ગુજરાતી સાહિત્ય પરિષદની અસાધારણ સામાન્ય સભા આજે બપોરે બે વાગ્યે તેના બંધારણમાં જરૂરી ફેરફાર અંગે મળી રહી છે. તેમાં હાજર રહેવા વિશે ગઈ કાલે રાત્રે વિચારતો હતો ત્યારે અચાનક જ થયું કે કે ‘લાવ ને, આ સભામાં જતાં પહેલાં પરિષદના 2022ના વાર્ષિક અહેવાલ પર નજર ફેરવી લઉં.’
આ અહેવાલ મને સાયલા ખાતે 15-16-17 ડિસેમ્બર 2022 દરમિયાન યોજાયેલા જ્ઞાનસત્રમાં મળ્યો હતો, તેની સાથે પારિતોષિક-પુરસ્કૃત લેખકો વિશેની પુસ્તિકા પણ હતી. એ વખતે તે વાંચી, પણ અહેવાલની પુસ્તિકા વંચાઈ નહીં, ને ગેરવલ્લે મુકાઈ ગઈ. અત્યારે આ આસાધારણ સભા સંદર્ભે યાદ આવ્યું એટલે એક મિત્રને પૂછતાં તેણે અહેવાલ-પુસ્તિકાની પી.ડી.એફ. બનાવીને મોકલી.
પાનાં ફેરવતાં યાદ આવ્યું કે ‘2022 જાન્યુઆરીમાં પરિષદમાં થયેલું વૃક્ષછેદન, તે અંગે નિમાયેલી તપાસ સમિતિ, તેણે પરિષદને સુપરત કરેલો એકસો છ પાનાંનો અહેવાલ, તેની પરિષદના સભ્યોને મોકલવામાં આવેલી મુદ્રિત નકલ અને અહેવાલને પગલે પરિષદના તત્કાલીન મહામંત્રીએ આપેલું રાજીનામું આ બનાવોનો ઉલ્લેખ 20022 ના વાર્ષિક અહેવાલમાં ક્યાં ?’
એને લગતો એક પણ શબ્દ ન જડ્યો.
વાર્ષિક અહેવાલ બે વખત વાંચ્યો. થયું કે કદાચ હું ચૂકી ગયો હોઉં. પરિષદ જેવી જાહેર સંસ્થાના અહેવાલમાં આટલી મોટી વાત પડતી મૂકાય તે ન બને. પણ મારી ચૂક ન હતી.
એક માતબર વાચક-સંપાદકને પણ ખરાઈ કરી આપવા વિનંતી કરી. તેણે પણ કહ્યું : ‘વૃક્ષછેદન અંગે કશું જ નથી.’
અરે, સમિતિ અને અહેવાલ તો જવા દો, પણ પરિષદમાં મોટા પાયે વૃક્ષછેદન થયું અને તેને પગલે મહામંત્રીએ રાજીનામું આપ્યું આ બે બનાવો — તેનું સારા — નરસાપણું કે તેની અભૂતપૂર્વતા બાજુ પર રાખીને ય – બનાવો તરીકે તો અહેવાલમાં હોવા જોઈએ કે નહીં ? 2022માં ઉમાશંકર જોશીના જન્મદિવસે થયેલા વૃક્ષારોપણ કાર્યક્રમની નોંધ થાય તેમ, ‘અહેવાલ’માં એક ‘બનાવ’ તરીકે વૃક્ષછેદનની નોંધ ન હોય?
ગ્લાનિ અને આક્રોશની લાગણી થઈ આવી. શું કહેવું ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે વાર્ષિક અહેવાલમાં નોંધ કરવામાં પરિષદને સંકોચ થયો (સૌમ્ય શબ્દપ્રયોગ) ? અપરાધભાવ જાગ્યો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તેની તવારીખ તરીકે નોંધ પડતી મૂકવામાં પરિષદને સંકોચ ન થયો ( સૌમ્ય શબ્દપ્રયોગ )? અપરાધભાવ ન જાગ્યો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદને આ અહેવાલના લેખન-નિર્માણ દરમિયાન અને તે છપાયાં પછી વરેણ્ય સામૂહિક સ્મૃતિભ્રંશ – collective selective amnesia – થયો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદમાં એકંદરે જળવાયેલાં મૌનના કારસ્તાન – conspiracy of silence -ને વર્ષ 2022ના અહેવાલમાં કાયમી સ્વરૂપ આપવામાં આવ્યું – enshrine કરવામાં આવ્યું ?
દેશના સર્વોચ્ચ સાહિત્યિક પારિતોષિકો-સન્માનો મેળવનાર, લેખો – પુસ્તકો – ભાષણોમાંમાં વારંવાર મૂલ્યોની દુહાઈ દેનારા, વર્ષોથી ઇતિહાસબોધની વાતો કરતા રહેનારા, સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિ પર ચર્ચાઓ કરનાર વગેરે સહુને કહેવું ઘટે કે –
પરિષદમાં વૃક્ષછેદન થયું હતું, તે અંગે સમિતિએ લખેલા અહેવાલે એક કરતાં વધુ વ્યક્તિઓને જવાબદાર ગણ્યા હતા, અહેવાલને પગલે તત્કાલીન મહામંત્રીએ રાજીનામું આપ્યું હતું – આ બનાવ વાર્ષિક અહેવાલ રૂપે સમકાલીન ઇતિહાસમાં ન જાય, તેની નોંધ જ ન હોય તેની પૂરેપૂરી તકેદારી લેવાઈ હોય તેમ લાગે છે. ઇતિહાસ જ ન હોય ત્યાં બોધ શેનો ?
વૃક્ષછેદન અને તે પગલે જે બન્યું તે અંગે પરિષદે શાસકો જેવી નીતિ સ્વીકારી ? – ઇતિહાસને ઢાંકો, છૂપાવી દો, વિકૃત કરો અને બને તો ભૂસી જ નાખો ! અથવા સહુથી ઉત્તમ તો પોતાના ચોપડે ચઢવા જ ન દો !
એક નાની હકીકત (સત્ય તો મોટો શબ્દ છે) વાર્ષિક અહેવાલમાં આવે તેનાથી પણ ડરીએ છીએ, તેની ભોંક સહન નથી થતી ?
સૉક્રેટિસ, ટૉલ્સ્ટૉય, ગાંધી, ચૉમ્સ્કી, દર્શક ને એવાં (યાદી તો ઘણી લાંબી થાય જ ને…) વિશે લખ્યું છે ને ? તેમને ટાંક્યા છે ને ? રથ જમીનને અડ્યા જ કરે છે, ને જાહેરમાં લખવા-બોલવામાં લોકોને બતાવવાની કોશિશ છીએ કે રથ ઊંચો ચાલે છે ?
ગુજરાતી સાહિત્ય પરિષદના 2022ના વર્ષિક અહેવાલ મુજબ post- truth (કંઈ નહીં તો ય આ શબ્દની તો મને પણ ખબર છે) એ છે કે પરિષદમાં વૃક્ષછેદન થયું જ ન હતું …. No one killed Jessica!
30 માર્ચ 2023
[582 શબ્દો]
e.mail : sanjaysbhave@yahoo.com
સૌજન્ય : સંજયભાઈ ભાવેની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



તમે એક વાત નોંધી? મીડિયા જગતના વાચાળ વાચસ્પતિઓ અને વિરોધ પક્ષોના કેટલાક નેતાઓ એક પ્રશ્ન વારંવાર ઉપસ્થિત કરી રહ્યા છે કે, “હા, રાહુલ ગાંધી અઘરા સવાલો પૂછી રહ્યા છે, રસ્તા ઉપર ઉતરે છે, તેમનામાં સાતત્ય જોવા મળે છે, પદયાત્રા કરી પણ એ આખરે મતમાં પરિવર્તિત થશે?” અને પછી ઈંગિત કરે છે કે આ બધો દળીદળીને ઢાંકણીમાં ઉધારવાનો ધંધો છે, વગેરે વગેરે. તેઓ ધરાર રાહુલ ગાંધીને હાર-જીતનાં ચૂંટણીના મેદાનમાં ધકેલે છે, પણ રાહુલ એ તરફ નજર પણ કરતા નથી. તેઓ ઇરાદાપૂર્વક રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીના રાજકીય પ્રતિસ્પર્ધી બનાવવા માગે છે, પણ રાહુલ ગાંધી તેમની જાળમાં સપડાતા નથી અને વૈચારિક અંતિમે ઊભા રહે છે. રાહુલ ગાંધીએ તેમની પદયાત્રા દરમ્યાન એક માર્મિક વાત કહી હતી. મેં વહ રાહુલ ગાંધી કો પીછે છોડકર નિકલા હું. વહ એટલે કે હાર-જીતનું સત્તાકીય રાજકારણ કરનારો રાહુલ ગાંધી.
વીતેલાં વર્ષમાં મારાં અંતરતલને તીવ્રતાથી સ્પર્શી જનારી ઘટના? યાત્રા? મુલાકાત? વ્યક્તિ? – આ તમામ પ્રશ્નાર્થો સામે એક જ ઉત્તર સાંપડે છે : હરીન્દ્ર દવેની સ્થૂળ ગેરહાજરી અને સતત અનુભવાતી સંનિધિ. બસ. પછી પૂર્ણવિરામ ! આ કેવી ઘટના છે? એક દાયકાથી પણ દીર્ઘ સાન્નિધ્યની એક સંપન્ન યાત્રા, વ્યક્તિત્વને મહોરવા મોકળું આકાશ આપતી તાઝગીભરી મુલાકાતો, પુસ્તકોની મનગમતી વાતો – આ બધા પર ૧૯૯૫ના માર્ચ મહિનાની ૨૯મી તારીખે મૃત્યુની અફર આંગળીએ ’સ્ટોપ’ લખી નાખ્યું, પૂર્ણવિરામ મૂકી દીધું. એ અક્ષરોને ભૂંસવાની જીવનની તાકાત નથી. પરંતુ મૃત્યુની પંહોચ માત્ર સ્થૂળ હયાતી સુધી જ છે, જ્યારે જીવન તો
હરીન્દ્રભાઈ સાથેનો પરોક્ષ પરિચય ઘણો જૂનો, પણ પ્રત્યક્ષ પરિચય તો પત્રકારત્ત્વના વ્યવસાયમાં આવ્યાં પછી જ થયો. બાર વર્ષ(૧૯૮૩થી ૧૯૯૫)માં એ પરિચયમાં ઊંડી આત્મીયતાનું તત્ત્વ ઉમેરાયું. સતત શીખતાં રહેવાની, નવું નવું જાણવાની – સમજવાની મારી ઉત્સુકતાને સંતોષે એવું તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ. વળી આસપાસના સહુ કોઈના વિકાસમાં રાચે. કેટલીક વ્યક્તિઓને મળતાં કે તેમની સાથે વાતો કરતાં આપણે ભીતરથી વધુ સમૃદ્ધ થતા હોવાનો અહેસાસ કરીએ. હરીન્દ્રભાઈ સાથેના સંવાદમાં આવી સમૃદ્ધિનો અનુભવ મને અનિવાર્યપણે થયો છે. કેટલીક વાર ધસમસતા પ્રવાહ જેવો મારો જૂસ્સો ઓગળીને ઘાયલ અને હતાશ યોદ્ધાની આજાર-અવસ્થામાં પલટાઈ જતો. અનેકવાર ઝંઝાવાતી સમંદરમાં ઊછળતાં વિકરાળ મોજાં વચ્ચે પોતાના નાનકડાં બાહુથી એક ટચૂકડી નાવને સંતુલિત કરતી, તેને તરતી રાખવા મથતી એકલવાઈ છોકરી મારાં માનસપટ પર છવાઈ જતી. અસહ્ય અકળામણ અને બોજ મને ઘેરી વળતા. પણ ’આપણું હ્રદય ખોલીએ ના’ એ પંક્તિને દૃઢપણે પાળું ને હોઠો પર મૌનનું તાળું સજાવેલું જ રાખું. તે છતાં મારી આ મન:સ્થિતિને સમજી, તટસ્થપણે તેનું વિશ્લેષણ કરી, તેમાંથી બહાર આવવાની દિશા તેમણે ચીંધી આપી હતી. અનેક પ્રસંગોએ, અનેક વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પણ એમની સર્જકતા અને શબ્દોનું દૈવત અનુભયાં. પત્રકારત્વ, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, અધ્યાત્મ, માનવસંબંધો, સમાજ, રાજકારણ, રમત-ગમત, જ્યોતિષ, તંત્ર, – એક્પણ વિષય એવો નહોતો જે એમની સાથે ચર્ચી ન શકાય. દરેક વખતે મારી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. એ બૌદ્ધિક માહોલ અત્યંત સંતર્પક હતો. ‘જન્મભૂમિ પ્રવાસી’ની સાપ્તાહિક પૂર્તિના સંપાદક તરીકે એમના હાથ નીચે તૈયાર થવાની તક એ મારા જીવનનો અત્યંત સુભગ સંયોગ હતો. એમની પાસેથી આટલું બધું પામ્યાંની આભારવશતા વ્યક્ત કરતી ત્યારે હરીન્દ્રભાઈ હસીને કહેતા : આપણી વચ્ચે સર્જનાત્મક સંવાદ થયો છે. એનાથી હું પણ સમૃદ્ધ થયો છું. અલબત્ત એ એમની લાક્ષણિક વિનમ્રતા હતી.