કવિતાનું એવું છે કે એ
કોઈ પણ કરી શકે
ગલીનું ગલૂડિયું હોય કે
ગામનો ગમાર
કોઈ પણ ચાલે
એમાં કરવાનું કૈં નથી
કણક બાંધવાનું અઘરું છે
પણ કણસવાનું સહેલું છે
હાલીમવાલી થવાનું મુશ્કેલ છે
પણ કવિ તો ચપટી વગાડતાંમાં થઈ શકાય
દાક્તર થવું હોય તો ભણવું પડે
પણ
કવિતા તો અભણ પણ કરી શકે
ખાવાથી તો કદાચ પેટમાં દુખે
પણ કોઈને કવિતાની કબજિયાત
થયાનું સાંભળ્યું છે?
ફ્લશ કરો કે બધું સાફ
કોઈ ધંધો કરવો હોય
તો રોકાણ કરવું પડે
પણ કવિતામાં તો
થોડા પ્રાસ રોકો કે નફો જ નફો
હાટ લખો તો આખું
બજાર જ આવકમાં …
ઘાટ લખો કે
ઘાત જ જાય
ધારો કે પ્રાસ નથી ફાવતા
તો વાક્ય તોડવામાં તો
કૈં ધાડ મારવાની નથીને!
આખો પેરેગ્રાફ વેરવિખેર કરી નાખો
કે કવિતા તૈયાર!
પણ આ બધામાં થોડા મિત્રો હોય
જે
ખભો ન હોય તો ય થાબડયા કરે
ને જરા તાળીઓથી
ઊંચકી આપે કે બેડો પાર
આપણે એમને ખભે
ને કવિતા આપણે ખભે …
રામ બોલો …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
![]()


મારા એ ડરને મેં જાણકારો આગળ હસતાં હસતાં રજૂ કર્યો. તો એમણે કહ્યું કે મોટા ભાગની રસી એ જ જર્મ્સમાંથી બનાવાય છે જેને કારણે એ રોગ થતો હોય છે. એ જોતાં, તમારો ડર સાચો છે પણ કોરોના-૧૯ની રસી જરાક જુદી છે, એ mRNA પ્રકારની છે. એમાં, કોવિડ-૧૯ માટે જવાબદાર વાયરસમાંથી મેળવેલું એક મટીરિયલ હોય છે. પણ એ મટીરિયલ આપણા સેલ્સને શિખવાડે છે કે બિનહાનિકારક અને વાયરસને મ્હાત્ કરે એવું અનોખું પ્રોટિન કેવી રીતે બનાવાય. મતલબ, તમારે ડરવાનું ખાસ કારણ નથી. રસી લીધા પછી ઍન્ટિબૉડીઝ બની જશે, તમને ઇમ્મ્યુનિટી મળી જશે ને રોગથી તમે સુરક્ષિત થઈ જશો – મજા કરો.
નવીનતાના શ્વાસોથી ધબકતી આ નવલકથા એક સમૃદ્ધ અને સક્ષમ કલમની નીપજ છે. આ કલમ છે શબ્દોના શિલ્પી અને ગઝલના બાદશાહ કવિ અનિલ ચાવડાની. એમની માતબર કલમ થકી અક્ષરદેહ પામેલી આ એમની પ્રથમ નવલકથા, “રેન્ડિયર્સ” કવિ અનિલ ચાવડાને ઉત્તમ કોટિના સિદ્ધહસ્ત નવલકથાકાર તરીકે પ્રતિપાદિત કરે છે. કવિ છે એટલે ભરપૂર સંવેદના અને સમભાવ એમના શબ્દોની ગળથૂથીમાં હોય જ અને એમાં પણ નવલક્થા જેવું અનંત આકાશ આ શબ્દોની કુમાશને, ભીનાશને ઉછેરવા મળે, તો પછી નવી સંભાવનાના મેઘધનુષો ન ખીલે, એવું બને જ કેમ? આ ગુજરાતી ભાષાનું સૌભાગ્ય છે કે અનિલ ચાવડાની યુવાન કલમે આવી સુંદર નવલકથા સાંપડી છે.
૧૪-૧૫ વરસના માધવ બેચરલાલ મકવાણા ઉર્ફે ‘કૂલિયો’ દસ વરસનો હતો ત્યારથી એનું નામ કૂલિયો કેવી રીતે પડ્યું એ વાતથી કથાનો ઉઘાડ થાય છે. ત્યાંથી આ કથા એક ઝીણી તિરાડમાંથી, ધીરેથી સરકીને, થોડી ગભરાતી તો થોડી મલપતી ચાલે કિશોરવયમાં કૂદકો મારીને ઝરણાં સમું સડસડાટ વહેવાનું શરૂ કરે છે અને આ વહેણ પછી તો કથાના અંત સુધી અસ્ખલિત વહે છે. આ કથાનો વ્યાપ દસમા ધોરણમાં ભણવા માટે નવા આવેલા સ્ટુડન્ટોથી શરૂ થાય છે અને એમના ફાઈનલ રિઝલ્ટ સુધીના સમય પૂરતો છે. આ એક વર્ષના સમયમાં, ૧૪-૧૫ વર્ષથી ૧૮ વર્ષના જુદા જુદા સામાજિક અને આર્થિક વર્ગમાંથી આવેલા વિદ્યાર્થીઓની વાર્તા લેખક અહીં કરે છે. દરેક સ્ટુડન્ટ પાસે પોતાની કથની છે અને એ કથા અન્ય સાથી સ્ટુડન્ટના જીવન કે કર્મના વર્તુળ સાથે, ક્યાંક પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે Intercept – છેદન થાય છે અને ત્યાં, એ છેદન પોઈન્ટ પર આ બધાં જ સ્ટુડન્ટો અકળ રીતે એકમેક સાથે જોડાઈ જાય છે, પોતપોતાની વાતો સાથે. અને આ જ આખી કથાનું સૌંદર્ય છે. આ ઉંમરમાં જ્યારે મૈત્રી બંધાય છે, ત્યારે એ દોસ્તીના ફાયદા અને ગેરફાયદાના દાખલા ગણવાની સુધ નથી હોતી. આ કાળમાં દોસ્તી કરતી વખતે “સમ શીલ વ્યસેનેષુ સખ્યમ્”માં શીલ, અને વ્યસન બેઉ વચ્ચેની રેખા ધૂંધળી હોય છે. જેની સાથે વ્યસન કે ગુણ બેમાંથી એક મળી જાય તો પણ એ કુમળા માનસમાં મૈત્રી મ્હોરી ઊઠે છે. માધવ ઉર્ફે કૂલિયો છાત્રાલયમાં રહીને ભણતો હોય છે. ત્યાં એના આ “કૂલિયો” ઉપનામને કોઈ જાણતું નથી હોતું, એટલે એને કોઈ એ નામથી અહીં ચીઢવવાવાળું કોઈ નથી, એથી એ પોતાને સુરક્ષિત માને છે. છાત્રાલયના પ્રથમ દિવસથી હિમત – ‘પડીકી’ – સાથે માધવની દોસ્તી થઈ છે. આમાં એક દિવસ, માધવના ગામનો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ધોરણ દસમામાં નવું એડમિશન લઈને માધવની શાળા અને છાત્રાલયમાં રહેવા આવે છે અને ત્યાં પહેલીવાર હિમત ‘પડીકી’, માધવનું ઉપનામ ‘કૂલિયો’ છે એ જાણી જાય છે. માધવને ત્યારે શક પડે છે કે ચેતનને પણ આ નામ સંભળાયું છે પણ એની પુષ્ટિ એ કરી ન શકવાથી માધવની અંદર એનો ધૂંધવાટ શાળા છોડીને જવાનો દિવસ આવે છે ત્યાં સુધી રહે છે, (જેનો ચોંકાવનારો ખુલાસો અંતમાં થાય છે.) માધવ, હિમત અને ધમો રૂમમેટ બને છે અને એમની રૂમમાં પછી બ્રીજેશ નામનો એક નવો અને ખૂબ મહેનતુ વિદ્યાર્થી પણ ઉમેરાય છે. ચાર જુદા જુદા, સોશ્યલ ઈકોનોમિકલ ક્લાસમાંથી આવેલા આ વિદ્યાર્થીઓ એકમેકની સાથે કઈ રીતે એકમેકની આદતો, મર્યાદાઓ, મસ્તી-મઝાના પર્યાયો, વ્યક્તિગત રીતે ભણતરની પ્રાથમિકતાના ધોરણો અને શાળાના અન્ય છાત્રો સાથેના એમના વ્યવહારોને શાળા અને છાત્રાલયના નિયમોની અંદર રહીને કઈ રીતે ને કેટલું નિભાવે છે, એની વાતો મજેદાર રીતે લેખકે આ નવલકથામાં મૂકી છે.
સાથે માધવનું સુખડી બનાવવા વગડામાં જવું અને ત્યાં આગ લાગવી, જેવા પ્રસંગમાં અણઘડ, મુગ્ધ કિશોર મન કેવાં ખોટાં નિર્ણયો લે છે એ પણ કોઇ જાતના ફાયદા, ગેરફાયદા કે ઉપદેશ વિના જ બતાવ્યું છે અને કદાચ આવી જ કાચી નિર્ણયશક્તિ પાયામાં હોય તો જ યુવાનીમાં એ ઘડાઈને પરિપક્વતા તરફ આગળ વધે છે. પણ, કોઈ ભૂલો જ ન કરી હોય તો ખરાખોટાં નિર્ણયની પરખ આવે જ કઈ રીતે?