સંકુચિતતાને બને તેટલી સાંકડી કરો,
ઘટ્ટ કરો,
સંસ્કૃિત રક્ષણ કરો.
કહેવાય છે
સભ્યતા,
માનવીય સંવેદના,
સંસ્કૃિતશિખર પહોંચવાનું પ્રથમ સોપાન છે.
તો શું ?
સભ્ય બનો વા ના બનો,
સાંસ્કૃિતક બનો.
એક ગોળ ગુંબજ બનાવો,
જેમાં એક દીવાલ પાસે ઊભા રહી બોલાયેલો અવાજ
સામેની દીવાલ પાસે ઊભા હોય એમને જ સંભળાય,
વચ્ચે ઊભા રહી ટળવળતા લોકનો અવાજ ગુંબજમાં ઓસરી જાય.
વચલા ટોળાને ટાળી
દીવાલથી દીવાલ સુધીની તર્કથી તરબતર વાતો કરો.
બુદ્ધિમતાની છલૂડીમાં છલોછલ પાણી ભરો,
મનગમતા સરમુખત્યારોની સ્મૃિત સમક્ષ માથું નમાવીને ઊભા રહો.
વાવની દોઢીએ બાંધો
અસલીનકલી જે મળે,
અતિ આધુનિક પોષાકો પટ્ટા,
કૂમતાં ફેંટા, ખેસ, દુપટ્ટા,
બાંધો નાડી સાડી.
પોતપોતાની બાજુએ ખેંચો,
ખેંચો તમતમારા પૂર્વગ્રહોના પાદર તરફ.
પાણીની સવલતનું તે જે થવાનું હશે તે થશે,
વાવડીને એક ફેરા ચસકાવો.
બીજા બનાવે તે પહેલાં
જાતે બનાય તેટલું બનો.
બોસ્ટન, અમેરિકા
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2016; પૃ. 07
![]()


શહીદ ભગતસિંહનું ઘર પંજાબના નવાં જિલ્લાના ખટકર કલા ગામમાં આવેલું છે. ઈ.સ. ૨૦૦૮માં તેમની જન્મ-શતાબ્દીના પ્રસંગે તત્કાલીન સરકારે જિલ્લાનું નામ નવા શહેરમાંથી બદલીને શહીદ ભગતસિંહ કર્યું હતું. જો કે, આજે પણ નવા શહેર નામ જ ચલણમાં છે. પંજાબમાં તેને ટૂંકમાં એસ.બી.એસ. (શહીદ ભગતસિંહ) જિલ્લો લખાય છે, આને કારણે જિલ્લાનું નામકરણ કરવાનો ઉદ્દેશ જ માર્યો ગયો છે.
જિલ્લા મુખ્યમથકથી શહીદ ભગતસિંહનું ગામ ખટકર કલા, લગભગ તેર કિલોમીટરના અંતરે આવેલું છે. મુખ્ય સડકથી આપણે જેવા ગામ તરફ વળીએ, ત્યાં જ શહીદ ભગતસિંહ સ્મારકનું વિશાળ પરિસર આવેલું છે. અહીંના ભવનમાં ભગતસિંહ જ નહીં, પરંતુ દેશના દરેક રાજ્યના શહીદોનાં ચિત્રો અને વિગતો તેમ જ સ્મૃિતચિહ્નો મુકાયેલાં છે. આની બરાબર સામે ‘ઇન્કલાબ ઝિંદાબાદ’નો નારો ગજવતા ભગતસિંહની આદમકદની પ્રતિમા નજરે ચડે છે. આ પ્રતિમાનું અનાવરણ ઈ.સ. ૧૯૮૦માં થયું હતું. જો કે, સ્મારક હજુ અધૂરું પડ્યું છે. સ્મારકના દરવાજામાં પ્રવેશતાં જ સામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની ધાતુમાંથી બનાવાયેલી વિશાળ ચહેરાવાળી મૂર્તિઓ જોવા મળે છે.