Opinion Magazine
Number of visits: 9448941
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

છાણ કે સોનાની ખાણ?

સુરેશ જાની|Opinion - Opinion|2 May 2024

૨૦૧૫

બરેલી્માં મિલ્કતની લે-વેચનો ધંધો કરતા વેપારીના મોટા દીકરાએ એક ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. તેમાં આધુનિક વિજ્ઞાન વાપરવાનું શીખવા તે ઇજ્જતનગરમાં આવેલી પશુ-સંવર્ધનની શોધખોળ કરતી સંસ્થામાં (IVRI) તાલીમ લેવાનું વિચારતો હતો. બી.કોમ.નું ભણતો ૧૯ વર્ષનો તેનો નાનો ભાઈ પ્રતીક પણ તેની સાથે ખાલી ફરવા જ ઇજ્જતનગર ગયો હતો. આમ તો તે સી.એ. થવા તલપાપડ હતો. તે માટેની પ્રારંભિક યોગ્યતા મેળવવાની પરીક્ષા પણ તેણે પસાર કરી દીધી હતી.

તેના ભાઈના ડેરી ફાર્મમાં છાણ અને ખાણનો કચરો બને તેટલી જલદીથી મામૂલી ભાએ વેચીને દૂર કરાતાં હતા. પણ પ્રતીકને ઇજ્જત નગરમાં એક વ્યાખ્યાનમાંથી જાણવા મળ્યું કે, આ બધાંમાંથી સેન્દ્રિય ખાતર બનાવી શકાય અને તે વાપરીને બનતી ખેત પેદાશો બજારમાં ઊંચો ભાવ કમાઈ આપે.

આ સાથે પ્રતીકના જીવનની દિશા બદલાઈ ગઈ. તેણે આ બાબત ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. તે પણ  એ સંસ્થાના એક ટ્રેનિંગ કોર્સમાં જોડાઈ ગયો. છ મહિના આ જ લગન, આ જ વિષયનું વાંચન, અને અવનવા પ્રયોગો. છેવટે તેણે બાપુને કહી દીધું કે, તે સી.એ. થવાનો નથી. બાપુને આ પસંદ તો ન જ પડ્યું, પણ પ્રતીકની મા એના દીકરાની અવનવું કરવાની લગન સમજી ગઈ અને તેમણે બાપુને સમજાવી દીધા. પ્રતીકે જ્યારે તેની પહેલી પેદાશમાંથી મળેલ મોટી રકમનો ચેક બાપુના હાથમાં મુક્યો, ત્યારે એ વેપારી માણસને સમજતાં વાર ન લાગી કે,

પ્રતીકને  છાણમાંથી સોનાની ખાણ મળી ગઈ છે!

બાપુએ પ્રતીકને પરઢોળી ગામમાં સાત વીંઘા જમીન ખરીદી આપી. પ્રતીકની ગાડી હવે ધમધમાટ દોડવા લાગી. તેણે સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરી દીધું.

૨૦૧૭

પ્રતીક તેને મળેલી તાલીમ પરથી અવનવા કચરા વાપરી જુએ છે અને તેમને કહોવાવાની અવનવી રીતો શોધી કાઢે છે. એમાં મંદિરોમાંથી કચરા ભેગા થતાં ફૂલોનો પણ સમાવેશ થાય છે ! તેમાં લીમડાનાં પાન અને ગૌમૂત્ર વાપરીને આ ખાતરમાં જંતુનાશક તત્ત્વ પણ પ્રતીકે ઉમેર્યું છે. બે જ વર્ષમાં તે પોતાના પગ પર ઊભો થઈ ગયો, એટલું જ નહીં;  તેણે બીજી થોડીક જમીન પણ ખરીદી લીધી અને જાતે ખેતી કરવા લાગી ગયો.

પોતાની ઉન્નતિની સાથે સાથે પ્રતીકે બીજા ખેડૂતોને પણ આ રીત અપનાવવા પ્રેર્યા છે, અને તેની દોરવણી હેઠળ ૪૨ ખેડૂતો પણ સેન્દ્રીય ખાતર વાપરતા થઈ ગયા છે.  રાસાયણિક ખાતર માટે એક એકરે ૪,૫૦૦ ₹ જેટલો ખર્ચ આવતો હોય છે, જ્યારે આ ખાતર માટે માત્ર ૧,૦૦૦ ₹. જ ખર્ચ આવે છે.  આ ખાતર વાપરીને રાસાયણિક ખાતર કરતાં મોટા દાણા વાળા ઘઉં પકવી શકાય છે, અને બજારમાં તેના વધારે ભાવ પણ મળે છે. બાવીસ જ વર્ષના આ તરવરતા તોખારની સહયોગી બાયોટેક નામની કમ્પનીનું ખાતર બરેલી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને શાહજહાંપુરમાં વેચાતું થઈ ગયું છે. પ્રતીક ‘ये लो खाद’ના નામથી સેન્દ્રીય ખાતર વેચે છે અને વર્ષે બાર લાખ રૂપિયા રળી લે છે.

પ્રતીકના જ શબ્દોમાં

“હું રોજ દસ કલાક સતત વાંચીને કદાચ સી.એ. થયો હોત પણ એનાથી મને એટલો આનંદ ન થયો હોત જેટલું આ કામમાં અટક્યા વિના, રચ્યા પચ્યા રહેવામાંથી મળે છે. દરેકે પોતાનો જુસ્સો શેમાં સૌથી વિશેષ છે, તે જાણી લેવું જોઈએ. તો જ કામમાં મજા આવે.”    

સંદર્ભ –

http://www.thebetterindia.com/101810/prateek-bajaj-vermicompost-ye-lo-khaad-sehyogi-biotech/
E.mail :  surpad2017@gmail.com

Loading

2 May 2024 Vipool Kalyani
← ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!
ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનને આંગણે ‘સ્મૃતિસંપદા’ પુસ્તકનું લોકાર્પણ … →

Search by

Opinion

  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved