Opinion Magazine
Number of visits: 9449433
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બર્માથી મ્યાનમાર વાયા રોહિંગ્યા અને આંગ સાન સૂ ચીઃ જ્યારે મ્યાનમારમાં તલવાર મ્યાનમાં ન રહી ત્યારે …

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|7 February 2021

સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એટલે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું

છેલ્લા કેટલાક દિવસોથી મ્યાનમાર ચર્ચામાં છે. આપણે ખેડૂત આંદોલન, રિહાના, કંગના અને એવું બધું ચર્ચવા અને જોવામાં વ્યસ્ત છીએ; આપણા આ પાડોશી દેશમાં સત્તાના સમીકરણો બદલાઇ રહ્યાં છે. 74 વર્ષનાં આંગ સાન સૂ ચી જેમને નેવુંના દાયકામાં નોબેલ પીસ પ્રાઇઝ એનાયત કરાયું હતું તેઓ હાલમાં ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ નથી કરાઇ. મ્યાનમારના તંત્રનું સુકાન લશ્કરે બળજબરીથી હાથમાં લઇ લીધું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ રાષ્ટ્રોએ આ તખ્તાપલટની જૂદી જૂદી પ્રતિક્રિયાઓ આપી છે. 1લી ફેબ્રુઆરીએ થયેલી આ ઘટનાની જાહેરાત મ્યાનમાર સૈન્યની માલિકીના ટેલિવિઝન નેટવર્ક પરથી કરવામા આવી હતી. પાટનગર સાથેનાં બધાં જ કોમ્યુનિકેશન બંધ કરી દેવાયા અને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ ચીને અટકમાં લેવાયાં તથા તેમના રાજકીય પક્ષ સાથેના બધાં જ કોમ્યુનિકેશન અટકાવી દેવાયા.

ચર્ચવા માટે તો આ આખી ઘટના સાથે સંબંધિત ઘણી બાબતો છે પણ એક સમયે બર્માને નામે ઓળખાતા આ દેશના ઇતિહાસ પર નજર કરવી પણ જરૂરી છે. છેલ્લા આ રીતે તખ્તાપલટ 1988માં થઇ હતી, જેને પગલે બર્માનું નામકરણ કરાયું અને તે મ્યાનમાર કહેવાયો, આ નિર્ણય પણ વર્ષો સુધી સતત વિવાદોમાં રહ્યો હતો.

જ્યારે 19મી સદીમાં અંગ્રેજોએ આજના મ્યાનમાર અને ત્યારના બર્મા સાથે સંધાણ કર્યું ત્યારે તેમણે બર્માનું નામકરણ કર્યું જે ત્યારના સત્તાધિશ બર્મન – બર્માર એથનિક જૂથને આધારે કરાયું. બર્માનો વહીવટ ત્યારે અંગ્રેજોના સામ્રાજ્ય ભારતના પ્રદેશ તરીકે જ થતો, જે 1937 સુધી ચાલ્યું. આ પછી બર્માને ભારતથી જૂદું કરાયું. સ્વતંત્રતા મળ્યા પછી યુનિયન ઑફ બર્મા તરીકે આ રાષ્ટ્રનું અસ્તિત્વ આગળ ધપ્યું. 1962માં સૈન્યએ પહેલી વાર નાગરિકોની સરકાર છીનવી અને 1974માં સોશ્યાલિસ્ટ રિપબ્લિક ઑફ યુનિયન ઑફ બર્મા નામાકરણ કરાયું. 1988માં બર્મામાં સૈન્યએ હિંસક હુમલા કર્યા જેમાં હજારો લોકો મરી પરવાર્યા અને ફરી નામ જે હતું તે એટલે કે યુનિયન ઑફ બર્મા કર્યું. જો કે આ અહીં અટકવાનું નહોતું. એક જ વર્ષમાં દેશનું નામ યુનિયન ઓફ મ્યાનમાર થયું. દેશમાં બીજાં સ્થળોનાં નામ પણ બદલાયાં અને રંગૂન જે ત્યાંનું પાટનગર હતું તેનું નામ થયું યાગોન અને 2005માં તો પાટનગર જ બદલાઇ ગયું અને નવું પાટનગર છે નેયપ્યિડૉ જે 370 કિલોમીટર ઉત્તરે આવેલું છે.  દેશનું નામ બદલવા પાછળનું મુખ્ય કારણ હતું કે જેટલા પણ સ્થાનિક સમુદાયો છે તેમને એક અધિકૃત ઓળખાણ મળે માત્ર બર્મિઝ પ્રજાને નહીં.  મ્યાનમારને સ્વીકૃતિ મળતાં પણ વાર લાગી કારણ કે આમ તો બર્મા અને મ્યાનમારનો અર્થ સરખો છે, માત્ર મ્યાનમાર વધુ ઔપચારિક નામ છે. 2010માં દેશ લોકશાહી તરફ ડગ ભરવા માંડ્યો પણ છતાં ય સૈન્યની તાકત યથાવત્ રહી અને સૈન્યના રાજકીય વિરોધીઓને પણ પોતાની અભિવ્યક્તિની છૂટ મળી તથા ચૂંટણી પણ યોજાવા માંડી. 2015માં આંગ સાન સૂ ચીનો પક્ષ ચૂંટણી જીત્યો અને 2020માં ફરી તેમનો વિજય થયો. મ્યાનમાર અને બર્મા વચ્ચે આમ તો મ્યાનમારને માન્યતા મળેલી છે પણ જે રાષ્ટ્રોને બર્મા વાપરવું છે એ લોકો બર્મા નામનો જ ઉપયોગ કરે છે.

હવે આપણે વર્તમાન સંજોગોની વાત કરીએ તો સૈન્યએ આંગ સાન સૂ ચી અને તેની સરકાર 2020માં થયેલી ચૂંટણીને મામલે સૈન્યના સપાટામાં આવી છે. મ્યાનમાર આર્મ્ડ ફોર્સિસના વડા મિન આંગ લિયાંગે તખતો પલટ્યો અને એક વર્ષ સુધી અહીં કટોકટી લાદી દીધી છે. સૈન્યનું કહેવું છે કે આ ચૂંટણીમાં અનેક પ્રકારની અનિયમિતતાઓ હતી અને ગરબડોને કારણે આ નેશનલ લીગ ફોર ડેમોક્રેસી પાર્ટી જીતી છે. સૈન્યએ 9 મિલિયન મત પર સવાલ ઉઠાવ્યો છે અને તે અયોગ્ય છે તેમ પણ કહ્યું છે. સૈન્યએ માંગણી કરી કે યુનાઇટેડ ઇલેક્શન કમિશન ઑફ મ્યાનમારે નવી સંસદની રચના પહેલાં સાબિત કરવું પડશે કે આ ચૂંટણી ન્યાયિક રીતે યોજાઇ છે. જો કે ત્યાંના ઇલેક્શન કમિશને આ માંગણીને ફગાવી દીધી. જ્યારથી સેનાએ તખતાપલટો કર્યો છે ત્યારથી આંગ સાન સૂચી અને રાષ્ટ્રપતિ વિન મ્યિંટ એક વખત પણ જાહેરમાં દેખાયાં નથી, તેઓ ક્યાં છે તે અંગે કોઇ સ્પષ્ટતાઓ કે જાણકારી આ લખાઇ રહ્યું છે ત્યાં સુધીમાં નથી કરાઇ. આ તરફ આંગ સાન સૂચી પર આક્ષેપો છે કે તેમણે વૉકીટૉકી આયાત કરી તેનો ઉપયોગ કર્યો, રાષ્ટ્રપતિ વિમ મ્યિંટે લોકોને વાઇરસ હોવા છતા મોટી સંખ્યામાં ભેગા કર્યા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું, વગેરે.

મ્યાનમારના આર્મડ ફોર્સસિઝના વડા મિન આંગ લિયાન્ગ દ્વારા તખતોપલટો કરવામાં આવ્યો છે. લિયાન્ગે દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદી દીધી છે. સૂ ચી મ્યાનમારનાં સ્ટેટ કાઉન્સિલર બન્યાં પછી રોહિંગ્યા મુસ્લિમો પર થયેલા અમાનુષી અત્યાચારે તેમની નેતા તરીકે આકરી કસોટી કરી. રોહિંગ્યા મુસલમાનો પર થયેલી હિંસાને કારણે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ ખાતે મ્યાનમાર સામે નરસંહારનો કેસ પણ ચાલી રહ્યો છે, વળી સૂ ચીની આંતરરાષ્ટ્રીય છબી આમે ય ધોવાઇ ગઇ છે, કારણ કે તેમણે એક સમયે સૈન્યની કામગીરીનો પાંગળો બચાવ પણ કરવાની કોશિશ કરી હતી. રોહિંગ્યા મુસલમાનોને જે પણ થયું છે તેમાં સૂ ચી સાથે જરાક સરખી લાગણી નથી થતી અને તે સ્વાભાવિક છે. ચૂંટણીને લઇને ખડી થયેલી આ બબાલ સૂ ચી સામેનો પહેલો એવો વિવાદ છે જે તેમના છૂટકારા પછી આ સ્તરે સૈન્ય સાથે થયો છે. આમ તો 2020ની ચૂંટણી પછી એન.એલ.ડી.ની ઇચ્છા હતી કે તેઓ સૈન્યનો રોલ રાજકારણમાં ઘટાડી દે પણ એ આમે ય સરળ નહોતું હોવાનું કારણ કે બંધારણીય સુધારાને મામલે પણ કડક મર્યાદાઓ લદાયેલી છે. સૈન્યએ આ પહેલાં પણ મ્યાનમારના બે બંધારણ ખારીજ કરેલાં છે.

સૂ ચીના ટેકેદારો આજે તેના વિરોધીઓ બની ચૂક્યાં છે. સત્તા આગળ શાણપણ નકામું એ આપણે જાણીએ છીએ પણ માણસનું પોતાનું જ શાણપણ સત્તા આવે એળે જાય એનું જીવંત ઉદાહરણ મ્યાનમારમાં જોયું એમ કહેવાય. આપણે આપણા ડહાપણને સાચવી રાખીએ તો સારું, આપણે ત્યાં ટ્વીટરથી પણ અરાજકતા દાવાનળની જેમ ફેલાય છે.

બાય ધી વેઃ 

મ્યાનમારમાં સૈન્યએ લોકશાહીનો માર્ગ પણ એટલે અપનાવ્યો હતો કારણકે તેઓ ચીન પર જે આધાર રાખે છે તે વહેલી તકે ઘટાડવા ધારતા હતા. આંતરરાષ્ટ્રિય સ્તરે સૈન્યના પ્રહાર અંગે ચીન અને રશિયા ચૂપ રહ્યા છે તો ASEAN દેશો સંજોગો થાળે પડે તેની રાહમાં છે. જાપાન આ લશ્કરનાં આ પગલાંને બળવો જરૂર કહે છે, પણ રાષ્ટ્ર સાથેના આર્થિક સંબંધો યથાવત્ રાખશે. યુ.એસ.એ. અને ઑસ્ટ્રેલિયાએ સેન્કશન્સની ધમકી આપી છે. ભારતને મ્યાનમાર સાથે સારાસારી રાખવી છે કારણ કે ચીનનાં જાતભાતનાં બળવાખોરો અને શસ્ત્રો આપનારા ખેપાનીઓ સામે લડવા અને તેમને રોકવા મ્યાનમારની મદદ મળે તે જરૂરી છે.

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”,  07 ફેબ્રુઆરી 2021 

Loading

7 February 2021 admin
← ચલ મન મુંબઈ નગરી—82
સરકાર સામે સામાન્ય માણસનો સંતાપ … →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved