Opinion Magazine
Number of visits: 9446829
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અસ્મિતાના નિર્માતાઃ કનૈયાલાલ મુનશીજી

પ્રીતમ લખલાણી|Opinion - Opinion|22 July 2023

લગભગ રાત્રે અગિયાર સાડા અગિયારના સુમારે પંદર વીસ ગાડીઓનું ઘણ લાલ માટીની ડમરી ઉડાડતું સ્વતંત્ર પક્ષના કાર્યાલય પાસે આવીને ઊભું. કાર્યાલયના પટાંગણમાં એકઠી થયેલ મેદનીમાંથી થોડાક કાર્યકરોનું ટોળું હડી કાઢતું એક કાળી એમ્બેસેડર ગાડીને ઘેરી વળ્યું. ગાડીમાંથી તે વખતે મુંબઇની એક બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવાર મઘુ મહેતા સાથે ઈશાન મુંબઈની બેઠક પરથી ચૂંટણી લડતા યુવાન ઉમેદવાર ગિરીશ મુનશી સ્મિત ફરકાવતા ઊતર્યા. તેમની પાછળ લીલાવતી મુનશીનો હાથ પકડીને કનૈયાલાલજી ભાવભીનું વંદન કરતા ઊતર્યા; ઘેરી વળેલા કાર્યકરો સાથે હસ્તઘૂનન કરતા મુનશીજી કાર્યાલયના દ્વાર તરફ ઢીલાં પગલાં ભરતાં જઈ રહ્યા હતા, એવામાં ટોળાની ભીડને વીંઘતી, માથે ચકમકતી ટાલ અને શરીરે એકવડિયા બાંઘા સાથે સારી એવી લંબાઈ ઘરાવતી શ્વેત લુંગી-ઘારી એક વ્યકિત કનૈયાલાલ મુનશીજીની સમક્ષ આદરપૂર્વક બે હાથ જોડી વંદન કરતી આવીને ઊભી.

“અરે! જયસુખલાલ! તમે અત્યારે અહીં કયાંથી!’

‘દાદાજી! આ સામે દેખાતા લાલ મકાનના પહેલા માળે હું રહું છું. તમે આજ અહીં ગિરીશભાઈના ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવા આવવાના છો, એવું મેં મારા પુત્ર જતિન પાસેથી જાણ્યું તે ક્ષણથી શબરીની જેમ તમારા આગમનની પ્રતિક્ષા કરતો, સમી સાંજથી, અહીં આવીને બેઠો છું. જો તમે થોડોક સમય તમારા કાર્યક્રમમાંથી કાઢી તમારાં પુનિત પગલાં મારી પ્રેમ કુટિરે કરશો તો મને બહુ જ આનંદ થશે!”

ક્ષણનો પણ વિચાર કર્યા વગર મુનશીજીએ બહુ જ મૃદુ સ્વરે લેડી લીલાવતીજીને પૂછયુંઃ “અત્યારે કેટલા વાગ્યા હશે!” લીલાવતીજી, મુનશીજીને જવાબ આપે તે પહેલાં જ કાંડા ઘડિયાળમાં નજર કરતાં મઘુ મહેતાએ જણાવ્યું, “મુનશીજી, સાડા અગિયાર થવા આવ્યા છે! તરત જ મુનશીજીએ જયસુખલાલને કહ્યું, “ભાઈ, કાર્યાલયના ઉદ્દઘાટનની વિઘિ તેમ જ સભા પૂર્ણ થતાં જ અમે આખો કાફલો લઈ તમારા ઘરે પઘારીએ છીએ!”

ગિરીશ મુનશીના કાર્યાલયની ઉદ્દઘાટન વિઘિ તેમ જ પક્ષના નાના મોટા કાર્યકરોનાં પ્રવચન વગેરે પૂર્ણ થતાં લગભગ રાતના બે અઢી વાગી ગયા હશે! ઉદ્દઘાટન બાદ ઉપસ્થિત રહેલ કાર્યકરોને નાનાંમોટાં સલાહ સૂચન તેમ જ તેમની સાથે હળવી વાતચીત દરમિયાન એકાએક મુનશીજીનું ઘ્યાન કાર્યાલયના એક ખૂણામાં શાંત ચિત્તે તેમની રાહ જોતા ઊભેલા જયસુખલાલ પર ગયું. તરત જ તેમને યાદ આવી ગયું કે મેં જયસુખલાલને વચન આપ્યું છે કે, મિટિંગ બાદ અમે તમારા ઘરે આવીશું! બસ, બેચાર પળમાં કાર્યકરો સાથે વાતચીતનો દોર પૂર્ણ કરી મુનશીજીએ જયસુખલાલને કહ્યું, “ચાલો હવે આપણે તમારા ઘરે પ્રયાણ કરીશું!” આગળ ઉત્સુક જયસુખલાલ અને તેમની પાછળ લીલાવતીજીનો હાથ પકડીને ચાલતા મુનશીજી, સાથે ગિરીશભાઈ, મઘુ મહેતા અને બેચાર કાર્યકરો! મુનશીજી જયસુખલાલના ઘરે પહોંચ્યા ત્યારે રાતના અઢી વાગ્યા હોવા છતાં, મુનશીજીએ જયસુખલાલના પલંગ પર એક તકિયાનો ટેકો લઈ નિરાંતે બેઠક જમાવી. મુનશીજીએ જયસુખલાલના પરિવાર સાથે સુખદ ક્ષણોની લહાણી તો કરી સાથોસાથ એટલા જ સ્નેહભાવથી જયસુખલાલની ઓરડીની આસપાસ વસતા મઘ્યમ વર્ગના પરિવારો સાથે સારો એવો સમય પસાર કર્યો. રાત્રે સાડા ત્રણ-ચારે તેમના નિવાસ્થાન ચોપાટી તરફ જવા, જયસુખલાલ તેમ જ તેમના પરિવાર પાસેથી સ્નેહભરી વિદાય માંગી!

ભારતીય વિઘાભવનના ઉપક્રમે કનૈયાલાલ મુનશીની ષષ્ઠીપૂર્તિ ઊજવાઈ રહી હતી. આ શુભ પ્રસંગે ભવને મુનશીજીની નવલકથા આઘારિત ત્રણ એંકાકી ભજવવાનું નક્કી કરેલ. આ કાર્યક્રમમાં પઘારવા આમ જનતાને ખુલ્લું નિમંત્રણ, મુંબઈના તમામ સમાચારપત્રોમાં જહેર ખબર આપીને પાઠવતાં જણાવવામાં આવ્યું હતું કે, “કાર્યક્રમમાં વહેલા તે પહેલાના આઘારે વિના મૂલ્યે પ્રવેશ આપવામાં આવશે પરંતુ પ્રવેશ પાસ અગાઉથી નક્કી કરેલા દિવસે ભવનની ચોપાટી પરની ઑફિસમાંથી મેળવી લેવા કૃપા કરશો!”

મુનશીજીની ષષ્ઠીપૂર્તિ ઊજવાઈ રહી હતી તે વખતે મિત્ર વસંત જોષીની ઉંમર લગભગ દસબાર વર્ષની હશે! આ ઉંમરે વસંતભાઈએ મુનશીજીની લગભગ તમામ નવલકથાઓ વાંચી કાઢેલ. વસંતભાઈ તો મુનશીજીની વાર્તાઓના એક ગાંડા ચાહક હોવાને નાતે સમાચારપત્રમાં જાહેર ખબર વાંચી તે જ દિવસે સવારે ભારતીય વિઘાભવનની ઓફિસ ખૂલે તે પહેલાં બારી પાસે નાટકનો પાસ મેળવવા ઊભા રહી ગયા! સમય મુજબ ભવનની બારી ખૂલતાં જ બારી પર બેઠેલા મહાશય પાસે વસંતભાઈએ એક પાસની માગણી કરી. “ભાઈ, પાસ તમને જરૂર આપવામાં આવશે! પરંતુ આજે નહીં પણ ત્રણ દિવસ બાદ. અમે જાહેર ખબરમાં આમ જનતા માટે જણાવેલ સમય મુજબ વહેંચણી કરીશું, તો તમે તે દિવસે સવારે આવીને પાસ લઈ જઈ શકો છો!”

‘મોટાભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ તમે જાહેર ખબરમાં જે દિવસે પાસની વહેંચણી કરવાનું જણાવ્યું છે તે દિવસે સવારે હું પાસ લેવા નહીં આવી શકું. તે દિવસે તો મારી પરીક્ષા છે! મારે પરીક્ષા પણ આપવી છે અને મુનશીજીનું નાટક પણ જોવા આવવું છે! જો તમે મહેરબાની કરીને એક પાસ અત્યારે આપો તો તમારો ખૂબ આભાર!

બરાબર એ જ વખતે કોઈ કારણ સર કનૈયાલાલજી ભવન પર આવેલ હશે, તેમના કાને વસંતભાઈ અને બારી પર બેઠેલા મહાશયનો સંવાદ પડતાં તેમણે પેલા મહાશયને પૂછયું, “કોણ આટલી જિજ્ઞાસાથી ત્રણચાર દિવસ પહેલાં નાટકના પાસની માંગની કરી રહ્યું છે!”

ટિકિટ બારી પરના મહાશયે મુનશીજીને વસંતભાઈની માંગણીના કારણની વાત કરી. ઑફિસમાંથી બહાર આવી મુનશીજીએ વસંતભાઈ સાથે થોડીક વાતચીત કરી. વાતચીત દરમિયાન મુનશીજીએ જાણ્યું કે, શાળાના દસબાર વર્ષના એક વિઘાર્થીએ એમની પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાઘિરાજ અને જય સોમનાથ વગેરે નવલકથાઓ વાંચી કાઢી છે. આ સાંભળી મુનશીજી બહુ જ ખુશ થઈ ગયા! તેમણે બારી પર બેઠેલા મહાશયને કહ્યું કે, “ભલે, આપને જાહેર ખબરમાં જણાવ્યું છે કે પાસ પરમ દિવસે વહેંચીશું, પરંતુ તમે અત્યારે જ આ વિઘાર્થીને એક પાસ આપો! આપણે સમજી શકીએ છીએ કે પરીક્ષાના દિવસે તે પાસ લેવા ન આવી શકે! આવા સાહિત્યપ્રેમી વિઘાર્થીઓ મારા નાટક અને મારી નવલકથાથી વંચિત રહી જાય તે મને ન પરવડે!

જે મુનશીજીના નામથી ગુજરાતી સાહિત્યની અસ્મિતાનાં દ્વાર ખૂલે છે, જે મુનશીજીએ શામ, દામ અને દંડથી ભારતનાં દેશી રાજયોના વિલીનીકરણ વખતે હૈદરાબાદના નિઝામને ક્ષણમાં નમાવી સરદાર વલ્લભભાઈના કાર્યને સરળ બનાવી દીઘું હતું તે જ કનૈયાલાલ મુનશી સામાન્ય માણસના હ્રદયને ભૂલથી પણ કયાં ય ઠેસ ન વાગે તેનો કેટલો ખ્યાલ રાખતા હતા!

નોઘ :

કચ્છના ભૂકંપ પહેલાં બરાબર એક વરસે અમેરિકાની પચ્ચીસ ત્રીસ વર્ષની જાહોજલાલીની જિંદગીને તિલાંજલિ આપી, કચ્છની શાળામાં વિનામૂલ્યે સેવા આપવા, મારે ગામ રોચેસ્ટરથી ડો. વસંત જોષી ચાલ્યા ગયા છે. તેઓ વ્યવસાયે pharmacists હતા.

e.mail : preetam.lakhlani@gmail.com

Loading

22 July 2023 Vipool Kalyani
← सांप्रदायिकता, हिन्दुत्व और बीजेपी का चुनावी तरीका
ચલ મન મુંબઈ નગરી—206 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved