Opinion Magazine
Number of visits: 9503112
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં (૯) 

સુમન શાહ|Opinion - Literature|31 May 2023

સુમન શાહ

કુન્તકના અધ્યયન દરમ્યાન મને એમણે પ્રયોજેલી કેટલીક સંજ્ઞાઓ ખૂબ ગમી ગઈ : વક્રકવિવ્યાપાર. વૈદગ્ધ્યભંગીભણિતિ. શોભાતિશય. સહૃદયાહ્લાદકારી.

તદ્વિદાહ્લાદકારી.

યથાસ્થાને એ દરેકનું વિવરણ કરીશ.

એમણે પ્રયોજેલી સંજ્ઞા ‘વક્રકવિવ્યાપાર’ સમજીએ :

વ્યાપાર એટલે પ્રક્રિયા, અહીં, કાવ્યસર્જનની પ્રક્રિયા. એ વ્યાપાર વક્ર હોય છે. કુન્તક દર્શાવે છે કે એ વ્યાપારની વક્રતાના મુખ્યત્વે છ ભેદ છે, એટલે કે, પ્રકાર છે. દરેક પ્રકારમાં રહેલા વૈચિત્ર્યથી શોભતા બીજા અનેક પ્રભેદ છે, એટલે કે, પેટા પ્રકારો છે.

૧ : વર્ણવિન્યાસ વક્રતા : 

વર્ણ એટલે અક્ષરો. અક્ષરોનો વિન્યાસ એટલે, ગોઠવણી. આપણે બધા, ‘કાચના કબાટમાંથી કાચી કૅરી કાઢી કચુમ્બર કરો’ ઉક્તિના વર્ણવિન્યાસને જાણીએ છીએ. ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની’ કાવ્યપંક્તિમાં વર્ણવિન્યાસ માત્રચાતુરી નથી પણ કાવ્યવિકાસને ઉપકારક કલ્પન છે, આપણે એને માણીએ છીએ.

૨ : પદપૂર્વાર્ધ વક્રતા :

કુન્તકે દર્શાવેલો આ બીજો પ્રકાર છે. વ્યાકરણમાં ‘વર્ણ’ ‘પ્રકૃતિ’ કહેવાય છે. એને પ્રત્યય લાગે એટલે શબ્દ ‘પદ’ બને છે. પ્રકૃતિ + પ્રત્યય = પદ. સુબન્ત એટલે નામાદિ અને તિડ.ન્ત એટલે ધાતુ રૂપ પદોનો પૂર્વાર્ધ, અને તેની વક્રતા, તેનો બંકિમ વિન્યાસ, તે પદપૂર્વાર્ધ વક્રતા છે.

પદપૂર્વાર્ધ વક્રતા અનેક રીતે પ્રયોજાતી હોય છે,કુન્તકે ‘પર્યાયવક્રતા’   ‘ઉપચારવક્રતા’  ‘વિશેષણવક્તા’ વગેરે ઓછામાં ઓછા ૮-૯ પ્રકાર દર્શાવ્યા છે.

૩ : પ્રત્યયવક્રતા અથવા પ્રત્યયાશ્રિત વક્રતા :

વ્યાકરણમાં વર્ણવાયેલા સુપ્ કે તિડ.ન્ત પ્રત્યયોનો એટલે કે સ્થાનોનો ઉક્તિમાં આધાર લેવાયો હોય ત્યારે પ્રત્યયવક્રતા સંભવે છે. એના પણ કુન્તકે અનેક પ્રકારો દર્શાવ્યા છે, જેવા કે, ‘સંખ્યાવૈચિત્ર્ય-કૃત’, ‘કારકવૈચિત્ર્ય-કૃત’, ‘પુરુષવૈચિત્ર્ય-કૃત’, વગેરે.

૪ : વાક્યવિન્યાસવક્રતા :

આપણે જાણીએ છીએ કે પદપૂર્વાર્ધ = વર્ણ + પ્રત્યયથી સિદ્ધ પદસમુદાયનું એટલે કે શબ્દોનું વાક્ય બને છે. કહો કે, અવ્યય કારક વિશેષણ વગેરેથી યુક્ત ક્રિયા = આખ્યાતને વાક્ય કહેવાશે.

શ્લોક, મુક્તક કે કોઈપણ રૂપ-વાક્યોમાં આપણે આ વક્રોક્તિતત્ત્વ અનુભવતા હોઈએ છીએ. દેખીતી રીતે જ આ વક્રતા વર્ણવિન્યાસાદિથી ભિન્ન છે.

આ વાક્યવક્રતાના તો હજારો પ્રકાર હોઈ શકે છે, જેમાંથી, રૂપક વગેરે અનેકાનેક અર્થાલંકારો પ્રગટી શકે છે.

આ વક્રતાનો અન્તર્ભાવ વાક્યોના સમુદાયથી બનેલાં પ્રકરણોમાં અને પ્રકરણોના સમુદાયથી બનેલા પ્રબન્ધમાં હોય છે, અને તે અનુભવી શકાય છે. તેથી –

૫ : વક્રોક્તિનો પાંચમો પ્રકાર છે, પ્રકરણવક્રતા. અને –

૬ : વક્રોક્તિનો છઠ્ઠો પ્રકાર છે, પ્રબન્ધવક્રતા.

વક્રોક્તિના આ છ પ્રકારોમાં બધા જ અલંકારોનો અન્તર્ભાવ હોય છે, એટલે કે કોઈપણ અલંકારના ઘડતરમાં વક્રોક્તિ તત્ત્વ કે વક્રભાવ હોય છે. વર્ણવિન્યાસવક્રતા આદિથી શબ્દાલંકારો સરજાય છે, વાક્યવિન્યાસ આદિથી અર્થાલંકારો સરજાય છે.

પ્રકરણ કે કાવ્ય નાટક વગેરે પ્રબન્ધમાં રહેલા વક્ર ભાવને કુન્તક સહજ અને આહાર્યસુકુમાર કલ્પે છે. સહજ એટલે સરળ સ્વાભાવિક, અને જેમાં વ્યુત્પત્તિ = વિદ્વત્તાથી ઉપાર્જિત સુકુમારતા પ્રગટી હોય, તે આહાર્ય સુકુમાર.

મહાકવિઓનાં સર્જન, દાખલા તરીકે, “રામાયણ” “મહાભારત” મહાકાવ્યો અને “શાકુન્તલ” વગેરે નાટકોમાં રસિત વક્રભાવમાં તમામ વક્રોક્તિઓ, જરૂરિયાત પ્રમાણે, અનુસ્યૂત હોય છે. એમાં નિરૂપાયેલા મહાપુરુષો રામ રાવણ કૃષ્ણ કે દુષ્યન્તનાં વર્ણન ‘અતિ’ (રાવણ ‘દશાનન’ છે, ભૂજા ‘વીસ’ ધરાવે છે) એટલે કે, બઢાવેલાં-ચડાવેલાં, ઍરિસ્ટોટલે કહેલું એમ અથવા અન્યથા, ‘સમથિન્ગ ઍડેડ ઇન્ટુ રીયલ વન’ હોય છે. પણ તેથી જ એ કલા કહેવાય છે, આર્ટ.

પણ કુન્તક એમ કહે છે કે એ ‘અતિ’ માત્ર ‘અતિ’ નથી હોતાં, ખાલી હોવા ખાતર નથી હોતાં, પણ કવિઓએ એને, આમ કરાય અને આમ ન કરાય, એવા ઉપદેશ માટે, વિધિ-નિષેધ માટે, સરજ્યાં હોય છે. એમનાં પ્રબન્ધન એમ સૂચવે છે કે રામ જેવા થાઓ, રાવણ જેવા નહીં.

ઉપદેશની આ વાત આખરે, અસ્વીકાર્ય લાગે; પક્ષીલ પણ લાગે, કેમ કે, રાવણનું પાત્ર પણ મહાપુરુષનું છે…

પણ કુન્તક સાર એ ધરે છે કે આ સ્વરૂપે-પ્રકારે સંભવેલું કાવ્ય, સર્જન, સહૃદયાહ્લાદકારી શોભાતિશય હોય છે, અને તેનો વિશેષ, વક્રોક્તિ છે.

આ માણસ કુન્તક કોઈ મોટા ડર્મેટોલૉજિસ્ટની જેમ સપાટી પરની દેખીતી ત્વચાથી શરૂ કરીને એનાં પડ પછી પડ લગી અને નીચેના હાડકા સુધી અને જાણે બોનમૅરો લગી જઈ પ્હૉંચે છે. વર્ણથી પ્રબન્ધ લગીનું એમનું એ કૈશિકીવૃત્તિને – હૅઅરસ્પિલિટિન્ગ ઍનાલિસિસને – વરેલું વિશ્લેષણ-કૌશલ એ દરેકના સ્વરૂપને જાણે છે અને તેની સાથેના વક્રકવિવ્યાપારની વ્યાખ્યા કરે છે.

એ કારણે હું એમને કાવ્યદેહ અને તેની અંગાંગપરક રચના-સંરચનાના, ઍનેટૉમિના, જ્ઞાતા કહું છું.

 = = =

(05/31/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

31 May 2023 Vipool Kalyani
← મિલ મઝદૂર : સિનેમાનો “પ્રેમ” અને સાહિત્યનો “ચંદ”
વિશ્વમાં કોઈ અર્થશાસ્ત્રીએ આર્થિક સંકટનો ઈલાજ બતાવ્યો નથી →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved