'મેઘનના બાળકનો વાન કેવો હશે?' રાણી એલિઝાબેથના કોઈ કુટુંબીજને પ્રિન્સ હેરીને પ્રશ્ન કર્યો, તેમાં રાજકુટુંબ racist છે એવો આક્ષેપ તેમના પર મૂકવામાં આવ્યો અને મીડિયાને એ વાતને અવનવી રીતે વાગોળવા માટે ભાથું મળી ગયું. પણ આપણી સંસ્કૃતિનાં દ્રષ્ટાંતો જોતાં આપણે ચામડીના રંગને જેટલું મહત્ત્વ આપીએ છીએ તે માટે આપણને કોઈ racist કહેશે તો આપણને ગમશે?
'બેટા, બેબી કોના જેવી છે, રેશ્મા જેવી ગોરી કે તારા જેવી સાંવરી?' જો કોઈ ગુજરાતી દાદીએ પરદેશમાં રહેતા પોતાના પુત્રને આવો પ્રશ્ન કર્યો હોય, તો આપણને એમાં ખાસ કઈં અજુગતું ન લાગે, કે ન આપણે માની લઈએ કે દાદી આવનાર બેબીને વ્હાલ નહીં કરે. તે છતાં ય આપણે જાણીએ છીએ કે આપણા સમાજમાં ગોરાં હોવું એટલે રૂપાળાં હોવું એવી માન્યતા પરંપરાથી ચાલતી આવી છે. 'એ છે કાળી, પણ બહુ નમણી છે.' કેમ જાણે કાળી ચામડીવાળાં લોકો નમણાં ન હોય! વળી એક કહેવત પણ આ વાતને પ્રોત્સાહન આપતી હોય એવું મને લાગે છે. 'સિદ્દી બાઈને સિદકાં વ્હાલાં.' એનો અર્થ એ થાય કે ગમે તેટલું કદરૂપું બાળક હોય, પણ તેની માને તો વ્હાલું જ લાગશે. એટલે એમ જ ને કે સિદ્દી લોકો કાળાં હોવાથી કદરૂપાં હોય અને તેમનાં બાળકો પણ. અને એમાં એવો ભાવ પણ આવે છે કે એ બાળક કદરૂપું હોવાથી અન્ય માતાઓને વ્હાલું નહીં લાગે, ફક્ત એની સિદ્દી માતાને જ.
આફ્રિકામાં વસેલાં ગુજરાતીઓએ ત્યાંનાં કાળાં લોકોને ક્યારે ય સુંદર માન્યાં નથી. એમણે લાકડામાંથી કોતરેલી આફ્રિકન ચહેરાવાળી માનવકૃતિઓને કળાની દ્રષ્ટિએ જોઈ જ નથી. ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં તમને એવી એકાદ કૃતિ જોવા મળે. એવી માન્યતા પણ હતી કે એવી મૂર્તિઓ સગર્ભા સ્ત્રી જૂએ તો તેનું બાળક કદરૂપું અવતરે. હવેની વાત જુદી છે.
‘ચામડી માટે ગોરો રંગ સારો કે કાળો?” – Sandesh – http://sandesh.com/skin-to-white-color-good-c/ November, 29 2017 લેખમાં એ.એમ. ખાન લખે છે :
“આપણે ત્યાં કોઈક કારણસર ગોરા બનવાની ઘેલછા ખૂબ વ્યાપક છે. અત્યાર સુધી તો મહિલાઓ જ ગોરાં થવાની મહેનત કરતી હતી, હવે મેટ્રોસેક્સ્યુઅલ માનસિકતામાં પુરુષોને પણ ગોરા થવા પ્રેરણા આપવામાં આવે છે. ગોરા થતાં જ યુવતિઓ તમારી ઉપર લટ્ટુ બની જશે એવું દર્શાવતી જાહેરાતો કરવામાં આવે છે. કેટલાંક લોકો અંગ્રેજો દ્વારા આપણામાં જગાવવામાં આવેલી હીન ભાવનાના કારણે ગોરા થવાની ઘેલછા વ્યાપક બની છે એવું માને છે. પરંતુ શ્રીકૃષ્ણના જમાનામાં પણ રાધા ગોરી હોવાથી બાળ શ્રીકૃષ્ણ યશોદા માતાને ફરિયાદ કરતા હોય એવાં ભજનો ગવાય છે, ‘યશોમતિ મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યોં ગોરી, મૈં ક્યું કાલા?’ રાધા અને શ્રીકૃષ્ણના પ્રણયપ્રસંગોમાં પણ રાધા ‘મોરા ગોરા રંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે …!’ કહેતી હોય એવાં ભજનો આપણે ગાઈએ છીએ. અંગ્રેજોના આગમનના સેંકડો વર્ષ અગાઉ પણ કોઈ સુંદરીના રૂપના વખાણ કરવા માટે રૂપરૂપનો અંબાર અને દૂધ જેવો શ્વેત રંગ એવી ઉપમાઓ કહેવાતી હોવાના ઐતિહાસિક ઉલ્લેખ મળે છે. એટલે ગોરા રંગ માટેની ઘેલછા આજકાલની તો ન હોઈ શકે!”
તો પછી બ્રિટનનું રાજવી કુટુંબ racist છે એવું કોઈ મોટી ઉંમરનો ગુજરાતી માનતો હોય તો તે નર્યો દંભ કહેવાય.
e.mail : bv0245@googlemail.com
15 March 2021
![]()


ગાંધીજીની ‘આત્મકથા’ તેમની ગૌરવશાળી પ્રતિભાને લીધે વિશ્વમાં ખ્યાતિ પામી છે. આ આત્મકથાનો પ્રધાન સૂર સહજ રીતે વ્યક્ત કરેલી એમની કેટલીક નબળાઈઓ. એ નબળાઈનો ગ્રાફ કોઈ પણ પ્રકારના ક્ષોભ વગર સરળ શૈલીમાં રજૂ કર્યો છે. કિશોરવયે સામાન્ય વાતાવરણમાંથી પણ સત્યના અવલંબન દ્વારા અભ્યુન્નતિના શિખરે એ કેવી રીતે પહોંચ્યા ? તે કથની એટલે કે ‘સત્યના પ્રયોગો’. આ કથાને લાયોનેલ ટ્રિલિંગના શબ્દોમાં જોઈએઃ
જવાહરલાલને પિતા પ્રત્યે ખૂબ જ માન હતું, કારણ કે તેઓ ખૂબ જ હિંમતવાન અને મહેમાનો સાથેની ચર્ચામાં હંમેશાં ખૂબ જ બુદ્ધિશાળી. વળી, સાચદિલી, નિખાલસતા, નાના પ્રસંગમાં પણ તેમના વર્તનમાં પ્રગટ્યા વગર રહેતી નથી :
ગાંધીજી ચળવળ શરૂ કરવામાં ઢીલ કરે અથવા કોઈક જગ્યાએ થોડી મારામારી થાય અથવા કોઈ કેદી જેલમાં જેલરની સૂચનાની અવગણના કરે તો નહેરુ માટે અસહ્ય બનતું. નહેરુ અકર્મણ્યતાથી અકળાતા. એ ગમે તે પ્રકારે આઝાદી મેળવવા પ્રયત્નો કરવામાં માનતા. ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ની વાતે આંદોલનમાં ગાંધીજીને નહેરુને સમજાવવા માટે મુશ્કેલીનો અનુભવ થયો હતો.
ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે લોકોના પ્રશ્નો સંદર્ભે તમે સામેથી ફોન કરતા ને એ સંદર્ભે મને ફોન કરીને તમે પૂછેલું તો મેં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી, એ શરૂ કરવા વિનંતી કરેલી. તમે વિગતો સાથે મને રજૂઆત કરવા જણાવેલું. મેં તેમ કરેલું. એ પછી સાહિત્ય પરિષદ તરફથી ગુજરાત સાહિત્ય અકાદમીની સ્વાયત્તતા સંદર્ભે ગુજરાતના સાહિત્યકારો સાથે તમને રૂબરૂ મળવાનું થયેલું, ત્યારે પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ નથી એ સંદર્ભે ફોન પર થયેલી વાતચીતનો સંદર્ભ આપેલો અને એ યાદ છે એવું તમે જણાવેલું. પછી તો વીર નર્મદ યુનિવર્સિટીમાં ગુજરાતીનો વિભાગ શરૂ થયો પણ ખરો ને અત્યારે સક્રિય પણ છે, એનો યશ હું અંગત અને જાહેર રીતે તમને આપી કૃતજ્ઞતાની લાગણી ફરી એકવાર પ્રગટ કરું છું.