Opinion Magazine
Number of visits: 9504136
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગતસિંહને ફાંસી અને ગાંધી : ધર્મોક્રસીમાં હિંસાની પ્રાણપ્રતિષ્ઠાનો કારસો 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 May 2025

હેમન્તકુમાર શાહ

ગાંધીએ ભગતસિંહને ફાંસીથી બચાવવા પ્રયત્ન કરેલો કે નહીં, ભારપૂર્વક કે દિલોજાનથી પ્રયાસ કરેલો કે નહીં? 

મને લાગે છે કે આ ચર્ચા જ વાહિયાત છે. જબરદસ્ત વિદ્વાન એવા ભગતસિંહ મૂર્ખ નહોતા. એમને ખબર હોય જ કે તેઓ જે હિંસક કૃત્ય કરી રહ્યા છે તેની શી સજા હોઈ શકે. એટલે આપણે એમ સમજવું જોઈએ કે ભગતસિંહ પોતાના ગુના વિશેની સજા વિશે બિલકુલ સભાન હતા, ભલે એ દેશભક્તિનું અને આઝાદી મેળવવા માટેનું કૃત્ય હતું. અને હા, એમણે વિનાયક દામોદર સાવરકરની જેમ અંગ્રેજ સરકારની માફીઓ નહોતી માંગી કે આઝાદીનું આંદોલન જ નહીં કરવાનું સાવરકરે અંગ્રેજોને જે વચન આપેલું તેવું કોઈ વચન ભગતસિંહે નહોતું આપ્યું. 

ગાંધીની વિચારધારા અહિંસક પરિવર્તનની હતી. એમને એ રસ્તે જ આઝાદી મેળવવી હતી. એમણે ૧૯૧૪-૧૮ના પ્રથમ વિશ્વયુદ્ધ બાદ  હિંસાને ઉત્તેજન કે ટેકો આપ્યાં જ નહોતાં. ૧૯૨૨માં ઉત્તર પ્રદેશમાં ચૌરીચોરા ખાતે પોલિસને જીવતા સળગાવી મૂકવાની ઘટના બની ત્યારે તેમણે આઝાદી માટેનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. ગાંધી એમ કહે છે કે લોકોને અહિંસાની તાલીમ આપ્યા વિના એ સત્યાગ્રહ શરૂ કરેલો એ એમની “પહાડ જેવડી ભૂલ” હતી.

ભગત સિંહ

હવે, ગાંધી જે રસ્તે જવા માગતા નહોતા તે રસ્તે કોઈ જાય તો તેને એ રસ્તેથી પાછા વાળવા માટે શું કરી શકે? એ કરવાનો પ્રયાસ ઉપર કહ્યું તેમ ૧૯૨૨માં તેમણે આખા દેશ માટે કરેલો. તેમ છતાં કોઈ હિંસક રસ્તો અપનાવે તો શું? એ તો એ વ્યક્તિની મરજી.

ભગતસિંહે એ રસ્તો અપનાવેલો કે જે ગાંધીને પસંદ નહોતો. એમ કરતાં એમને ફાંસીની સજા થયેલી. હવે બધા એમ કહે છે કે ગાંધીએ કેમ ભગતસિંહની ફાંસી રોકવા માટે પ્રયાસ કર્યો નહિ? ગાંધીએ પ્રયાસ કરેલો જ, એના પુરાવા પણ છે. તેઓ એમાં સફળ ન થયા એ એક જુદો મુદ્દો છે. 

પણ, માની લઈએ કે ગાંધીએ તેમને બચાવવા પ્રયાસ નહોતો કર્યો, તો પણ તેથી શું? એમણે પ્રયાસ કરવો અનિવાર્ય હતો? ભગતસિંહ કંઈ વિનોબા ભાવે જેવા અહિંસામાં શ્રદ્ધા રાખનાર નહોતા. તો ભગતસિંહને બચાવવા ગાંધી પ્રયાસ ન પણ કરે. તેમાં ગાંધીનો દોષ શું? ગાંધીનું કહ્યું માનીને જો અંગ્રેજ સરકારે ભગતસિંહને ફાંસીની સજા ન આપી હોત તો એમ પણ કહેવાત કે, જુઓ મોટો અહિંસાનો પૂજારી હિંસક કૃત્યને સમર્થન આપે છે! એવું ન થાત? 

ગાંધીએ ભગતસિંહને બચાવવા માટે પ્રયાસ ન કર્યા એવી જે વાતો કરવામાં આવે છે તે એક નિશ્ચિત વર્ગ દ્વારા નિશ્ચિત એજન્ડા સાથે કરવામાં આવતું બૌદ્ધિક દુષ્કૃત્ય છે. એ એજન્ડા છે મહાત્મા ગાંધી નામના એક અહિંસક તત્ત્વને ભારતીય જનમાનસમાંથી નેસ્તનાબૂદ કરવું. આ એજન્ડાને સમજવાની જરૂર છે. 

ભગતસિંહ માત્ર હિંસક ક્રાંતિકારી નહોતા, પણ સમાજવાદમાં શ્રદ્ધા ધરાવનાર ધર્મનિરપેક્ષ વ્યક્તિ હતા. સમાજવાદ અને ધર્મનિરપેક્ષતા એ બે શબ્દો પર અત્યારે ચીડ પ્રવર્તે છે એ બે સિદ્ધાંતો તો ભગતસિંહના પ્રિયતમ હતા. જો ભગતસિંહ જીવતા રહ્યા હોત તો હિન્દુ મહાસભા અને આર.એસ.એસ.ની હિન્દુત્વની અને હિન્દુ રાષ્ટ્રની વિચારધારાનાં છોતરાં ફાડી નાખ્યાં હોત. વાંચો ભગતસિંહને, તો તમને એનું ભાન થયા વિના નહીં રહે. 

ગાંધી અને ભગતસિંહનો વિવાદ તદ્દન વાહિયાત ધર્મોક્રસી દ્વારા ઊભો કરાયો છે અને લોકશાહીમાં હિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરીને તેને ખતમ કરવાનો કારસો છે. 

તા.૨૪-૦૫-૨૦૨૫.
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 May 2025 Vipool Kalyani
← બાળકને ‘બેટા’ કહેવાની સજા હત્યા?
ચલ મન મુંબઈ નગરી—290 →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved