વિશ્વ આખામાં તાજેતરમાં બનતા બનાવોથી અન્ય દેશોની માફક બ્રિટનમાં તેમ જ બીજા શહેરોની જેમ માન્ચેસ્ટરમાં વસતા તમામ લોકો ખાસ કરીને જુઇશ અને મુસ્લિમ કોમ તંગદિલીનો અનુભવ કરી રહી છે, તેવે ટાણે ગ્રેટર માન્ચેસ્ટર પુલિસ તરફથી તેમને વધુ રક્ષણ આપવાની તૈયારી બતાવાઈ, ત્યારે આપણને જાણીને આનંદ થાય એવી એક હકીકત બહાર આવી.
મોટા ભાગના જુઇશ અને મુસ્લિમ કોમના લોકો શાંતિપ્રિય છે અને એકબીજા સાથે હળી મળીને રહે છે એ સહુ જાણીએ છીએ. છતાં જુઇશ અને મુસ્લિમ કોમ પેલેસ્ટાઈન અને ઇઝરાયેલમાં સામસામે શીંગડા ભરાવીને દાયકાઓથી એકબીજા સામે લડતા આવ્યા છે એટલું જ નહીં પણ દુનિયાના કોઈ પણ પડમાં રહેતી એ બંને કોમ વચ્ચે ક્યારે દુશ્મનાવટ ભભૂકી ઊઠે અને પરસ્પરને હાનિ પહોંચાડવાના બનાવો બને તે કહેવાય નહીં, એવી સ્ફોટક પરિસ્થિતિ તો હંમેશ ઝળુંબ્યા જ કરે છે. એ વાસ્તવિકતાનો પણ સ્વીકાર કર્યે છૂટકો નથી. તેમાં વળી વાણી અને વિચાર સ્વાતંત્ર્યને ગોળીએ વીંધવાનાં બનાવો બન્યા બાદ, એ ઘાવ ફરી દુઝતા થયા. રસપ્રદ વાત તો એ છે કે ગ્રેટર માન્ચેસ્ટર પુલિસની શાંતિ અને અમનની જાળવણી માટે વધુ પુલિસ કોન્સ્ટેબલ બંને પંથના અનુયાયીઓની આસપાસ ફરતા રહે તેવા પ્રસ્તાવના જવાબમાં તેઓએ કહ્યું કે, “અમારે નથી જોઈતું પુલિસનું રક્ષણ કે નથી જોઈતું શસ્ત્રોનું કવચ. અમે ઈચ્છીએ છીએ કે શહેરના તમામ લોકો આવી સ્ફોટક પરિસ્થિતિનો સામનો કરવા સંગઠિત થઈને એકબીજાને પડખે ઊભા રહે અને કોમી એખલાસ સાધવામાં સાથ આપે.” કેવો રચનાત્મક અને શાંતિમય ઉપાય એ બંને પ્રજાએ સૂચવ્યો?
આથી ગ્રેટર માન્ચેસ્ટરની વૈવિધ્યભરી સંસ્કૃિતનો જશ્મ મનાવવા, ધિક્કાર અને અસહિષ્ણુતાને સામે પલ્લે બેસવા અને બ્રિટનને વધુ સલામત અને મજબૂત રાષ્ટ્ર બનાવવા આ વિસ્તારના તમામ ફિરકાઓના પ્રતિનિધિઓને એક ચર્ચામાં ભાગ લેવા આમંત્રણ પાઠવેલું, જેમાં લગભગ 250-300 લોકો હાજર રહેલા અને મને તેમાં મને ભાગ લેવાની તક મળી. કાર્યક્રમની શરૂઆત ત્રણ 14-15 વર્ષના અશ્વેત કુમારો – કે જે ચાર-પાંચ વર્ષ પહેલાં માન્ચેસ્ટર આવ્યા ત્યારે ઇંગ્લિશ ભાષા નહોતા જાણતા – તેમના નૃત્યથી થઈ. ત્યાર બાદ ગ્રેટર માન્ચેસ્ટર પુલિસના ચીફ કોન્સ્ટેબલ સર પીટર ફાહે, ગ્રેટર માન્ચેસ્ટર પુલિસ અને ક્રાઈમ કમિશનર ટોની લોઈડ, ઇન્ટર ફેઈથ અને જુઇશ/મુસ્લિમ ફોરમના ત્રણ પ્રતિનિધિઓ, માન્ચેસ્ટર કાઉન્સિલના ડેપ્યુટી લીડર તથા ચીફ એક્ઝીક્યુટીવનાં વક્તવ્યો થયાં જેનો સાર કંઈક આ પ્રમાણે છે :
“Weનો અર્થ આપણે સહુ માનવો એવો કરવામાં જ સહુની ભલાઈ છે. બીજા દેશના નાગરિકો આ દેશમાં આવીને વસે તે કંઈ નવીન ઘટના નથી. એ તો શીત યુગ પૂરો થયો અને માનવી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતો થયો ત્યારથી બનતું આવ્યું છે, અને ઔદ્યોગિક ક્રાંતિ બાદ તેમાં ઝડપ અને વ્યાપ વધ્યાં છે. એમ થવાથી આ દેશની બૌદ્ધિક, આર્થિક અને સાંસ્કૃિતક ક્ષેત્રે સમૃદ્ધિ વધી છે. હવે આપણે એકમેકની સાથે રહીને કામ કરીએ છીએ તો એટલું સમજી લઈએ કે ધર્મ કે કોમને નામે વિભાજીત થઈ જવાથી કશો ફાયદો થવાનો નથી. જુદા જુદા દેશના લોકો પોતાની ભાષા, પહેરવેશ, ખોરાક, રહેણી-કરણીની સાથે જ પોતાની કાર્ય કુશળતા, બુદ્ધિધન અને વફાદારી લઈને આવે છે. માન્ચેસ્ટર ઘણી બાબાતોમાં અગ્રેસર રહ્યું છે જેમ કે ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ અહીં થયાં, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને મતાધિકાર માટેની ચળવળ પીટરલૂમાં થઈ, કમ્પ્યુટરની શોધ, એટમનું વિભાગીકરણ અને ગ્રાફીમની શોધ પણ અહીં થઈ. તો હવે આ વિસ્તારના રહેવાસીઓ માનવ જાત તરીકે એકતા હાંસલ કરીને દેશ આખામાં દાખલો બેસાડે તે જરૂરી છે.”
ભવિષ્યમાં સાથે મળીને ગાઈએ, નાચીએ અને ભોજન લઈએ તેવા કાર્યક્રમો યોજવાની આ નવીન સંગઠનની નેમ છે. તેની પાછળનો હેતુ એ છે કે અલગ અલગ કોમ વચ્ચે સમજણ અને સહિષ્ણુતાનો સેતુ બંધાય, સમાનતાનો પ્રચાર-પ્રસાર થાય અને છેવટ તેનું પરિણામ પરસ્પરને માટે નફરતનું પ્રમાણ ઘટે એ છે. આમ કરવાથી વિવિધતામાં એકતા છે અને વિવિધ કોમનું આપણી પ્રગતિ અને વિકાસમાં બહુ મહત્ત્વનું પ્રદાન રહ્યું છે એનો અહેસાસ થશે. વળી લોકોમાં છૂપેલી સારપ પ્રગટ થશે અને ગુનાહિત વૃત્તિને ધરબી શકાશે તથા નફરતને કારણે થતા ગુનાઓની જાણ કરવામાં મદદ થશે એ ફાયદો થાય તે નફામાં. ગુનો કરનાર ચાહે ગમે તે કોમમાં જન્મ્યો હોય, હાનિ તો તે બધાની કરે છે, અને તેથી જ સ્તો, સહુએ સાથે મળીને તે કોમની નફરત કરવાને બદલે ગુનાખોરી કેમ ઘટે તે માટે પ્રયત્ન કરવામાં એકબીજાને સાથ આપવાની હાકલ કરવામાં આવી.
આજે જ્યારે ધર્મને નામે આંતક ફેલાય છે, સરકારી નીતિઓ એ વિષે આંખ આડા કાન કરે છે, અને ક્યાંક તો તેને સીધો કે આડકતરો ટેકો આપે છે અને પ્રજા જે તે દેશના રાજકારણીઓ જે પગલું ભરે તે જોઈને બેસી રહેવા જેવી નમાલી થઈ ગઈ છે તેવા માહોલમાં સામાન્ય પ્રજાજનો અને પુલિસ તંત્ર સાથે મળીને વિશ્વ વ્યાપી પ્રશ્નનો આવો સકારાત્મક ઉકેલ લાવે તે જોઈને મનને શાતા વળી.
આ પગલું સ્થાનિક કક્ષાએ લેવાયું છે તેથી તેમાં ભાગીદાર થવાની અને આ લીધેલ પ્રતિજ્ઞા પૂરી થાય તેના પર નજર રાખવાની એક જવાબદાર નાગરિક તરીકે તક મળશે તેમ જ ફરજ પણ બની રહેશે. ‘સાથે રમીએ સાથે જમીએ’નું પ્રણ લેવાયું છે, તો ‘સાથે કરીએ સારાં કામ’ એ નિર્ણય પણ અમલમાં મુકાશે, જો દરેકના ઘટ ઘટમાં વસતા શ્રી ભગવાન – ચાહે તે રામ, રહીમ, ગોડ કે વાહે ગુરુદીના નામે ઓળખાતો હોય – સાથ આપશે તો.
e.mail : 71abuch@gmail.com
![]()


જ્યોફ્રી કેંડલનું નામ સાંભળતાં જ મોટા ભાગના લોકોના મનમાં એક પ્રશ્નાર્થચિહ્ન સળવળે. જ્યોફ્રી કેંડલ? એ વળી કોણ? તો ચાલો એની ભાળ મેળવીએ.
નસિરુદ્દીન શાહે કહ્યું છે કે, "મારું ખરું શિક્ષણ નાટકોમાં થયું છે. મેં મારા જીવનમાં જ્યોફ્રી કેંડલથી મહાન કોઈ એક્ટર જોયો નથી. તેમના કામમાંથી આજે પણ હું પ્રેરણા મેળવું છું. નાટકને તેમણે નવાં પરિમાણ આપ્યાં છે. તેઓ અમારી સ્કૂલમાં દર વર્ષે આવતા અને કહેતા કે હું કોઈ એક્ટર કે ડિરેક્ટર નથી. હું એક મિશનરી છું અને મારું મિશન છે શેક્સપિયરનાં કામને ફેલાવવાનું. કેંડલની નાટક કરવાની જે સ્ટાઇલ હતી એ મને હંમેશાં અભિભૂત કરતી હતી. સામાન્ય રીતે નાટકોમાં જંગલ, નદી, ડ્રોઇંગ રૂમ જેવી ચીજો દેખાડવા માટે એના સેટ્સ ઊભા કરવા પડે. જ્યોફ્રી કેંડલના નાટકમાં એવો કોઈ સેટ જ ન હોય. તેમના નાટકની રજૂઆત વખતે બેકગ્રાઉન્ડ કાળું હોય. તેઓ ખુરશી અને હેટ જેવી ચીજો સાથે મંચ પર પ્રકટ થાય અને વસ્તુ સ્થિતિ, સૌંદર્યબોધ અને માહોલ તેઓ પોતાની ભાવભંગિમાથી ઊભાં કરે. તેઓ જે રીતે ડાયલોગ્સ બોલે એ જોતાં દર્શકના મનમાં એનું ચિત્ર આબેહૂબ ખડું થાય. નાટકનો અસલી જાદુ દર્શકની કલ્પનાશક્તિ જગાવવાનો છે, તેથી સંસાધનો ઓછાં હોય એ નાટકની મજબૂરી નહીં પણ તાકાત હોવી જોઈએ. એ જ્યોફ્રી કેંડલનાં નાટકોમાં જોવા મળતું હતું. અમારા ગ્રૂપ 'મોટલી'નો પણ એ જ ઉદ્દેશ છે."
ભારતમાં શેક્સપિયરનું નાટક સૌ પ્રથમ સુરતમાં ભજવાયું
મનમંજૂષામાં ૬૫-૬૭ વર્ષ પહેલાં બાળપણ અને નાનકડું ગામ ગલિયાણા અને પછી જસદણની સ્મૃિતઓ સચવાઈને પડી છે. ભાદર, ભાદર કાંઠે ધરોખડામાં, ઘેલો નદી અને તેની આજુબાજુએ પહાડો અને વનરાઈઓમાં અમારાં પગલાંની છાપ તો ભૂંસાઈ ગઈ હશે, પરંતુ હજુએ હૃદયમાં તો કોતરાઈને પડી છે. કેટલાંક કૂવાઓમાં તાગ લેવાં જતાં પથ્થરોએ છોલેલાં હાથપગમાંથી વહેલાં રુધિર પાણીમાં ભળ્યાં હશે અને ‘કોઈનું લોહી વહ્યું અહીંયાં ….’ જાણ્યા વગર તે કૂવાઓ પણ પૂરાઈ ગયા હશે.