જહાજે જહાજે કિનારા બદલાય છે,
કિનારે કિનારે વાટ જોનારા બદલાય છે.
ચેતનવંત દેહ એક લાશ બંને છે,
જનાજે જનાજે સહારા બદલાય છે.
નાટક તો એકનું એક જ હોય છે,
સમયાંતરે ભજવનારા બદલાય છે.
મીરાં-નરસિંહ લખી ગયાં ભજનો,
પેઢી દર પેઢી ગાનારાં બદલાય છે.
ઠેરઠેર મંદિર, મસ્જિદ, દેવળ છે,
ટોચે ટોચે બસ મિનારા બદલાય છે.
દ્રશ્યો પણ એ, કલાકાર પણ એ જ છે,
રોજે રોજ હવે તો જોનારા બદલાય છે.
જામ પણ એ ‘મૂકેશ’ સાકી પણ એ જ છે,
દિવસ ઢળતા અહીં પીનારા બદલાય છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com
![]()


સ્તનોના ભારને લીધે થોડુંક નમેલી – સ્તોકનમ્રા સ્તનાભ્યામ્. કવિ કાલિદાસે શકુન્તલા માટે કહ્યું છે. કવિ કાલિદાસે દુષ્યન્ત પાસે બોલાવરાવ્યું છે – વયમ્ તત્ત્વાન્વેષી, અમે (આપણે) તત્ત્વના અન્વેષક છીએ.
વરસોનાં વહાણાં વાયાં એ વાતને. એક હતો રાજા. એને દિવસરાત એક જ હોંશ ને એક જ ધખના. નવાં કપડાં. નિત નવાં નવાં કપડાં. રાજની તિજોરી છે શેને વાસ્તે, મારા ભૈ ! ન એને લાવલશ્કરની ફિકર, ન કશાની કાળજી. કપડાં. નવાં કપડાં. કલાકે કલાકે વાઘા બદલે. બદલે અને મહાલે. હાસ્તો ભૈ, રાજ જેનું નામ એ તો એમ જ ચાલે ને! આમ તો, રાજા ક્યાં એવું પુછાય તો સત્તાવાર જાણે કે મંત્રાલયમાં કહેવાય. પણ ખરેખાત ક્યાં, તો કહે વસ્ત્રાલયમાં.
હવે દસવીસ વરસ, અને હાન્સ ક્રિશ્ચન એન્ડરસને આ પરીકથા લખ્યાને બસો વરસ થશે. જો કે એનાં મૂળિયાં તો સૈકાઓ પુરાણાં છે, પણ વિશ્વવિશ્રુત તો હાન્સે લખી તે જ છે. આ દિવસોમાં તે સંભારવાનું કારણ અલબત્ત રાજાની જે વિશિષ્ટ વસ્ત્રાવસ્થા એમાં નિરૂપાઈ છે એ છે. નિર્દોષ બાળક, કેમ કે તે આ લખનાર અને આપ વાંચનાર પેઠે ડિગ્રીફુલવેલ ખાસું ભણેલ ને વળી ઊંચી પાયરીએ બેઠેલ નથી એથી વિશિષ્ટ વસ્ત્રાવસ્થાને સરળતાથી બોલી બતાવે છે.