Opinion Magazine
Number of visits: 9445843
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી

રમેશ ઓઝા|Opinion - Opinion|16 October 2022

આપણે પ્રગતિશીલ મુસલમાનોએ અપનાવવા જોઈતાં વલણ વિષે વાત કરી રહ્યા છીએ.

ઇસ્લામ મહાન ધર્મ છે, ઇસ્લામ શાંતિનો ધર્મ છે, ઇસ્લામ સમાનતામાં માને છે, ઇસ્લામમાં ખુદા અને બંદા વચ્ચેનો સંબંધ વચેટિયાઓ વિનાનો સીધો અને સરળ છે, વગેરે દલીલો કરવાનો કોઈ અર્થ નથી. અર્થ એટલા માટે નથી કે જગતના દરેક ધર્મ એકંદરે મહાન છે. દરેક ધર્મમાં અંદાજે ૯૦ ટકા ધર્મવચનો માનવતાનો મહિમા કરનારાં હોય છે, અને માટે, તે સ્થળ અને કાળને અતિક્રમીને પ્રાસંગિકતા ધરાવતાં હોય છે, પણ દસેક ટકા વચનો એવાં પણ હોય છે જે વર્તમાન યુગમાં અને જગતના કેટલાક પ્રદેશોમાં અપ્રાસંગિક હોય છે અને આજના સભ્યતાના માપદંડોથી માપતા અમાનવીય હોય છે. જેમ કે સવર્ણો હરિજનો સાથે દુર્વ્યવહાર કરે ત્યારે હું ઉપનિષદનાં મહાન વચનો ટાંકીને હિંદુ ધર્મનો અને એ દ્વારા હિંદુઓનો બચાવ કરું તો તેનો કોઈ અર્થ નથી. મારી ફરજ બને છે કે હું એ યુવકની નિંદા કરું. તેના આવા વ્યવહારને જો કોઈ ધર્મવચનોનો કે ધાર્મિક રૂઢિઓનો કે પરંપરાનો સહારો મળતો હોય, તો હું કહું કે એ ધર્મવચનો આજના યુગમાં અપ્રાસંગિક છે, ત્યાજ્ય છે. બુનિયાદી માણસાઈ કરતાં વધારે મૂલ્યવાન કોઈ ચીજ નથી.

અસ્પૃશ્યતાના પ્રશ્ને ગાંધીજી અને ડૉ. બાબાસાહેબ આંબેડકર વચ્ચે જ્યારે ચર્ચા થઈ, ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે અસ્પૃશ્યતા અને બીજા દરેક પ્રકારના ભેદભાવ માણસાઈની એરણે માપીએ તો અસ્વીકાર્ય છે અને જે અસ્વીકાર્ય છે એનો સ્વીકાર કરવાનો તો સવાલ જ નથી આવતો. ખુદ ઈશ્વર આવીને મને માણસ માણસ વચ્ચે ભેદભાવ કરવાની શીખ આપે તો હું ઈશ્વરને કહીશ કે મને એ સ્વીકાર્ય નથી. ડૉ. આંબેડકરનો આગ્રહ હતો કે તમે કબૂલ કરો કે તમારો ધર્મ જ અન્યાય શીખવાડનારો અધૂરો અને અમાનવીય છે, અને માટે નિંદનીય છે. તમે કબૂલાત અને નિંદા કરો તો સાચા મહાત્મા. ગાંધીજીએ વળતી દલીલ કરી હતી કે જે અસ્વીકાર્ય છે એનો અસ્વીકાર કરવાની હું સલાહ આપું એ પૂરતું નથી? આમાં ધર્મવચનો અને ધાર્મિક પરંપરાની મર્યાદાનો સ્વીકાર નથી આવી જતો? આમાં માણસાઈ વધારે મોટી જણસ તરીકે સ્થાપિત નથી થતી? નિંદા કરીને શું હાથમાં આવવાનું છે? ધર્મની નિંદા કરવાથી ભેદભાવનો અંત આવવાનો નથી, ભેદભાવ છોડવાથી ભેદભાવનો અંત આવી શકે. પણ ડૉ આંબેડકરને ભેદભાવનો અંત આવે એનાં કરતાં ગાંધીજીને આરોપીનાં પિંજરામાં ઊભા રાખવામાં અને એ દ્વારા તેમને નાના ચિતરવામાં વધુ રસ હતો.

ઇસ્લામ અને મુસલમાનોની બાબતમાં આજે એવું બની રહ્યું છે કે કોઈ પ્રગતિશીલ મુસલમાન ગાંધીજી જેવું વલણ લેતો નથી અને મુસ્લિમ વિરોધી હિંદુઓ ડૉ. આંબેડકરની માફક પ્રગતિશીલ મુસલમાનને લલકારે છે. બોલ, બોલ, ઇસ્લામ ધર્મ અધૂરો છે, એમ બોલ. માત્ર ભારતમાં નહીં, જગત આખામાં આવું બની રહ્યું છે. તેમને મુસલમાનના કલ્યાણમાં કોઈ રસ નથી, ઇસ્લામ ધર્મ અધૂરો છે એમ કહેવડાવવામાં વધુ રસ છે. આપણી ફરજ છે કે આપણે ઇસ્લામ ધર્મને ખુલ્લા મનથી સમજીએ. ઇસ્લામ અધૂરો છે અને આપણો ધર્મ સંપૂર્ણ અને મહાન છે એવા ગુમાન સાથે નહીં. આપણો ધર્મ પણ અધૂરો છે એવા ભાન સાથે ઇસ્લામને સમજવાની કોશિશ કરીએ. પ્રગતિશીલ મુસલમાનોના ધર્મસંકટને સમજીએ જે સમજાવવાનો મેં પ્રયાસ કર્યો હતો. અને સૌથી મોટી વાત એ કે તેમને સલાહ સાથે મોકળાશ પણ આપીએ. છાતી પર ચડીને કસોટી ન કરાય.

માણસાઈનો અને મૂળભૂત આધુનિક માનવીય મૂલ્યોની વાત આવે ત્યારે જરૂર પડ્યે ઇસ્લામની ઉપરવટ જઇને પણ માણસાઈ અને મૂલ્યોના પક્ષે ઊભા રહેવાની નાનકડી પહેલ પ્રગતિશીલ મુસલમાનોએ કરવી જોઈએ. ગાંધીજીની માફક. ધર્મની નિંદા કરવાની એમાં કોઈ જરૂર નથી. લલકારનારાઓ લલકાર્યા કરે.

જ્યાં દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે અને મુસલમાનોને દૃષ્ટિકોણ બદલવાની સલાહ આપવી જોઈએ એવો એક પ્રશ્ન વિશ્વ મુસ્લિમબંધુતા છે. વિશ્વભરના મુસલમાનોની એક બિરાદરી છે, કારણ તેઓ પહેલા અને છેલ્લા મુસલમાન છે અને એ પછી તે બીજું કાંઈ પણ છે. અંગ્રેજીમાં આને પેન ઇસ્લામિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચુસ્ત મુસલમાન પોતાને ભારતીય મુસલમાન તરીકે નહીં, પણ મુસ્લિમ ભારતીય તરીકે ઓળખવે છે. તે મુસ્લિમ છે એ મુખ્ય છે ભારતીય છે એ એક અકસ્માત છે. આ કલ્પના રોમહર્ષક છે કે મુસલમાનોની એક વૈશ્વિક બિરાદરી હોય અને સુખદુઃખમાં મુસલમાનો સાથે હોય. 

બીજા કેટલાક ચુસ્ત મુસલમાનો વૈશ્વિક મુસ્લિમબંધુતા સ્થાપવા માટે અલગઅલગ પરિવેશમાં ઉછરેલા મુસલમાનોને એક સરખા સંઘેડાઉતાર ઘડવાનો પ્રયાસ કરે છે. તેમણે તેમની સમજ મુજબ અને જરૂરિયાત મુજબ મુસલમાનની કલમ વિકસાવી છે, અને પ્રયાસરત છે કે જગતભરના મુસલમાનો કલમ કરેલાં વૃક્ષની માફક એક સરખાં ઊગે અને વિકસે. તબલિગી જમાત અને બીજાં મુસ્લિમ સંગઠનો આને મિશન તરીકે જુએ છે.

પણ આ કલ્પના અવ્યવહારુ છે અને જે તે દેશમાં રહેતા મુસલમાનો માટે અડચણરૂપ છે. આમાં ફાયદા કરતાં નુકસાન વધુ છે. વળી નુકસાન મુસલમાનોને વધુ થઈ રહ્યું છે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 16 ઑક્ટોબર 2022 

Loading

16 October 2022 Vipool Kalyani
← સ્વતંત્રતાની ૭૫મી પૂર્વ સંધ્યાએ થોડુંક ચિંતન
નવા CJI ડી.વાય. ચંદ્રચુડ : લોખંડી હાથોની ઉદારતા? →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved