Opinion Magazine
Number of visits: 9448690
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના મૅનેજમૅન્ટ પછી હવે અસરગ્રસ્તોના આંકડા અંગે હાથ ઊંચા કરી દેતી કેન્દ્ર સરકાર

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|30 September 2020

ભારતમાં કોરોના વાઇરસ સંક્રમિત દરદીઓની સંખ્યા 56 લાખ ઉપર અને મૃતકોની સંખ્યા 96 હજારથી વધુ સત્તાવાર જાહેર થઈ. આ બાબતે વિશ્વભરમાં અમેરિકા પછી ભારત બીજા ક્રમે છે. સંસદમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે જવાબ આપ્યો કે લૉક ડાઉનના કારણે ચાલતા જઈ રહેલા કે પાછળથી શરૂ કરાયેલી ખાસ શ્રમિક ટ્રેનોમાં, બીમારીથી કે ભૂખમરાથી શ્રમિકોનાં થયેલ મૃત્યુ વિશે સરકાર પાસે કશી માહિતી નથી.

ગત મે માસમાં વતન મધ્ય પ્રદેશ જઈ રહેલ 16 શ્રમિકો જાલના અને ઔરંગાબાદ વચ્ચે કચડાઇ મૂઆ હતા. તે જ દિવસોમાં મુઝફ્ફરપુર રેલવે પ્લેટફોર્મ પર બાળક ભૂખમરાથી મૃત્યુ પામેલી માતાને જગાડવા પ્રયાસ કરી રહ્યાનાં કરુણ દૃશ્યોનો વીડિયો વાઇરલ થયો હતો. અમદાવાદથી ટ્રેનમાં આવેલ આ સ્ત્રી ભૂખમરાથી મૃત્યુ પામી હતી. મુઝફ્ફરપુર જિલ્લા વહીવટીતંત્ર તેમ જ રેલવે સત્તાવાળાઓએ એવો ખુલાસો કર્યો કે આ સ્ત્રી તેના કોઈ શારીરિક રોગના કારણે મૃત્યુ પામી હતી. શ્રમિકોની ખરાબ દશા અંગેના અનેક વીડિયો વાઇરલ થયા હતા.

સરકારના દાવા પ્રમાણે શ્રમિકો માટે 4,611 ખાસ ટ્રેનો દોડાવવામાં આવી હતી. આ ટ્રેનો મારફત આશરે 63 લાખ શ્રમિકોને તેમના વતન ઝારખંડ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા વ. રાજ્યોમાં પરત મોકલાયા. તેમાંના કેટલાક રાજ્યોએ આ મુસાફરી દરમિયાન પાણી તેમ જ ખોરાકની વ્યવસ્થા પૂરી પાડી હતી.

આમ છતાં કેન્દ્રીય શ્રમ મંત્રીએ એક પ્રશ્નના ઉત્તરમાં એમ જાહેર કર્યું કે શ્રમિકોનાં થયેલ મોત સંબંધમાં કોઈ માહિતી ન હોવાથી તેમના કુટુંબીજનોને વળતર ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. સંસદના પ્રથમ દિવસે સરકારના આ જવાબથી સંસદમાં અને બહાર ઘણો ઊહાપોહ મચ્યો છે. રેલવે મંત્રાલયે સંસદમાં જાહેર કર્યું છે કે મુસાફરી દરમિયાન 97 શ્રમિકોનાં મૃત્યુ થયાં છે. સરકારે પ્રથમ વખત લોકડાઉન દરમિયાન શ્રમિકોનાં મોત બાબતે સંસદમાં કબૂલાત કરી છે.

આવી જ મૂંઝવણ સરકારે દેશમાં કોરોના વાઇરસના ચેપથી મૃત્યુ પામેલા આરોગ્ય કાર્યકરોના સંબંધમાં આપેલા જવાબથી ઉત્પન્ન થઈ છે. એક પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યું કે આરોગ્ય એ રાજ્યનો વિષય હોવાથી તે સંબંધના આંકડા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પાસે ઉપલબ્ધ નથી. જે સરકારે કોવિડ સારવાર કરી રહેલ તબીબો અને આરોગ્યકર્મીઓને ‘યોદ્ધા’ જાહેર કર્યા અને તેમના પર હેલિકોપ્ટરમાંથી ફૂલો વરસાવ્યાં તેના વિશેની માહિતી હોવાનો હવે તે ઇનકાર કરે છે તે વિચિત્ર જણાય છે. આ બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન રોષે ભરાયું છે. તેણે 381 તબીબોની યાદી જાહેર કરી છે, જેમનું સારવાર કરતાં મૃત્યુ થયું હોય. એસોસિયેશને જાહેર કર્યું છે કે જો સરકાર કોરોના સંક્રમણની સારવાર કરતાં મૃત્યુ પામેલા તબીબો અને આરોગ્યકર્મીઓના આંકડા ન ધરાવતી હોય, તો તે મહામારીનો વહીવટ કરવાની નૈતિક જવાબદારી પણ ગુમાવે છે.

કોરોનાના ચેપથી મૃત્યુ પામેલા સફાઈ કામદારો બાબતમાં પણ સરકારે આવો જ ઉડાઉ જવાબ આપ્યો. સામાજિક ન્યાય મંત્રાલયે પ્રશ્નના જવાબમાં જાહેર કર્યું કે હોસ્પિટલ સફાઈ રાજ્ય વિષય હોવાથી તે અંગેના કોઈ આંકડા કેન્દ્ર સરકાર પાસે ઉપલબ્ધ નથી. આમ, જશ લેવામાં દોડી જતી કેન્દ્ર સરકાર આવા અનેક મુદ્દા અંગે જવાબદારી લેવાની આવે ત્યારે તે બીજા ભણી આંગળી ચીંધીને પોતાના ઉત્તરદાયિત્વમાંથી છટકી રહી છે. આ મહામારીમાં લોકોનાં જીવન-મરણનો સવાલ છે. એવા સમયે સરકારે માહિતી એકત્ર કરીને મૃતકોના કુટુંબીજનોને વળતર ચૂકવવું જોઈએ. એવું થાય, તો જ સરકારે સામાજિક ન્યાયનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું કહેવાય.

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 28 સપ્ટેમ્બર 2020; પૃ. 16

Loading

30 September 2020 admin
← હરિગીત
બાબરી વિધ્વંસ એટલે એ ષડયંત્ર ન હતું તો શું હતું ? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved