પાણીપોચાં સ્વપ્ન સ્વયં તરસ કેરાં તીરથી ઘાયલ,
ખોદી છે જીવતાં દિલની કબર શ્વાસોશ્વાસ ઘાયલ
શ્વાસ વણી બેઠો છું લોહીનાં આંસુ સાંર્યા આંખે,
વિરહની ઉષા પ્રેમની સંધ્યા દિલની ધરતી ઘાયલ.
વિરહનાં ફૂલો કંટક બની ખટકી રહ્યાં છે આંખોમાં,
કેફ દિલમાં દેહની વ્યાધિ હાથના ટેરવે અશ્રુ ઘાયલ.
હૈયું હોઠે શબ્દો મૌન બની આંખે છલકી રહ્યું છે,
છે ભીનાં સ્મરણો અને નિંદ્રાવિહોણી રાતો ઘાયલ.
પૂછોમાં મારી દશા હજી ય નયનમાંથી અશ્રુ વરસે,
હું સ્વપ્ન હોવા છતાં અશ્રુ કેરા કફનમાં છું ઘાયલ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()



સાહેબ જે કોઈ કામ કરે છે કે નિર્ણય લે છે એ શકવર્તી જ હોય છે, દુનિયા વિસ્ફારિત નેત્રે જોતી રહે એવો માસ્ટર સ્ટ્રોક જ હોય છે, હંમેશાં મારે છે તો મીર જ મારે છે, એ હવે ક્યાં અજાણ્યું છે! જેમ ભાટ-ચારણો બાપુઓના ધીંગાણાઓની વાર્તાઓ લડાવી લડાવીને કહેતા અને બાપુનું શૌર્ય જોઇને શ્રોતાઓની છાતી ગજગજ ફૂલતી એમ આજે ભક્તોનું છે. મામૂલીમાં મામૂલી નિર્ણયને, કે ખોટા નિર્ણયને કે પછી મજબૂરીમાં લેવા પડેલા નિર્ણયને એવી રીતે રજૂ કરવામાં આવે અને ગોદી મીડિયા એવી રીતે પડઘમ વગાડે કે ભક્તો રાજીના રેડ થઈ જાય. જીવન સાર્થક થઈ જાય અને ફરી વાર શરણમાં રહેવા સંકલ્પબદ્ધ થઈ જાય.