નીરવ મૌન મહીં ઢળવાનું છે.
દફનાવાનું કે બળવાનું છે.
અંધારી રાતે દીવો બાળી,
પાક્કી નીંદરમાં સૂવાનું છે.
જેવાં આવ્યા'તા તેવી રીતે,
ચિઠ્ઠી ફાટે તો જાવાનું છે.
મિલ્કત, સ્વજનો, દુનિયા ને દોસ્તો,
કૈં પણ ના સાથે લેવાનું છે.
ચાદર, અત્તર, ફૂલ ને નનામી,
જ્યાં બાંધે ત્યાં બંધાવાનું છે.
કાંધે કાંધે આ ગાડી ચાલે,
છેક વિસામે બસ જાવાનું છે.
તુલસી પાન અને રૂપિયો મૂકી,
મોંઢે જળ સૌનું પીવાનું છે.
ઘી ચોળે ને હોમે તલ પણ સૌ,
ભડ ભડ ભડ આગે બળવાનું છે.
અભિમાની થઇ જીવ્યો પામર તું,
ઠાલાં મોતે બસ મરવાનું છે.
કોઈ છે આજે કોઈ કાલે,
સૌને એક દિ' ત્યાં જાવાનું છે.
એ રસ્તે એકલ જાવાનું છે.
સૂતાં સૂતાં રાખ થવાનું છે.
ખોટે ખોટાં શ્લોકો બોલીને,
છેલ્લી જાત્રા થૈ જાવાનું છે.
છોડી કાયા, માયા, ઘર, દુનિયા,
ભીંતે છવિ થૈ ટીંગાવાનું છે.
18/7/2020
e.mail : naranmakwana20@gmail.com
![]()


આઝાદી બાદ શિક્ષણ ક્ષેત્રે દેશે મોટી ફાળ ભરી છે. સામાન્ય સાક્ષરતા દર તો ઘણો વધ્યો જ છે. ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પણ સારી પ્રગતિ થઈ છે. ૧૯૫૦માં દેશમાં માત્ર ૨૦ યુનિવર્સિટીઓ હતી. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ૨૦૧૮-૧૯ના ઓલ ઈન્ડિયા હાયર એજ્યુકેશન સર્વે મુજબ હવે ૯૯૩ યુનિવર્સિટીઓ અને ૩૯,૯૩૧ કોલેજો છે. ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૦૧૦-૧૧માં ૧.૨ કરોડ હતી જે દાયકામાં જ વધીને ૩.૭૪ કરોડ થઈ છે. શિક્ષણની પ્રગતિના આ આંકડા આંજી દેનારા હોવા છતાં જ્ઞાન આધારિત સમાજ અને અર્થવ્યવસ્થાના યુગમાં પર્યાપ્ત નથી.