ઓક્ટોબર 24, ડો. જયેન્દ્ર મણિધર ભટ્ટ, ઉર્ફે બચુભાઈ, બુલબુલ ભાઈ, બચુદાદા, દાદા તરીકે ઓળખાતા મારા પિતાજીની ૯૫મી જન્મ જયંતી! (1925 – 2008)
બ્યાશી વર્ષના એમના સરળ, સાદા પણ રસપ્રદ, અને પ્રેરણાદાયક જીવન વિષે ઘણું કહી શકાય. પણ ચાલો, આજે એમને એક પુત્રના કેલિડોસ્કોપમાંથી જોઈએ!
બધાં એમને વલ્લભવિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના એક સરળ સન્નિષ્ઠ અધ્યાપક તરીકે ઓળખે. એમના જેવું ઉમદા વ્યક્તિત્વ ધરાવતા બીજા અનેક અધ્યાપક સાથીઓને પણ આપણે આજે બિરદાવીએ. ઘર અને પાડોશમાં સૌ એમને બચુભાઈ કહેતા. હા, આબાલવૃદ્ધ સૌ. અને પાછળથી એમને 'દાદા'ની પદવી ઘરના બાળકોએ આપી, તેથી બચુદાદા પણ કહેવાયા! શુદ્ધ ગાંધીમૂલ્યોનું અનુસરણ કરનારી, પ્રગતિશીલ અને માનવતાવાદી વ્યક્તિ. પરંતુ કદી પોતાનો કોઈ મત કુટુંબીઓ કે બીજા પર ઠોકી ન બેસાડતા એટલે પહેલા ઉદારમતવાદી. સાથે સાથે થોડી માનવ સહજ અવ્યહારુ મર્યાદાઓ પણ ખરી જ. આગળ જોઈશું.
એક વાર એમને એવી મોટી છીંક આવી હતી કે લેંઘાનું નાડું તૂટી ગયું! બધ્ધાની હાજરીમાં. પછી તો જે નિખાલસપણે, સંકોચ વગર, એ હસ્યા અને સાથે અમે સૌ પણ! એમને ગયે વર્ષો થયાં છતાં, આજે જ્યારે પણ ઘરમાં કોઈથી આવી નિર્દોષ કે ભુલકણી રમૂજ થાય ત્યારે અમે મોજથી કહીએ કે "બચુદાદા જેવું!"
એમને નાકમાં વાંકુ હાડકું (સેપ્ટમ) હતું, તેથી સાઈનસનું દર્દ બાળપણથી જ. તેમના લંગોટિયા માણેકલાલનાં દાદીએ છીંકણીં સૂંઘવાનું લફરું લગાડી આપ્યું. બસ પડી ગઈ ટેવ! ખાદીનાં કપડાં, ખાદીનો રૂમાલ, પણ ગજવામાં છીંકણીંની ડબ્બી! વર્ષો પછી ચાલીસીમાં આ અભદ્ર એવી ગણાતી ટેવ ગઈ ખરી! કોઈ પણ નાની વસ્તુ પણ રીપેર કરવાની આવે એટલે મોતિયાં મરી જાય! સમાચાર સાંભળવા ડાયલવાળા રેડિયો પર અમદાવાદ-વડોદરા સ્ટેશન સાચું ગોઠવવાની પૂરતી કુશળતા ખરી, પણ ટેપ રેકોર્ડરમાં કેસેટ મૂકી સાચી સ્વીટ્ચ દબાવવી ન ફાવે ને સાયકલની ચેન ઊતરે તો તો સહેજ કસોટીકારક આહ્વાન! અમારા ઈસબભાઈ વોરાકાકા, એક સહ-અધ્યાપક અને અમારા પાડોશી, તે એમનો પહેલો ને છેલ્લો સહારો!
કૃષ્ણાશ્રય!
વર્ષો સુધી અમારા ઘરમાં વાહન તરીકે માત્ર એક સાઇકલ! પાછળથી લેમ્બ્રેટ્ટા (ઇટાલિયન) ખરીદ્યું! પણ ચલાવતાં ના આવડે! તેથી એમના મિત્રો એમના વાહન-ચાલાક. મહિનાઓ પછી જાતે ચલાવતા થયા! કમ્પ્યુટર ઇલેક્ટ્રોનિક્સ વિષે શીખવાનું શરૂ કર્યું, પણ રસ ન જાગ્યો. પરંતુ કમ્પ્યુટરની ભાષા – પ્રોગ્રામિંગ શીખી લીધું. ભાષા તરીકે જાવા પ્રોગ્રામિંગ સરસ શીખ્યા. આખો પ્રોગ્રામ જાવાની ભાષામાં લખે. કમ્પ્યુટરની ભાષાના નિયમો અને વ્યાકરણ તદ્દન સાચાં. આ પ્રોગ્રામિંગ પણ કાગળ પેન્સિલથી જ લખેલું. પરફેક્ટ! શિક્ષકની પણ ભૂલ કાઢે. પરંતુ કમ્પ્યુટર ઉપર તે પ્રોગ્રામ લૉડ કરવો કે કમ્પ્યુટર ચલાવવું વગેરે ન ફાવે. કહે “જવા દો ત્યારે !" મોબાઈલ ફોન મેં આપ્યો હતો પણ જવલ્લે જ વાપરે. શૈક્ષણિક અભિગમ (એપ્ટિટ્યૂડ) જન્મજાત, પણ યાંત્રિક નહીં.
એકસઠ પછી રિટાયર થઇ અમેરિકા આવી જોડાયા અમારી સાથે. ઘરમાં બેસી રહેવું ગમે નહિ. કાર શીખવડાવા પ્રયત્ન કર્યો પણ સફળતા ન મળી! પાછળથી કહેતા કે સારું થયું, કારણ કે બસમાં ફરવાથી લોકોને મળાય, જુદી જુદી જાતિના અને ભાષાના લોકો સાથે ભળાય ને વાતો થાય. અમુક નવા મિત્રો બને તેમને તો બસથી ઘરે લઈ આવે – વાતો કરવા અને ચા પીવા. અરે, ઘણી વાર અમે કામ ઉપરથી ઘરે આવીએ ત્યારે કોઈ વાર ગોરા, કોઈ વાર કાળા, કે મેક્સિકન, કે વિયેતનામી એવા અજાણ્યા મહેમાન અમારા દીવાન ખંડમાં આદુવાળી ચા, ગુજરાતી નાસ્તો અને બચુભાઈની કંપની માણતા હોય, અને તે માતુશ્રીની બદોલત! લોસ એન્જલ્સના વિવિધ જાતિના અનેક લોકોની સાથે એમની દોસ્તી. જાણે યુનિટેડ નેશન્સના પ્રમુખ! બસમાં ફરવામાં વાર બહુ લાગે, થોડું ચાલવું પણ પડે, છતાં ભાગ્યે જ કોઈને વિનંતી કરે કે તમારી કારમાં મને મૂકી જાવ. પોતાની સ્વતંત્રતાથી ફરવાની મોજ અને જુદી જુદી સંસ્કૃતિના લોકોને મળવાનું વધુ ગમે. લોસ એન્જલ્સમાં સામાન્ય રીતે આર્થિક રીતે નબળાં લોકો બસમાં ફરે. તે છતાં (અને કદાચ તેથી જ) બસ ગમે. એન.આર.આઈ. સિનિયર સિટીઝન્સની પણ ક્લબ શરૂ કરી અને એ એક સહાયક (સપોર્ટ ગ્રુપ).
અધ્યાપક
એમનો પીએચ.ડી.નો વિષય હતો – ગાંધી-વિનોબાની શૈક્ષણિક ફિલસૂફીનો અભ્યાસ. એમના માર્ગદર્શન હેઠળ લગભગ સાઠથી વધુ પીએચ.ડી. સ્નાતકો થયાં જે બધાં જ શૈક્ષણિક ક્ષેત્રે કામ કરે છે. વૈવિધ્યપૂર્ણ વાચન એમની સુટેવ. ટી.વી. જોવાને સમયનો વ્યય કહેતા. અનેક રસપ્રદ વિષયો પર માંડીને બોલી શકે. અમને વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા ઉત્તેજિત કરે અને શીખવે. નખશિખ અધ્યાપક! અંગ્રેજી, સંસ્કૃત, અને ગુજરાતી ભાષા પર અદ્દભુત પ્રભુત્વ. ઉર્દૂ લિપિ શીખ્યા. હસીને સ્વીકારતા કે “મારું પોતાનું લખેલ ઉર્દૂ પાછળથી વાંચતાં અઘરું પડે છે, પણ બીજાનું લખેલું ઉર્દૂ સહજ વાંચી શકું છું એટલી નબળાઈ છે.”( મૂજી લાગે પણ સાચું). તેમના સહ અધ્યાપકો એમની વ્યાવહારિક બિનઆવડત અને ભોળપણ પર હંમેશાં એમની પ્રત્યક્ષ જ પ્રેમથી હસતા, પરંતુ એમની વિદ્વત્તા, ઉચ્ચ મૂલ્યો, અને ઉદારતા માટે અત્યંત આદર અને સન્માન રાખતા.
કિશોરકાળથી જ કસરતી. છેક છેલ્લે સુધી શારીરિક સહનશક્તિ એવી કે પાછલી ઉંમરે પણ ચાર વાર થાપાની સર્જરી ખાસ ફરિયાદ વગર સહી. પહેલેથી ગાવાનો શોખ તેથી જ હુલામણું નામ બુલબુલ પડેલું. પોતે સંગીત શીખી ના શક્યા પણ અમને સંગીત શીખવવાનો આગ્રહ રાખ્યો તેનો આજે અમને ફાયદો અને આનંદ છે.
ધર્મનિરપેક્ષ, એગ્નોસ્ટિક, કે નાસ્તિક?
ભારતમાં હતા ત્યારે ક્યારે ય મંદિર ન જતા. અમેરિકા આવ્યા પછી અહીંના મંદિરમાં માત્ર બીજા ભારતીયોને મળી શકાય, વાતો થાય માટે જ જતા, અને લગભગ બહાર બાંકડે જ બેસતા. એમણે ભાષ્યો અને મીમાંસાનાં ભાષાંતર કરેલાં અને શાસ્ત્રોનો અભ્યાસ કરેલો તે છતાં તેમાં જરા ય માનતા ન હતા. બાઇબલ, કુરાન, બૌદ્ધ, અને જૈન શાસ્ત્રોમાં ઊંડો રસ અને અભ્યાસ. પણ કહેતા "ઠીક છે બધું. માનવધર્મ જ ધર્મ". બચુભાઇને નાસ્તિક કહી શકાય કે નહિ તે હજી એક કોયડો છે, પણ એ એક માનવતાવાદી, ધર્મનિરપેક્ષ, ઉદારમતવાદી, અને પોતની આગવી રીતે આધ્યાત્મિક વિદ્વાન જરૂર હતા.
અમારાં બાળકો માટે ખૂબ જ પ્રેમ, અને માનવતાવાદી અને જ્ઞાનનાં મૂલ્યોનું સિંચન બાળકોમાં કરવાનો અતિ આગ્રહ. એ સાદા અને સરળ માનવી કે જેમને અમારા પિતા કહેતાં અમને ગૌરવ થાય છે, એમને કવિશ્રી ઉમાશંકર જોશીનાં ‘માવતર’ કાવ્યની પંક્તિઓ ટાંકીને સાદર પ્રેમાંજલિ :
પિતા! હું તો નાનું ઝરણ અમથું; ઈશ્વરકૃપા
થકી જન્મ્યું, જીવું, જગતલ વહું આર્દ્ર ઉરથી
તમારા પ્રેમાળુ (ઉપરથી ભલે વજ્ર સમ હો!), -
મીઠું ગાણું મારી રગ રગ વહે આપ રગનું
. …. બની બાદલ પાછું તમ ઉર વસું, જો પ્રભુકૃપા!
(લોસ એન્જલ્સ)
e.mail : vijaybhatt01@gmail.com
![]()


‘પૈસા આપણા સામાજિક જીવનને દૂષિત કરે છે, એટલે વ્યાવહારિક જીવનને શુદ્ધ બનાવવા માટે પૈસાનો ઉચ્છેદ કરવો જરૂરી છે.’ આવા વિચારથી પવનાર આશ્રમમાં અમારો કાંચન-મુક્તિનો પ્રયોગ શરૂ થયો હતો. પ્રાર્થનામાં ગીતાઈનો પાઠ રહેંટ ચલાવતાં ચલાવતાં થતો હતો. એક વાર જયપ્રકાશજી મને મળવા આવ્યા. તે દિવસોમાં અમારો વિચારભેદ હોવા છતાં તેઓ મારી સાથે રહેંટ ચલાવવામાં જોડાઈ ગયા. તેઓ ઘણી પ્રેરણા લઈને ગયા. (જે.પી.એ કહ્યું હતું, “મેં ત્યાં પ્રકાશનું કિરણ જોયું. વિનોબા સાથે એમની એ પહેલી મુલાકાત હતી.)
બીજી વિશેષતા, તેઓ ગૃહસ્થાશ્રમી હોવા છતાં પણ પતિ-પત્ની બ્રહ્મચર્યનું પાલન કરતાં હતાં. રામકૃષ્ણ પરમહંસ બ્રહ્મચારી હતા. એમના લગ્ન કરાવ્યાં તો એમની પત્ની શારદાદેવી બ્રહ્મચારિણી રહ્યાં. એનાથી ઊંધી વાત જયપ્રકાશજીની છે. પ્રભાવતી બાપુની સેવામાં રહેતાં હતાં, બાપુ સાથે નિકટના સંબંધ હતા. બાપુના વિચારોને કારણે પ્રભાવતીજીને બ્રહ્મચર્યની પ્રેરણા મળી હતી અને નિશ્ચય કર્યો. જયપ્રકાશજીએ કહ્યું, ‘હું તમને અનુકૂળ રહીશ.’ આ બિલકુલ સહજ રીતે થયું. ‘મેં કોઈ બહુ મોટી વાત કરી’ એવો અહમ્ નહીં. સહજ નિરહંકારી હતા. આ વાત કોઈને ખબર પણ નહોતી. ગાંધીજીએ કસ્તૂરબાને ‘માતા’ માન્યાં હતાં એ વાત બધાને ખબર છે. રામકૃષ્ણની વાત પણ જાહેર છે. પરંતુ જયપ્રકાશજીની વાત કોઈને ખબર નથી. દુનિયામાં આવાં ઉદાહરણો ઓછાં જોવા મળે છે.
ચીને એ પછી ૧૯૬૬માં સાંસ્કૃતિક ક્રાંતિનો કાર્યક્રમ હાથ ધર્યો. આ મુખ્યત્વે સામાજિક-રાજકીય કાર્યક્રમ હતો. માણસને એવી રીતે ઘડવામાં આવે કે એ પરંપરાના તમામ બંધનોથી મુક્ત થઈ જાય. બંધનો માન્યતાઓના હોય છે, મૂલ્યોના હોય છે, રીતિરિવાજોના હોય છે, ધાર્મિક વળગણોના હોય છે, વગેરે. ખરું પૂછો તો મૂડીવાદ પણ માનવસ્વભાવ આધારિત સ્વાર્થજન્ય પરંપરાગત વેપારપદ્ધતિ છે, જ્યારે સમાજવાદ વિચારો પર આધારિત રાજ્યનિર્મિત વ્યવસ્થા છે. ચીનના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ માઓ ઝેદોંગનો આગ્રહ હતો કે પ્રત્યેક ચીની મૂડીવાદી સંસ્કારોથી પણ મુક્ત થવો જોઈએ. જો આમ બને તો જ નૂતન ચીનનો નૂતન સામ્યવાદ જે માઓવાદ તરીકે ઓળખાવવામાં આવે છે એ લાગુ થઈ શકે અને ટકી શકે. ચીનનો માઓવાદ એ રશિયાના સામ્યવાદ કરતાં જુદો હતો. ટૂંકમાં પ્રત્યેક ચીનાને માઓવાદ સિવાયનાં તમામ માન્યતાઓ અને બંધનોથી મુક્ત કરવાના કાર્યક્રમને સાંસ્કૃતિક ક્રાંતિ (કલ્ચરલ રિવોલ્યુશન) તરીકે ઓળખાવવામાં આવે છે.
વ્યવસ્થા વર્ણસંકર એ રીતે હતી કે તેનો રાજકીય ઢાંચો સામ્યવાદી હતો જે કાયમ રાખ્યો હતો. ટૂંકમાં અંકુશગ્રસ્ત રાજકારણ અને અંકુશરહિત અર્થકારણ.