આપણે ઉધેડી શકીએ
પણ ચામડી બનાવી ના શકીએ
માંસ ખવાય ખરું
પણ બનાવાય નહીં
ખોખરાં કરી શકાય
પણ હાડકાં બને નહીં
એકાદ બોટલ અપાય
પણ લોહી કોઈ બનાવી ના શકે
જીવ લઈ શકાય
પણ કોઈનો શ્વાસ બને નહીં
જે કોઈથી બને એમ નથી
તે બધું જ મા બનાવે છે …
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


આવનારાં વર્ષોમાં દુનિયામાં લોકશાહીઓનો મૃત્યુઘંટ વાગશે? યુરોપિયન સંઘના સભ્ય હંગેરીમાંથી તેની શરૂઆત થઇ છે. ત્યાં એક દાયકાથી શાસન કરી રહેલા એકાધિકારવાદી પ્રધાનમંત્રી વિક્ટોર ઓર્બાંને, સંસદમાં બે તૃતીયાંશ બહુમતીના જોરે, ઈમર્જન્સી સત્તા હાથમાં લીધી છે. સંસદ બંધ કરી દેવામાં આવી છે. ભાવિ ચૂંટણીઓ રદ્દ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી હવે આદેશ(ડિક્રી)થી શાસન કરશે, અને જરૂર પડે કોઈપણ કાનૂન સસ્પેન્ડ કરી શકાશે.
સરકારને અણગમતાં સમાચાર-મથાળાં બદલી કાઢવાની આવડતના મામલે નરેન્દ્ર મોદી સરકારની હરીફાઈ કોઈ કરી શકે તેમ નથી. ‘વંદે ભારત’ મિશન તેનું તાજું ઉદાહરણ છે. તેનાથી હાલના ઉદાસીન માહોલમાં નવી ઉત્તેજનાનો સંચાર થયો છે. દુનિયાભરના દેશોએ અન્ય દેશોમાં અટવાયેલા પોતાના નાગરિકોને — વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ અને કુટુંબોને — સ્વદેશ પાછા લાવવાની પ્રવૃત્તિ હાથ ધરી છે. પરંતુ ફક્ત ભારત એક એવો દેશ છે, જેણે આ પ્રવૃત્તિને પણ એક ઇવેન્ટનું સ્વરૂપ આપ્યું છે. નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિમાં આ બરાબર બંધ બેસે છે. કેમ કે, આ ઇવેન્ટથી મીડિયાનાં મથાળાં અને સોશિયલ મીડિયાના હૅશટૅગ સરકારી પ્રયાસોનાં ઉજવણાંમાં જોડાઈ ગયાં છે. તેમાં ટી.વી. ચૅનલો અને ભા.જ.પ.નો આઇ.ટી. સેલ ભળે પછી શું બાકી રહે?