કોઈનો અભિશાપ, કોઈનું વરદાન
કાળઝાળ અંગારે,
મીઠાનાં અગરોમાં ઓગળી જતી
ઓખાના વંશજોની
હયાતી એનો અભિશાપ?
કે વરદાન!
થીજી જતાં હાડ,
બરફ બની પથરાઈ જતી દિશાઓ,
લપસણા માર્ગે લપસતી યાતાયાત,
સાન્તાક્લોઝના વંશજો માટે અભિશાપ?
કે વરદાન!
હા,
એકનો અભિશાપ એ
બીજાનું વરદાન.
જીવતરને ત્રિભેટે
તહસનહસ થતી
કરમકહાણીમાં આશાનો અણસાર!
આજનું છાપું લાવે છે
ઠોસ આંકડાની હકીકત
અને
અભિશાપમાં વરદાનની કથા!
લાં………………………..બા
દરિયાકિનારે
ધમપછાડા કરતાં પેટની લાહ્યમાંથી
વરસતો એ લવણિયો વરસાદ
વરસી પડે છે
વાયા ચીન
યુરોપ, અમેરિકા અને રશિયાની
બરફીલી લપસણી ધરા પર
ને આપી દે છે હૂંફ,
એ ઠીંગરાતી ભૂમાને
ત્યારે
બની રહે છે વરદાન,
એ ધરતીના સંતાનો માટે
સરળ રસ્તો બની.
અને
એ લવણિયા વરસાદની
નિકાસની આવકરૂપે
કલદાર ખણખણતા રુપિયાની
ગાજવીજ સાથે
ચાપુચપટી
વરસતી જિંદગી
જીવાડી દે છે
ઓખાના વંશજોને
વરદાન બની!
ને થઈ જાય છે
બાષ્પીભવન એ કાળઝાળ અભિશાપનું!
આમ જ ચાલ્યા કરે છે એક સમયચક્ર
લાં…………………….બા
દરિયાકિનારા જેવું
અભિશાપ અને વરદાનનું!
રાજકોટના નિમેષ ખાખરિયાના(TOI) ઈન્ટરનેટ પર પ્રસ્તુત લેખ પરથી સૂઝેલું આ કાવ્ય ગુજરાત દિને મીઠાનાં અગરિયાઓ માટે
વલસાડ, ૦૧/૦૫/૨૦૧૯
![]()


ગુજરાત સમસ્ત અને અધઝાઝેરું ભારત મતદાન કરીને બેઠું છે, અને પરિણામ તેમ જ નવરચનાનું સુરેખ ચિત્ર હવે ત્રણેક અઠવાડિયે દેશજનતા સમક્ષ આવશે. વિચારો જો ગ્રહનક્ષત્ર હોય તો આ લખનાર કમ સે કમ એટલું તો માગી જ લે કે ગુજરાત રાજ્યનું મંગળાચરણ જેમની વરદ ઉપસ્થિતિમાં થયું હતું તે રવિશંકર મહારાજ કહેતા તેમ લોક તવી પર રોટલી ઉથલાવે તો સારું… કમ સે કમ, તે બળી તો ન જાય!