Opinion Magazine
Number of visits: 9504427
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુ આશ્રિત પત્રકારો / સાહિત્યકારોને સત્તાપક્ષની આલોચના કરવી તે દેશદ્રોહી કૃત્ય લાગે છે !

રમેશ સવાણી|Opinion - Opinion|23 March 2024

આપણા સાહિત્યકારોને લોકોની વેદનામાં રુચિ નથી, એમને તો કોર્પોરેટ કથાકારોનાં ગોળગોળ પ્રવચનોમાં વાસ્તવિકતા દેખાય છે ! ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીને કોર્પોરેટ કથાકારમાં સર્વોત્તમ સાહિત્યના દર્શન થાય છે !

 જે સાહિત્યકારો કોર્પોરેટ કથાકારોને નમે નહીં તે સાહિત્યકાર નહીં, પણ અર્બન નક્સલ છે, દેશદ્રોહી છે, ધર્મદ્રોહી છે, તેવું વાતાવરણ બાપુ પ્રેમી સાહિત્યકારોએ ઊભું કરી દીધું છે ! બાપુ પ્રેમી સાહિત્યકારો / પત્રકારો / પાંચ-પાંચ કોલમ લખનારા બાપુની વાહવાહી કરે અને બાપુ એમની ! આમ બન્નેનો ધંધો જોરદાર ચાલે !

બાપુ પ્રેમી સાહિત્યકારોની એક ખાસિયત એ છે કે તેઓ હિન્દુત્વવાદી, વધુ આસાન શબ્દોમાં કહીએ તો સામંતવાદી, એથી સરળ ભાષામાં કહીએ તો ગોડસેવાદી નેતાના પ્રશંસક હોય છે ! સત્તાપક્ષની / સરકારની આલોચના કરવી તેમને દેશદ્રોહી કૃત્ય લાગે છે ! તેઓ ધાર્મિક રાષ્ટ્રવાદી છે, માનવમૂલ્યોના સમર્થક નહીં ! બાપુઓ ગમે તેટલા આશીર્વાદ આપે પણ બાપુપ્રેમી સાહિત્યકારો સરૂપ ધ્રુવની ‘સળગતી હવાઓ’ કે પારુલ  ખખ્ખરની ‘શબવાહિની ગંગા’ જેવી રચનાઓ આપી શકે નહીં !

ભાષા વિજ્ઞાની બાબુ સુથાર કહે છે : “રાજ્ય અને એક અર્થમાં સત્તા માત્ર પ્રત્યાયન વ્યવસ્થાને જડબેસલાખ બનાવવાનો પ્રયાસ કરે છે. એટલી બધી જડબેસલાખ કે એક છેડેથી મોકલેલો સંદેશો બીજા છેડે પહોંચે ત્યારે એના અર્થમાં સહેજ પણ વધારો ન થાય, ઘટાડો પણ ન થાય અને અર્થ બદલાય પણ નહીં. જો પ્રત્યાયનની વ્યવસ્થા પોતે જ અર્થમાં વધારો કે ઘટાડો કરે કે એમાં કોઈક પરિવર્તન શક્ય બનાવે તો રાજ્યને એ વ્યવસ્થાને ડર લાગે. એની સામે છેડે કવિતામાં એવું નથી થતું. કવિ કવિતા લખે. પછી વાચક વાંચે ત્યારે એ કવિતાનું અર્થઘટન કવિના આશય પ્રમાણે નથી કરતો. એ અર્થ ઘટાડે પણ ખરો, વધારે પણ ખરો ને ક્યારેક બદલી પણ નાખે. આ અરાજકતા રાજ્યને / સત્તાને ગમતી નથી. એથી જ રાજ્યને / સત્તાને સર્જકતાની બીક લાગતી હોય છે. પણ મિડિયોકર સાહિત્યકારો હંમેશાં એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યને કે સત્તાને વફાદાર રહે એની કાળજી રાખતા હોય છે. એથી જ આપણા ઘણા બધા સમકાલીન કવિઓ, આમ ભલે લોકોને ગમી જાય એવી કવિતા કેમ ન લખતા હોય, એમની પ્રત્યાયન વ્યવસ્થા રાજ્યની પ્રત્યાયન-વ્યવસ્થાનું પ્રતિબિંબ બની જતી હોય છે. એથી વિષ્ણુ પંડ્યા જેવા કે બીજા મિડિયોકર સાહિત્યકારો જ્યારે એમ કહે કે કવિએ આવું નહીં તેવું કહેવું જોઈએ ત્યારે હકીકતમાં તો એ લોકો ભાષાની પેલી પ્રત્યાયન વ્યવસ્થાને પોતાની આજ્ઞાંકિત બનાવવાનો પ્રયાસ કરતા હોય છે.”

મને એક લેખિકાએ પોતાની વાર્તાનું પુસ્તક મોકલ્યું. પ્રથમ પાને જ મોરારીબાપુના આશીર્વાદ દેખાયા ! મેં વાર્તાઓ વાંચવાનું છોડી દીધું ! મોરારીબાપુ અને રમેશભાઈ ઓઝા વરસોથી રામાયણ, મહાભારત અને ગીતાના પાઠ ભણાવે છે, છતાં કોઈ બદલાવ આવ્યો? માનવ મગજનો વિકાસ ન કરી શકે એવા કથાકાર કે એવી કથાનો મતલબ શો? એવા બાપુઓની પ્રેરણા વિના સાહિત્યસર્જન ન થઈ શકે?

સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

23 March 2024 Vipool Kalyani
← મારા લોક
ચલ મન મુંબઈ નગરી—240 →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved