સત્તાનું સિંહાસન હાંસલ કરવાનો મોકો હાથવેંતમાં છે અને તે માટે ક્રાંતિની હાકલ કરવાની સાહસવાદી નીતિએ નિરર્થક રક્તપાત સર્જ્યાની અને તેમાં અનેક આદર્શવાદી યુવાનોનો ભોગ લેવાયાની અનેક ઘટનાઓ ઇતિહાસનાં પાનાંઓમાં પથરાયેલી છેઃ બટુક દેસાઈનો જયંતી પારેખ વિષયક લેખ (“નિરીક્ષક” – ૧/૬/૨૦૧૯, ૧૬/૬/૨૦૧૯ તેમ જ “ઓપિનિયન” – ૨૮/૫/૨૦૧૯) વાંચતા એની યાદ તાજી થાય છે.
સામજિક, આર્થિક તથા રાજકીય વ્યવસ્થાને કારણે પીડિતો અને વંચિતો દરેક રાષ્ટ્રમાં જોવા મળે છે. હકીકતમાં આવો સમૂહ ક્રાંતિ માટેનો સહાયકવર્ગ છે. પરિણામે અઢારમી સદીના બાકુનીનથી માંડી વીસમી સદીના ચે ગ્યુવેરા સહિતના અનેક ચિંતકો અને નેતાઓ દરેક પળ અને દેશ ક્રાંતિ માટે પરિપક્વ છે, એમ માનતા રહ્યા છે.
ગઈ સદીમાં જ ચીન, ભારત, લેટિન અમેરિકા, ઇન્ડોનેશિયામાં આ પ્રકારની માન્યતાને કારણે થયેલા સામ્યવાદ પ્રેરિત બળવાઓમાં લાખો વ્યક્તિઓ મોતને ભેટી છે.
ભારતમાં સ્વાધીનતા પછીનાં વર્ષમાં આવો જ એક પ્રયાસ થયો. સ્ટાલીનનો મત હતો કે ભારતની સ્વાધીનતા વાસ્તવમાં મૂડીવાદી વ્યવસ્થાના હાથમાં જ હસ્તાંતરણ છે અને તેની સામે વિપ્લવ જગાવવો જોઈએ. અગાઉ આવાં જ મંતવ્યના આધારે ૧૯૨૭ દરમિયાન ચીનમાં બળવો કરવાની કોશિશમાં અનેક સામ્યવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ તેમાંથી બોધપાઠ લેવાને બદલે ભારતમાં તેવી જ સાહસવાદી નીતિ અપનાવવામાં આવી, જે તે સમયના સામ્યવાદી નેતા રણદીવેના નામે જાણીતી છે.
આ પ્રયાસમાં અનેક સામ્યવાદીઓ જેલમાં પુરાયેલા. આપણા ઘરઆંગણે સાબરમતી જેલમાં પણ અનેક યુવાનો હતા. જયંતી પારેખ, જમાનાદાસ અને બીજા અનેક નિષ્ઠાવાન સામ્યવાદીઓએ આ હાકલને માન આપી જેલમાં બળવો કરવાની કોશિશ કરતાં પોલીસના ગોળીબારમાં મોતના મુખમાં ધકેલાઈ ગયા. બટુકભાઈ દેસાઈએ (બટુકભાઈ પણ યાદ આવે છે. સાદા, હસમુખા, ખાદીધારી અને પ્રેસનોટ આપવા પણ જાતે આવે.) જયંતી પારેખનો પરિચય આપતા લેખોમાં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જયંતી પારેખ ગાંધી આશ્રમમાં ઉછરેલા. અહિંસામાં માનતા, સાદા, સરળ, કર્તવ્યનિષ્ઠ, સંવેદનશીલ અને દલીત-પીડિતોના હામી આદર્શવાદી યુવાન અને તેમના જેવા પીડિતોના હામી યુવાનો આવી સાહસવાદી નીતિને કારણે આપણે ગુમાવ્યા, તે અફસોસજનક છે.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2019; પૃ. 11
![]()


ખલીલ જિબ્રાનનું ચિંતન ગુજરાતીમાં કેટલું ઉપલબ્ધ છે અથવા હજુ કેટલું પ્રકાશિત થાય છે, તે ખબર નથી, પરંતુ એમના મૃત્યુના ૮૮ વર્ષ (૧૦ જાન્યુઆરી ૧૯૩૧) પછી પણ, હિન્દી અને અંગ્રેજીમાં એ લગાતાર લખાતા-વાંચતા રહ્યા છે. ખલીલ જિબ્રાન એક લેબનીઝ-અમેરિકન કલાકાર, કવિ અને લેખક હતા. તેમનો જન્મ ૬ જાન્યુઆરી ૧૮૮૩ના રોજ લેબેનાનમાં થયો હતો. ચિત્રકળામાં દિલચસ્પી હોવાથી તે પહેલાં પેરિસ અને પછી ન્યુયોર્કમાં સ્થાયી થયા હતા. તે એમના ચિંતનના કારણે સમકાલીન પાદરીઓ અને અધિકારી વર્ગની નારાજગીનો ભોગ બન્યા હતા, અને નાતબહાર અને દેશનિકાલ પણ થયા હતા. અરબી સાહિત્યમાં તે 'ખલીલ જિબ્રાન' નામથી અને અંગ્રેજી સાહિત્યમાં 'ખલીલ જ્વાર્ન' નામથી મશહૂર થયા છે. ખલીલ દુનિયામાં શેક્સપિયર અને લાઓ-ત્ઝુ પછી ત્રીજા નંબરના સૌથી લોકપ્રિય કવિ છે.
સ્થાપત્યોમાં કલાનો આવિષ્કાર અને ઉન્મેષ છે. પરંતુ બધામાં સામાન્ય, રોજબરોજના માનવજીવનમાં બનતી ઘટનાઓ અને સંબધિત પ્રાણીજગતનું નિરૂપણ છે. વિવિધ સ્થાપત્યોનાં કલાકારો પણ અનેક છે. કેટલાંક કલાકારોની અન્યત્ર રચાયેલી અને સ્થપાયેલી, પ્રસિદ્ધ કલાકૃતિઓની આબેહૂબ પ્રતિકૃતિઓ પણ છે. આ સ્થાપત્યના ઉદ્યાનની રચનાનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે દ્વિપાર્શ્વ, ત્રિપાર્શ્વ, ચોપાર્શ્વ સ્થાપત્યની સાંપ્રત કલાની જાણ લેવાય, માણી શકાય અને તેની સર્વ સામાન્ય જનતામાં સમજણ પ્રસરે. આ કલાકૃતિઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલા પદાર્થોનું પણ વૈવિધ્ય ધ્યાન ખેંચે તેવું છે. માટી, ઘાસ, ઘાસનો પાલો, વ્યર્થ માની ફેંકી દેવાયેલા અનેક પદાર્થોનું મિશ્રણ, ધાતુઓ અને ધાતુઓના મિશ્રણમાં પણ વૈવિધ્ય રચાયું છે. સમયગાળે નાશ પામી જશે તેવી જાણ સાથે રચાયેલી અનેક કૃતિઓ પ્રકૃતિના બદલાવ સામે અનપેક્ષિત ઝીંક લઈ અણનમ ઊભી છે. અહીં સંગ્રહસ્થાનમાં અને પ્રવેશગૃહમાં કલાકૃતિઓ અને તેની જાણ કરતો ઇતિહાસ પણ આલેખેલ જોવા મળે છે. ૧૯૯૨માં જે. સેવર્ડ જોહ્ન્સન (Seward Johnson) નામના શિલ્પી અને દાનવીરે આ ઉદ્યાન જનતા માટે ખુલ્લો મૂક્યો. આશ્ચર્ય એ વાતનું છે કે આ ઉદ્યાન તરફ લઈ જતા ધોરી રસ્તાઓ પણ ઉદ્યાનના એકભાગ સમાન હોવાથી, તેના ઉપર વિશાળ-રાક્ષસી કદની અને જીવનલક્ષી પ્રતિમાઓ, લોકોનું ધ્યાન આકર્ષિત કરવા, મૂકવામાં આવી છે. 





