ આયામ ઊભો કર્યો છે.               

હાઇલેન્ડ પાર્ક, અમદાવાદ-૩૮૦ ૦૧૫

Web Resources : http://scholar.princeton.edu/deaton

                             http://kva.se and

                             http://nobleprize.org

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 17

Loading

5 November 2015 admin
← જૂનાગઢ : આઝાદી, આરઝી હકૂમત અને છેલ્લા નવાબ
નાઝીવાદ વિશે ‘દર્શક’ની નાટ્યકૃતિઓ →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved