Opinion Magazine
Number of visits: 9484271
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભજન અને વજન

સુરેશ જાની|Opinion - Opinion|6 August 2025

ભજન કરે તે જીતે
વજન કરે તે હારે રે મનવા!
ભજન કરે તે જીતે.

તુલસી-દલથી તોલ કરો તો
બને પવન-પરપોટો,
અને હિમાલય મૂકો હેમનો
તો મેરુથી મોટો :
આ ભારે હળવા હરિવરને
મૂલવવો શી રીતે!
રે મનવા, ભજન કરે તે જીતે.

એક ઘડી તને માંડ મળી છે
આ જીવતરને ઘાટે,
સ્હેલીશ તું સાગરમોજે કે
પડ્યો રહીશ પછીતે?
રે મનવા, ભજન કરે તે જીતે.

આવ, હવે તારા ગજ મૂકી,
વજન મૂકીને વરવાં,
નવલખ તારા નીચે બેઠો
ક્યાં ત્રાજડવડે તરવા?
ચૌદ ભુવનનો સ્વામી આવે
ચપટી ધૂળની પ્રીતે.
રે મનવા, ભજન કરે તે જીતે.

                             – મકરંદ દવે

આ ભજન છે અને નથી! એ ચીલાચાલુ ભજનોથી થોડુંક અલગ પડી જાય છે. અહીં કોઈ  સ્તુતિ નથી. બીજા ભજનોની જેમ ઇશ્વરનો મહિમા નહીં પણ તેના સર્જક ઋષિકવિ સ્વ. મકરંદ દવેએ ભજનનો મહિમા અહીં ગાયો છે.

આ ભજનનું ભજન છે !

માટે જ આ ‘ભજન એટલે શું?’ એવો વિચાર આ અળવીતરા જણને આવ્યો. એની ફળશ્રુતિ એટલે આ અવલોકન.

કદાચ અહીં ભજન જીવન જીવવાની હકારાત્મક રીત તરફ અંગુલિ નિર્દેશ કરે છે. અને માટે જ એની નકારાત્મક બાજુ તરીકે કવિએ ‘વજન’ મૂક્યું છે!

આપણી જીવવાની ચીલાચાલુ રીતમાં આપણે દરેક ચીજ, ઘટના કે વ્યક્તિને આપણાં કાટલાંથી મૂલવવા ટેવાયેલા હોઈએ છીએ. ઈશ્વરની સ્તૂતિ પણ મોટા ભાગે નિર્વ્યાજ નહીં પણ, સોદા બાજી હોય છે. ‘મને આ કે તે મળે તો ભગવાનને આ ચઢાવીશ.’ એવો સંકલ્પ – ભલે પ્રેમપૂર્વક કર્યો હોય; સમસ્ત વિશ્વના સર્જકને ‘કંઈક’ આપવાનો વિચાર કેટલો બાલીશ છે?

પણ બાળકનો માતા પ્રત્યે હોય, એવો દિલનો સાચો નિર્વ્યાજ પ્રેમ હોય, તો એ કહેવાતો ઈશ્વર ‘મા’ની જેમ ચપટીક ધૂળથી પણ રીઝી જાય છે. સાચી આરઝૂ, સાચા પ્રયત્નના પ્રતાપે – આપણી અંદર રહેલો પરમ શક્તિનો અંશ કાર્યરત બને છે, અને આપણને સફળતા કદાચ મળી જાય છે. ન મળે તો પણ, એની ખેવના જ નથી રહેતી. માત્ર કર્તવ્ય કરવાનો આનંદ એ ભોળા ભગવાનને ધરાવેલો પ્રસાદ કે ફૂલ હાર બની રહે છે.

જીવનના ઘૂઘવતા સાગર વચ્ચે તરતા રહેવાની  જિંદાદિલી  – એટલે એ ‘ભજન’.  નહીં તો કાટલાં જ કાટલાં.
આવો પ્રેમ સભર પ્રયત્ન

એ ભજન.

બાકી એ વજન!

આ સાથે જ માનીતા શાયર ‘શૂન્ય’ પાલનપુરીનો આ શેર યાદ આવી ગયો –

કાંટો છે લાગણીનો, વજનો છે બુદ્ધિ કેરાં,

તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ;

હે મિત્ર ! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,


આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે !

આ સરસ ‘ભજન’ અહીં સાંભળો –

e.mail : surpad2017@gmail.com

Loading

6 August 2025 Vipool Kalyani
← એક અનોખા ચિત્રકારની જીવનકથા વિશે
નફરત ફેલાવવા માટે કલાનો શસ્ત્ર તરીકે ઉપયોગ ! →

Search by

Opinion

  • સત્તાનું કોકટેલ : સમાજ પર કોણ અડ્ડો જમાવીને બેઠું છે? 
  • ખાદ્ય પદાર્થોની તપાસમાં તંત્રો નપાસ?
  • શબ્દો થકી
  • દર્શક ને ઉમાશંકર જેવા કેમ વારે વારે સાંભરે છે
  • જૂનું ઘર 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved