Opinion Magazine
Number of visits: 9446699
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડાબેરીઓને હજુ પણ હત્યાઓ અને ગુલામી બહુ ગમે છે?

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|15 June 2025

હેમન્તકુમાર શાહ

ક્રાંતિ અને મૂડીવાદનો વિરોધ તથા સમાજવાદ કે પછી આર્થિક સમાનતાના નહીં સિદ્ધ થયેલા આદર્શને નામે ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં જે સામ્યવાદી તાનાશાહી વીસમી સદીમાં ચલાવવામાં આવી અને લાખો લોકોને મારી નાખવામાં આવ્યા કે જેલમાં નાખવામાં આવ્યા એ હકીકતને ડાબેરીઓ કે સામ્યવાદીઓ અવગણે છે. 

અમેરિકન કે પશ્ચિમ યુરોપિયન મૂડીવાદનો કે ભારતના મૂડીવાદનો અને હિન્દુ જાતિવાદનો વિરોધ કરવામાં તેઓ સામ્યવાદને નામે આચરાયેલી ભયંકર હિંસા સામે આંખો બંધ કરી દે છે એ આશ્ચર્યજનક છે. 

કેટલીક હકીકતો જોઈએ :

(૧) સોવિયેત સંઘમાં ૧૯૨૧થી ૧૯૫૩ દરમ્યાન આઠ લાખ વિરોધીઓને મોતની સજા થઈ હતી, હિટલરે ઊભી કરી હતી તેવી શ્રમ છાવણીઓમાં ૧૩થી ૧૭ લાખ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ૩.૯૦ લાખ ખેડૂતોને મારી નાખવામાં આવ્યા હતા. જોસેફ સ્ટાલિન ત્રીસ વર્ષ સુધી સત્તા પર રહી ૧૯૫૩માં મરી ગયા તે પછી તો જે થયું તે જુદું. 

(૨) ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિને નામે માઓ ત્સે તુંગ દ્વારા ૧૯૬૬-૬૯ દરમ્યાન ૧૬ લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા. 

(૩) પૂર્વ યુરોપના યુક્રેન, બેલારુસ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, જ્યોર્જિયા, પોલેન્ડ, હંગેરી, ચેકોસ્લોવેકિયા, આઝારબૈજાન, કિર્ઘિસ્તાન, તુર્કમેનિસ્તાન વગેરે જેવા ૧૪ દેશોને રશિયાએ લગભગ ગુલામ બનાવી દીધેલા ૧૯૯૧ સુધી. યુક્રેનને ફરી ગુલામ બનાવવા જ પુતિને યુદ્ધ શરૂ નથી કર્યું?

(૪) હંગેરીમાં ૧૯૫૬માં જ્યારે સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ અવાજ ઉઠાવ્યો ત્યારે ત્યાં સોવિયેત લશ્કરે ૨,૫૦૦ લોકોને મારી નાખેલા અને બીજા ૨૦,૦૦૦ લોકો એ સંઘર્ષમાં ઘવાયા હતા. આશરે બે લાખ લોકોને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. 

(૫) ૧૯૬૮માં ચેકોસ્લોવેકિયામાં પણ સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ તદ્દન અહિંસક રીતે અવાજ ઉઠાવ્યો ત્યારે સોવિયેત સંઘે ત્યાં લશ્કર મોકલીને ફરી ચેક લોકોને ગુલામ બનાવી દીધેલા.

હજુ કેટલાં ય ઉદાહરણો, વિગતો આપી શકાય તેમ છે. દુનિયાભરમાં સામ્યવાદી શાસનોમાં આ રીતે આશરે દસ કરોડ લોકોની હત્યા કરવામાં આવી અને લાખો લોકોને જેલમાં નાખવામાં આવ્યા એમ ઘણા તટસ્થ અંદાજો કહે છે.

મૂડીવાદી લોકશાહી માણસોનું શોષણ કરીને આડકતરી રીતે મારે છે એ મંજૂર. પણ સામ્યવાદી તાનાશાહી સીધી જ હત્યાઓ કરે છે એનું શું? એમાં સત્તાધીશો કોઈ વિરોધ સહન કરતા જ નથી એનું શું? ચીનમાં શું થઈ રહ્યું છે છેલ્લી પોણી સદીથી? 

ધર્મને નામે ચાલતી રાજાશાહીવાળી તાનાશાહી સુન્ની સાઉદી અરેબિયામાં શું કરી રહી છે?  શિયા ઈરાનમાં શું થઈ રહ્યું છે? અફઘાનિસ્તાનની તો વાત જ ન પૂછો! 

કોઈ પણ પ્રકારની આવી તાનાશાહીનું સમર્થન કોઈ કાળે થઈ શકે નહીં. અને એની ઈચ્છા પણ રાખી શકાય નહીં. ભારતીય ડાબેરીઓ કે સામ્યવાદીઓએ એ ભૂલવું જોઈએ નહીં કે તેઓ લોકશાહી માર્ગે કેરળ, ત્રિપુરા અને બંગાળમાં સત્તા પર આવ્યા હતા અને ટક્યા હતા. ભારતની મૂડીવાદી લોકશાહીનું એ સામ્યવાદી નજરાણું રહ્યું છે.

નોબેલ સાહિત્ય ઇનામ વિજેતા સોવિયેત લેખક એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનનાં પુસ્તકો વાંચીએ તો સોવિયેત સંઘના નેતાઓની ક્રૂરતા હિટલરની ક્રૂરતા કરતાં સહેજે ઓછી નહોતી એનો સ્વાભાવિક રીતે ખ્યાલ આવે છે.

એક મહાન યુગોસ્લાવ લેખક હતા મિલોવાન જિલાસ. તેમણે સામ્યવાદમાં સામ્યવાદીઓ પોતે જ કેટલા શોષણખોર બની જાય છે એ તેમના વિખ્યાત પુસ્તક ‘The New Class’માં અદ્ભુત રીતે સમજાવ્યું છે. એ વાંચવાની હિંમત ડાબેરીઓએ કરવી જોઈએ. 

કહેવાનો અર્થ એ નથી અહીં કે, મૂડીવાદ સામ્યવાદ કરતાં સારો અને ઇચ્છનીય છે. પણ હા, મૂડીવાદી લોકશાહીમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રહે છે ખરી કે જે સામ્યવાદી તાનાશાહીમાં હોતી નથી એ સાબિત થઈ ગયેલી હકીકત છે. એટલે અંશે મને મૂડીવાદી લોકશાહી ગમે છે કારણ કે એમાં હું જંતુ નહીં માણસ તરીકે જીવી તો શકું છું અને સરકારનો વિરોધ તો કરી શકું છું. માટે લોકશાહીને બચાવવી એ જ એક ઉપાય છે, સામ્યવાદના મંજીરાં વગાડ્યા વિના. હિંસા, અન્યાય અને ગુલામીનો વિરોધ એ જ એક સૂત્ર. મનુષ્યની સ્વતંત્રતા સર્વોચ્ચ મૂલ્ય.  

(મારા કેટલાક મિત્રો *સામ્યવાદી તાનાશાહી* જેવા શબ્દો જ્યારે હું લખું ત્યારે મારી પર રોષે ભરાય છે. તેમણે જ મને આ લખવા માટે પ્રેરણા આપી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તેઓ હવે મને જોઈને એમનું મોં ફેરવી લે તો ભલે.) 

તા.૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

15 June 2025 Vipool Kalyani
← પૈસા ખર્ચો અને જીવ બચાવો
ડોનાલ્ડ ટ્રમ્પ નામે વંટોળિયોઃ તેની ઉચ્છૃંખલતા તેનું ઘર તો બાળે જ છે પણ સાથે વૈશ્વિક સંતુલન ખોરવાઇ રહ્યું છે →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved