પરપ્રાંતીય બંધુઓ મેરે!
ઇન્હે ઠીકસે જાન લીજિએ
ઇન્હેં ઠીકસે પહચાન લીજિએ
યે હી હૈ હમારી કંપન કે સેઠ-માલિક
જિનકે યહાં મજબૂરીમેં મજદૂરી કરતે રહે
દો જૂન કી રોટીકે લિયે તનમન લગાકે,
કિંતુ કોરોના મહામારીકે દૌરાન
પૈસા માંગા તો, ઠેંગા દિખા દિયા
ઔર કહને લગે ચલે જાઈએ તુમ્હારે ગાંવ!
જૈસૈતૈસે મહિના તો બિતાયા
પર, અબ નહીં રહા દાનાપાની, જેબ હો ગઈ ખાલી
લૂટેરે સેઠકો તો સિર્ફ કામસે મતલબ થા
હમસે યા હમારે દુઃખદર્દસે કતઈ નહીં
યે ના થે કભી શ્રમિકકે લિએ.
ના હોંગે શ્રમિક કે લિએ કભી આચારવિચાર
ભલા સરકાર ભી પૂંજીકા સાથ દેતી રહી
વિદેશ ગયેકો વિમાનસે લાએ
મજદૂર-શ્રમિક વતન પૈદલ જાએ
ભૂખે-પ્યાસે ભટકતે લડખડાતે
ભાગ્યકો કોસતે હુએ
કિ ઐસે ભી દિન દેખને પડે !
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 17 મે 2020
![]()


જનતાની નાડીના ધબકાર પકડવામાં ઉસ્તાદ કોઈ વ્યક્તિ અઠવાડિયામાં જ તે પકડ કેવી રીતે ગુમાવી શકે? પરંતુ એકવીસ દિવસના પ્રથમ લૉક ડાઉનની ઘોષણાના પોતાના પ્રવચનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આમ જ કર્યું. સંકટસમયે બે પ્રકારના ભાષણો આપવામાં આવે છે. એક, વિન્સ્ટન્ટ ચર્ચિલનાં યુદ્ધકાલીન ભાષણોની જેમ લોકોનું મનોબળ વધારનારાં અને બીજાં, સૈનિકોએ વાસ્તવમાં કરવાનું શું છે તેનું માર્ગદર્શન કરનારાં.
છેલ્લા બે દાયકામાં ‘વિકાસ’ અને ‘નંબર વન’—એ બે શબ્દો દેશભરમાં કોઈએ સૌથી વધુ સાંભળ્યા હોય તો એ અમદાવાદીઓ છે. પણ આ જ અમદાવાદ અને તેના નાગરિકો કોરોના કટોકટીમાં સપડાયા છે. સમગ્ર ગુજરાતમાં 11 મે સુધીમાં કોવિદ-19 કેસોની કુલ સંખ્યા 8,542 હતી. તેમાં માત્ર અમદાવાદના 6,086 કેસ નોંધાયા. અર્થાત્ ગુજરાતના 71 ટકા કેસ માત્ર અમદાવાદમાં. રાજ્યની લગભગ સાડા છ કરોડની વસ્તીમાં માત્ર એક શહેરમાં 70 ટકાથી વધુ દરદીઓ. યુનાઇટેડ નેશન્સના વર્ષ 2020ના અંદાજ પ્રમાણે અમદાવાદની વસ્તી 78 લાખ છે. વળી, મૃત્યુઆંક જોઈએ તો ગુજરાતમાં 11 મે સુધી 513 વ્યક્તિઓના દુ:ખદ અવસાન થયા. તેમાં માત્ર અમદાવાદના 400 મૃત્યુ છે. અર્થાત્ રાજ્યમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુમાં 77 ટકા માત્ર અમદાવાદમાં.