લઈ લો … લઈ લો …
કરતો આવ્યો છે વેચણહારો વણઝારો!
કવિઓ તાબોટા પાડી પાડીને મંડી પડ્યા છે ગાવા
જીવો વણઝારા વ્હાલમ, જીવો વણઝારા ..
વેચણહારો વણઝારો પોઠ ભરીને લાવ્યો છે
સરકારી કંપનિયું, બસના અડ્ડા, રેલવેસ્ટેશનું,
થોડીક નદિયું,ચપટીક સમંદર, ચાંગળુક પર્વતો!
લાગે કે જાણે સરકાર રંડાણી!
પછી તો ભાઈ લેવા માંડ્યું હંધુય
કાં અદાણી, કાં અંબાણી, કાં કોઈ પણ રાણીએ મા આણી!
વેચાયા પછી બની જાય છે
બસનો અડ્ડો, ચકચકતો મોલ!
માતાજીનો ભૂવો માથાના વાળથી પગની પાની લગી
ફેરવે સાવરણી એમ
તમે પ્રવેશો કે કંઇક ફેરવે છે સુરક્ષાકર્મીઓ!
તમે ચ્યાંક આતંકવાદી તો નથી ને?
પણ આપણને તો મિનિટ બે મિનિટ હારું લાગે હોં!
જાણે આપણેય ન હોય મોટ્ટા વીઆઈપી!
વળી આપણે આ વીઆઈપીપણામાંથી ભાનમાં આવીએ
ન આવીએ, ત્યાં તો ફેંકાય ..
થૅન્ક્યૂ, હેવ અ ગુડ ડે સર …
આપણને થાય કયાં ગ્યાં
પેલાં શેરડીના રસના ગ્લાસ લઈને આવનારાં છોકરાંવ?
ખાટીમીઠી ને શીંગચણાવાળા?
દંતમંજન અને ખોટ્ટાં ઘરેણાંવાળા?
જે ઘરેણાં લઈ, જાણે સાચ્ચેસાચા લીધા હોય એમ મલકાતી
નવી વહુવારુ?
'જો, જો લ્યા, કોઈનું ખિસ્સું કપાય ન હોં? માદરબખત અહીં
રખડતા હોય છે’
કહી બૂમો પાડતા દાદાનું જ કપાતું ખિસ્સું!
એ ખડ ખડ હસી પડતા, માળો મારા પર જ કળા કરી ગયો!
આપણે તો હાળું હસાયેય નંઈ ને રડાય નંઈ
કયાં ગ્યા એ દાદા?
કયાં ગ્યા હશે એ ખિસ્સાકાતરુ?
પણ ઊભા રો, ઊભા રો
આ વેચણહારા વણઝારાની મોં કળા
ઓલા ખિસ્સાકાતરુ હારે કાં મળતી આવે?
એનો પોતરો બોતરો જ લાગે છે!
E-mail : bharatmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2022; પૃ. 05
![]()


ભારતમાં રાજકીય પક્ષો રોજગારી સર્જવામાં નિષ્ફળ ગયા છે. એના વિકલ્પે સરકારમાં સર્જાતી રોજગારી વહેંચી આપવાની નીતિ એમણે અપનાવી છે. શરૂઆતમાં એસ.સી. અને એસ.ટી., એમ બે વર્ગો માટે અનામત હતી. એમાં સમય જતાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારે એક પરિપત્ર બહાર પાડીને સરકારમાં ૧૦ ટકા જગ્યાઓ, આર્થિક રીતે પછાત વર્ગો માટે અનામત જાહેર કરી. આ અનામત એસ.સી., એસ.ટી. અને ઓ.બી.સી. સિવાયના વર્ગોને લાગુ પડે છે. એમની વ્યાખ્યા આ રીતે કરવામાં આવી છેઃ કુટુંબની આવક બધાં ક્ષેત્રોમાંથી ૮ લાખથી વધારે ન હોવી જોઈએ. કુટુંબ પાસે કોઈ સંપત્તિ હોય, દા.ત. ૫ એકર જમીન ખેતી માટે હોય અથવા સો ચોરસ વારનો રેસિડેન્શિયલ પ્લૉટ હોય. (જાહેર કરવામાં આવેલી મ્યુનિસિપાલિટીઓના વિસ્તારમાં અથવા અન્ય મ્યુનિસિપાલિટીઓમાં ૨૦૦ ચોરસ વારનો પ્લૉટ હોય તો આવકની ગણતરી કર્યા વિના આર્થિક રીતે પછાત વર્ગોમાંથી તે કુટુંબને બાદ કરવામાં આવશે. કુટુંબમાં પતિ-પત્ની, મા-બાપ એમનાં ૧૮ વર્ષથી નીચેનાં સંતાનોનો સમાવેશ થાય છે.
સાચું તો એ છે કે જગતને શાંતિ અપેક્ષિત જ નથી. તે વાતો શાંતિની કરે છે, પણ ભેગી તો અશાંતિ જ કરે છે. કોરોના જેવો રોગ જગત આખાએ ચીનથી આયાત કર્યો અને લાખો માણસો એનો ભોગ બન્યા ત્યારે લાગતું હતું કે હવે આ દુનિયા શાંતિ માટે પ્રયત્નશીલ રહેશે. આખું જગત ઠપ થઈ ગયું હતું તે ધીમે ધીમે બેઠું થયું ને હજી તો કોરોનાના વેરિયન્ટની ધમકીઓ આવ્યા જ કરે છે, ત્યારે પણ યુદ્ધથી પણ માનવ સંહાર વહોરવાની મહેનત દુનિયા કરી રહી છે. ચીને કોરોનાની ભેટ આપીને જગતની આર્થિક વ્યવસ્થા ડામાડોળ કરી, તો આતંકી પ્રવૃત્તિઓને છૂટો દોર મળે એ માટે આતંકી વર્ચસ્વ પણ વિશ્વમાં હિંસક પડઘા પાડી રહ્યું છે. પચાસેક દિવસથી રશિયા-યુક્રેન બાખડી રહ્યા છે ને એને નિમિત્તે રશિયા, અમેરિકા અને તેનાં સાથી દેશો સામસામે આવી ગયા છે. શ્રીલંકા કરોડો ડોલરના દેવામાં ડૂબી ગયું છે ને અવ્યવસ્થા જ ત્યાં વ્યવસ્થા થઈ ગઈ છે. પાકિસ્તાનમાં પણ સત્તા પલટો થયો છે ને નવા સત્તાધીશ ભારતને વધારે ભારે પડે એવાં એંધાણ છે. એટલી બધી ઘટનાઓ એક સાથે જગતમાં બની રહી છે કે લાગે છે કે અશાંતિ સિવાય કોઈ પર્યાય જ જગતને ખપતો નથી. હિંસા, રક્તપાત, આર્થિક ઉથલપાથલમાં ઘણા દેશો સંડોવાયા છે ત્યારે ભારત પણ અનેક સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું છે. એ કહેવાની જરૂર નથી કે આ બધું કુદરતી ઓછું ને માનવ સર્જિત વધુ છે.