Opinion Magazine
Number of visits: 9448251
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ

સુમન શાહ|Opinion - Literature|13 August 2024

૨૦૧૨માં, સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વરા પ્રકાશિત “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” સમ્પાદક : સુમન શાહ : પુસ્તકમાંથી પુન:શ્ચ, કેટલાક અંશો —

મારો દયારામભાઇને વિશેનો વિશિષ્ટ ભાવ તો એ કારણે કે હું પણ ડભોઇનો છું. મારા એ વતનમાંથી મને જે કંઇ મળ્યું છે તેમાં દયારામ નામનું મૉંઘું રતન પણ છે.

મારા દાદા કૃષ્ણભક્ત હતા. ડભોઇમાં એમણે ભજનિક તરીકે નામ કાઢેલું. મળસ્કાના જાગી જતા. અગાશીમાં જઇ ફળિયાવાળાંઓની દરકાર રાખ્યા વિના કરતાલ સાથે મુક્ત મને ભજનો ગાતા. ઓરડામાં ખૂણે સેવાનું મન્દિર સજાવેલું. ભજન-મંડળોમાં કે ધર્મસભાઓમાં જઇ જાહેરમાં પણ ગાતા, એટલું જ નહીં, નાચતા ! મેં એમને ઉત્કટતાની પળોમાં કૃષ્ણછબિ સામે ઊભા થઇ જતા અને નાચવા મંડી પડતા અનેકવાર જોયેલા. ત્યારે કરતાલ છોડી દે અને બન્ને હથેળીઓની આવેશભેરની તાળીઓ સાથે મન મૂકીને નાચે. પછી થાકે ત્યારે ઢળી પડે. હાથ જોડી કૃષ્ણચરણમાં ક્યાં ય લગી નતમસ્તક પડ્યા રહે. મને એમનાં વહાલાં ભજનો યાદ નથી રહ્યાં તેનો રંજ છે; પણ એમાં દયારામની કોઇ કોઇ રચનાઓ જરૂર હતી એમ ચોક્કસ કહી શકું છું.

એક બીજો અનુબન્ધ મારા પિતાજી સાથે છે. એ એમના જમાનાના એમની રીતના થોડા કવિ હતા. જાણીતા જરા ય નહીં અથવા સાવ જ ઓછા. એક રચના એમણે દયારામ પર પણ કરેલી. મને એની પહેલી અને એક જ કડી યાદ રહી છે : ‘રસઝરતી લેખિની એની હળવી : એનું નામ અમર દયારામ કવિ …’ ‘રસઝરતી’ પ્રયોગ મને સ્થૂળ લાગ્યો છે છતાં, દયારામની લેખિનીનું એ વિશેષણ મને અનુચિત નથી લાગ્યું. અને એનું ‘હળવી’ વિશેષણ તો સર્વથા ઉચિત લાગ્યું છે. ખરેખર તો એ કેટલું બધું સાચું છે કે  દયારામની અમરતાનું રહસ્ય  એ બે ગુણ-વિશેષોમાં છે !

એક ત્રીજો અનુબન્ધ એ છે કે ડભોઇમાં કવિનો જન્મદિવસ વરસો સાલથી ઉજવાતો આવ્યો છે. કિશોરાવસ્થાથી મારા ચિત્ત પર એ ઉજવણાંની ગાઢ છબિ અંકાયેલી છે. ત્યારે કવિની ગરબીઓને અને એમનાં પદોને એમના જ મૂળ ઢાળોમાં સાંભળવાનું બનેલું. એવું ગાનારાંઓમાં અરુણા બક્ષીનાં માતુશ્રી સવિતાબે’ન ભાદુવાળાની અસ્સલ દયારામ-ઢબની હલક મને કાયમ માટે યાદ રહી ગઇ છે. પછી તો, મારા સાઠોદરા નાગર મિત્રો પણ હતા. પછી તો, અમે પણ દયારામને ગાતાં હતાં. ત્યારે, શી ખબર, પણ કવિના મૂળ ગોપીભાવ સાથે મારો કિંચિત્ તાર સધાઇ જતો. એ ખરું કે ગાવાના એ દિવસો ક્રમે ક્રમે સંતાઇ-છુપાઇને ક્યાંક ચાલી ગયા છે, પણ દયારામને વિશેના મારા કોઇપણ વિચારનાં મૂળ એવા ભીના સ્મૃતિલોકમાં છે. દયારામ મને હમેશાં સૂરોમાં આવે છે.

પહેલેથી મને દયારામની કાવ્યસૃષ્ટિને વર્તુળોમાં મૂકીને જોવાનું સલાહભર્યું લાગ્યું છે :

ગોપીની પ્રેમભક્તિ સૂચવતી રચનાઓ : પહેલું વર્તુળ. એના કેન્દ્રમાં ગોપી અને કૃષ્ણ છે, ગોપીની પ્રેમભક્તિ છે. ‘મોહનમાં મોહિની’-થી માંડીને ‘ડહાપણ રાખોજી!’ લગીની રચનાઓ એમાં આવે. 

(આ અને અહીં ઉલ્લેખિત રચનાઓના જિજ્ઞાસુઓએ એ પુસ્તક, “ભક્ત-કવિ દયારામની કાવ્યસૃષ્ટિ” જોવું.)

વાંસલડીપરક રચનાઓ : બીજું વર્તુળ. એના કેન્દ્રમાં ગોપી અને વાંસલડી છે. ‘કુંજમાં વાય છે વાંસળી’-થી માંડીને ‘માનીતી વાંસલડીને’ લગીની રચનાઓ એમાં આવે. 

કવિ સ્વયંના ભક્તિભાવને રજૂ કરતી રચનાઓ : ત્રીજું વર્તુળ. એના કેન્દ્રમાં દયારામ અને દયાપ્રીતમ પ્રભુ શ્રીકૃષ્ણ છે. કવિએ સ્વયંના ભક્તિભાવને આકાર્યો છે. ‘રૂડા દીસો છો રાજેશ્વર !’-થી માંડીને ‘પ્રેમ’ લગીની રચનાઓ એમાં આવે.

અન્ય રચનાઓ : ચોથું વર્તુળ. એના કેન્દ્રમાં દયારામની અન્ય કાવ્ય-સર્જકતાને જોઇ શકાય છે. ‘તિથિઓ : પ્રેમ અગમપંથ’-થી માંડીને ‘ગરબે રમવાને’ લગીની રચનાઓ એમાં આવે.

પહેલા અને બીજા વર્તુળની રચનાઓ કવિની, ગોપીની તેમ જ કોઇપણ ભક્તની કૃષ્ણને વિશેની અનર્ગળ ભક્તિ સૂચવે છે. એ મુખ્યત્વે પ્રેમલક્ષણા ભક્તિ છે. 

એ બન્ને વર્તુળની રચનાઓ પછી તરત મેં ચોથા વર્તુળની રચનાઓ મૂકી છે. અને છેલ્લે, ત્રીજા વર્તુળની રચનાઓ મૂકી છે. ત્રીજા વર્તુળની રચનાઓ મુખ્યત્વે કવિની ઉત્તરાવસ્થા સૂચવે છે. એમાં પ્રેમલક્ષણાભક્તિનું દાસ્યભાવમાં સમુચિત પર્યવસાન છે. કૃષ્ણ-ગોપીના ભેદને સ્થાને એમાં હું-તું-ના અભેદની આરત વધારે છે અને તે માટેની શરણાગતિ છે. 

જરૂરી વિવરણથી દરેક વર્તુળને સમજીએ :

(ક્રમશ:) 
(12 Aug 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 August 2024 Vipool Kalyani
← હિન્ડનબર્ગ રિપોર્ટ, અદાણી અને SEBI: શોર્ટ સેલર્સના આક્ષેપોના આપણે કેટલા ગંભીરતાથી લેવા જોઇએ?
હૉસ્ટેલ વિહોણી : ત્રણસો જેટલી વિદ્યાર્થિનીઓ ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved