Opinion Magazine
Number of visits: 9446687
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

… અને સરકારી નિષ્ફળતા ઢાંકવા માટે પણ?

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|1 May 2020

અમદાવાદમાં વધતા કોરોના-કેસ સંદર્ભે કેટલાક નિષ્ણાત તબીબોને આગળ કરીને એવું કહેવામાં આવે છે કે આવી સ્થિતિમાં ગમે તેટલાં સરકારી સાધન હોય તો પણ તે ટાંચાં પુરવાર થાય. હાલના સંજોગોમાં કોરોના-પૉઝિટિવ દરદીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાથી ‘આરોગ્યસેવાઓ પર બિનજરૂરી ભારણ’ વધે છે. માટે, એવા લોકોને ઘરે રાખવા અને જે સામાન્ય દવા-સારવાર તેમને હૉસ્પિટલમાં અપાય છે, તે ઘરે આપવી. એટલું જ નહીં, તેમનું વીડિયોથી મૉનિટરિંગ કરવું.

આ બધું સૂચવવા પાછળનો આશય ‘આરોગ્યસેવાઓ પર બોજ હળવો કરવાનો’ છે, એમ પણ કહેવાયું. સામાન્ય સંજોગોમાં અને સરકારી તંત્ર પ્રામાણિક હોય ત્યારે આ પ્રકારના તર્ક કે સમજાવટને અવકાશ હોઈ શકે. હા ભાઈ, આપણે આવી કઠણ સ્થિતિમાં સરકારને મદદ ન કરી શકીએ તો કંઈ નહીં, કામ તો ન વધારીએ. સરકારનું કામ ન વધારવાની એક રીત એટલે સાવચેતી રાખીને સાજા-સલામત રહેવું. તેમાં બીમાર પડ્યા પછી પણ ઘરે રહેવાની રીત દાખલ કરવા માટે વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે વિશ્વાસનો સંબંધ હોવો જોઈએ. માહિતીનું પ્રામાણિક આદાનપ્રદાન થવું જોઈએ.

વહીવટી તંત્રે પોતાની સાધનસામગ્રીની મર્યાદાઓ કે આરોગ્યકર્મીઓની અછત જ નહીં, જેટલું ઉપલબ્ધ છે, તેને અસરકારક રીતે ગોઠવવામાં કેવી કચાશ રહી તેની વાત પણ કરવી પડે. પરંતુ આરોગ્ય સચિવ બધું ફૂલફટાક દેખાડતા હોય અને વહીવટી તંત્ર તો જાણે નમૂનેદાર કામ કરી રહ્યું છે, એવો દેખાવ રાખતાં હોય ત્યારે સરકાર પ્રત્યે કૂણું વલણ ધરાવતા કે સરકારી કર્મચારી એવા નિષ્ણાત તબીબો કોરોના-ચેપગ્રસ્તોને ઘરે રહેવાની શાણપણભરી સલાહ આપે, તે ચિંતાજનક છે. કેમ કે, તેમની આ સલાહમાં દરદીઓના હિતરક્ષણ કરતાં કોરોના-અસરગ્રસ્તોને સારવાર આપવામાં સરકારી તંત્રની મસમોટી ખામીઓ ઢાંકવાની વૃત્તિ વધારે જણાય છે.

આવા કપરા સમયમાં દરેક નાગરિકે વહીવટી તંત્રને બનતી મદદ કરવી જોઈએ. પણ સામે પક્ષે, વહીવટી તંત્રે પહેલાં નાગરિકોને વિશ્વાસમાં લેવાની દરકાર લેવી પડે. સરકારી હૉસ્પિટલમાં દાખલ થયેલા દરદીઓની સારવારનાં ઠેકાણાં નથી હોતાં, ત્યાં વીડિયોથી તેમની દેખરેખ રાખવાની વાત કોના ગળે ઉતરશે? નાગરિકોનો સહકાર જોઈતો હોય તો નાગરિકોને સાચી માહિતી આપવી પડે, નિષ્ફળતાઓ સ્વીકારીને નમ્રતા કેળવવી પડે અને વીડિયો કૉન્ફરન્સોમાં બડી બડી વાતો બંધ કરવી પડે. નાગરિકોએ વહીવટી તંત્રની મર્યાદાઓ પણ ફરિયાદ કર્યા વિના વેઠવાની અને મૂરખ પણ બનવાનું?

e.mail : uakothari@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 01 મે 2020

Loading

1 May 2020 admin
← इरफान का जाना
ચલ મન મુંબઈ નગરી —42 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved