Opinion Magazine
Number of visits: 9445844
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

અમેરિકન ભારતીયો કોને વફાદાર? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|16 August 2025

जय हिंद કે जय जगत? 

હેમન્તકુમાર શાહ

અમેરિકન ભારતીયો કે જેઓ સત્તાવાર રીતે અમેરિકાના નાગરિકો છે, કે જેમની પાસે અમેરિકન પાસપોર્ટ છે, કે જેઓ ભારતના નાગરિક છે જ નહિ, તેઓ ભારતનો તિરંગો લહેરાવીને ૧૫મી ઓગસ્ટે ભારતનાં રાષ્ટ્રગીતો જન ગણ મન અને વંદે માતરમ્ ગાઈને ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરે તો તે અમેરિકાની દૃષ્ટિએ દેશદ્રોહ કહેવાય કે નહીં?

અમેરિકન સરકાર તેમની સામે દેશદ્રોહનો કેસ કરે છે? ના. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ અને કોઈ રાજકીય પક્ષ કે કોઈ સંસ્થાના લોકો એ બધાને અર્બન નક્સલ કહે છે? ના. “गोली मारो सालों को, देश के गद्दारों को” એવું ત્યાંનો કોઈ પ્રધાન જાહેર સભામાં ઘાંટા પાડીને બોલે છે? ના. એનો અર્થ એમ છે કે અમેરિકાના મૂળ ભારતીય નાગરિકોને ભારતનો ઝંડો જાહેરમાં લહેરાવવાની સંપૂર્ણ આઝાદી છે અને તેથી અમેરિકા માટે કોઈ ખતરો ઊભો થાય છે એમ અમેરિકન સરકાર માનતી જ નથી. અમેરિકાનું આકર્ષણ એ જ છે : શક્ય તેટલી આર્થિક, સામાજિક અને રાજકીય આઝાદીવાળું મનુષ્યનું જીવન. 

અમેરિકામાં જો આમ કરવાની આઝાદી અમેરિકન ભારતીયોને હોય તો તે મનુષ્યની સાચી આઝાદી કહેવાય કે નહીં? અમેરિકાએ આટલા પૂરતો પણ वसुधैव कुटुम्बकम्-નો આદર્શ સિદ્ધ કર્યો કહેવાય કે નહીં? 

રાષ્ટ્રધ્વજ એ દેશના સન્માનનું અને દેશની ઓળખનું પ્રતીક છે. ભારતીય અમેરિકન નાગરિકો અમેરિકાના આઝાદી દિન ચોથી જુલાઈએ અમેરિકન રાષ્ટ્રધ્વજને સલામી આપે અને અમેરિકાનું રાષ્ટ્રગીત ગાય જ. તો તેઓ અમેરિકા અને ભારત એમ બે દેશ પ્રત્યે વફાદારી બતાવે છે એમ કહેવાય? 

આજના વૈશ્વિકીકરણના જમાનામાં દેશો વચ્ચે ભૌગોલિક સરહદો હોવા છતાં રાષ્ટ્રના અને રાષ્ટ્રવાદના ખ્યાલો કેવા ભૂંસાઈ અને ઘસાઈ ગયા છે તે આ ઉદાહરણ પરથી સમજવું જોઈએ. ભારતમાં રાષ્ટ્રવાદને નામે જે ધમપછાડા ચાલે છે તે કેટલા વાહિયાત છે એનો ખ્યાલ આનાથી આવવો જોઈએ. 

કંસના નિકંદન પછી ભગવાન શ્રીકૃષ્ણ મથુરા છોડીને ત્યાંના લોકોને લઈને દ્વારકા આવીને વસેલા કારણ કે મથુરા પર જરાસંધે ૧૭ વખત હુમલા કરેલા અને ત્યાંના નગરજનોને પરેશાન કરેલા. કૃષ્ણ માટે દ્વારકા એવી જગ્યા હતી કે જ્યાં કોઈ ભય ન હોય. ભગવાન પણ ભાગેલા, ભય વિનાની જિંદગી જીવવા! આજકાલની ભાષામાં એને immigration કહે છે. એ જમાનામાં દ્વારકા કંઈ મથુરા રાજ્યનો ભાગ નહોતું, એટલે એને મથુરાના સંદર્ભમાં તો વિદેશ જ કહેવાય. માણસને કોઈ પણ જાતના ભય વગરની જિંદગી જીવવી હોય છે. એવો ભય વગરનો સમાજ ઊભો થાય એનું નામ સ્વાતંત્રતા.

ભગવાન કૃષ્ણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે કે જે કૃષ્ણે માતા જશોદાને ગોકુળમાં પોતાના મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવ્યું હતું. આ દંતકથા એમ દર્શાવે છે કે આપણે બધા મનુષ્યો એક જ છીએ, પછી ભલે ને ધર્મ કે જાતિ અલગ અલગ હોય. 

આનો સ્પષ્ટ અર્થ એ છે કે માણસજાતે પોતાના દેશના નકશાઓને પ્રેમ કરવાનો છે એના કરતાં માણસને જ વધુ પ્રેમ કરવાનો છે. પૃથ્વી પરના નકશાઓ તો એક નાછૂટકે ઊભી થયેલી મનુષ્યોનાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે ઊભી થયેલી વ્યવસ્થા છે. નકશાઓ રહેવાના જ છે, પણ નકશાઓથી આગળ વધીને સમગ્ર માનવજાતને પ્રેમ કરવાની જરૂર છે. વિનોબા ભાવે કહેતા હતા તેમ जय हिंदથી આગળ વધીને जय जगत। 

જન્માષ્ટમી, ૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

16 August 2025 Vipool Kalyani
← આઝાદ દેશમાં આઝાદ મનુષ્ય જોઈએ
Letters by Manubhai Pancholi (‘Darshak’) →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved